જૂનાગઢ તબીબોએ સિઝેરિયન ટાંકાની નવી પદ્ધતિથી માતૃ મૃત્યુદર ઘટાડ્યો
જૂનાગઢ તબીબોએ સિઝેરિયન ટાંકાની નવી પદ્ધતિથી માતૃ મૃત્યુદર ઘટાડ્યો
Published on: 20th August, 2026

ભાવનગર ખાતે યોજાયેલ ઝોનલ ગ્રીપ સમિટમાં જૂનાગઢ મેડિકલ કોલેજના ગાઇનેક ડિપાર્ટમેન્ટે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ ડો. કીશન કાનાણીએ સિઝેરિયન ડિલિવરી દરમિયાન થતા ભારે રક્તસ્રાવને નિયંત્રિત કરવા માટેની નવીન પદ્ધતિ રજૂ કરી. આ પદ્ધતિ મેલી નીચે હોય તેવા જટિલ કેસોમાં ખૂબ અસરકારક સાબિત થઈ છે, જેમાં પહેલા 35-40 બોટલ રક્તની જરૂર પડતી હતી. 36 જટિલ કેસોમાં આ ટેકનીક દ્વારા એક પણ માતૃ મૃત્યુ નોંધાયું નથી.