માધાપરના બટુક ભોજનમાં છાશ પીવાથી 45 થી વધુ બાળકોની તબિયત લથડી, સારવાર હેઠળ
માધાપરના બટુક ભોજનમાં છાશ પીવાથી 45 થી વધુ બાળકોની તબિયત લથડી, સારવાર હેઠળ
Published on: 15th June, 2026

ભુજ નજીક માધાપરના ઐશ્વર્યા નગર વિસ્તારમાં અધિક માસની પૂર્ણાહુતિ નિમિત્તે આયોજિત બટુક ભોજનમાં પીરસવામાં આવેલી છાશ બાળકો માટે હાનિકારક સાબિત થઈ. છાશ પીધા બાદ 45 થી વધુ બાળકોને ફૂડ પોઇઝનિંગ થતાં પેટમાં દુ:ખાવો, ચક્કર અને ઉલ્ટી-ઝાડા જેવી તકલીફો શરૂ થઈ. તાત્કાલિક તમામને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની સ્થિતિ હાલ સ્થિર છે.