હિમાચલમાં બોલેરો ખીણમાં ખાબકતા 7નાં મોત, એક જ પરિવારના 6 સભ્યોનો સમાવેશ
હિમાચલ પ્રદેશના ચંબા-મસરુંડ માર્ગ પર બોલેરો ગાડી ખીણમાં ખાબકતા સાત લોકોના મોત થયા છે. જેમાં મેહલ ગામના એક જ પરિવારના છ સભ્યો અને ડ્રાઈવરનો સમાવેશ થાય છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે તમામ લોકો કાકડ્રોથા ગામથી મુંડન સંસ્કારમાં સામેલ થઈને ઘરે પરત ફરી રહ્યા હતા. ગાડી લગભગ 1200 ફૂટ નીચે પડતા કારના ફુરચા ઉડી ગયા હતા. પોલીસે મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અકસ્માતના કારણોની તપાસ ચાલી રહી છે.
હિમાચલમાં બોલેરો ખીણમાં ખાબકતા 7નાં મોત, એક જ પરિવારના 6 સભ્યોનો સમાવેશ
યુકે રાજકારણમાં 'કિંગ ઑફ ધ નોર્થ'ની જીતથી PM સ્ટાર્મરની ખુરશી ડગમગી!
યુકેના રાજકારણમાં નેતૃત્વ પરિવર્તનના સંકેતો મળી રહ્યા છે. ગ્રેટર માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહેમે પેટાચૂંટણીમાં ભવ્ય જીત મેળવી, જેનાથી વડાપ્રધાન કિર સ્ટાર્મરની મુશ્કેલીઓમાં વધારો થયો છે. 'કિંગ ઑફ ધ નોર્થ' તરીકે લોકપ્રિય બર્નહેમે મેકરફિલ્ડ બેઠક પર 54.8% મતો મેળવી નિગેલ ફરાજની પાર્ટીને હરાવી. રાજકીય વિશ્લેષકો આ જીતને લેબર પાર્ટીમાં વડાપ્રધાન પદના નેતૃત્વ પરિવર્તનની શરૂઆત માની રહ્યા છે. બર્નહેમે બ્રિટિશ રાજકારણ માટે આને 'ટર્નિંગ પોઇન્ટ' ગણાવ્યો અને અમેરિકા જેવી ધ્રુવીકરણવાળી રાજનીતિથી દૂર રહેવાની હિમાયત કરી.
યુકે રાજકારણમાં 'કિંગ ઑફ ધ નોર્થ'ની જીતથી PM સ્ટાર્મરની ખુરશી ડગમગી!
41 વર્ષના ફેફ ડુ પ્લેસિસ T20 ક્રિકેટમાં સૌથી મોટી ઉંમરે સદી ફટકારનાર ખેલાડી બન્યા
દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ફેફ ડુ પ્લેસિસ 41 વર્ષની ઉંમરે મેજર લીગ ક્રિકેટમાં અણનમ 113 રન બનાવી T20 ક્રિકેટમાં સૌથી મોટી ઉંમરે સદી ફટકારનાર ખેલાડી બન્યા છે. આ સાથે તેમણે પૌલ કોલિંગવુડનો 9 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. ટેક્સાસ સુપર કિંગ્સ તરફથી રમતા તેમણે સિયાટલ ઓર્કાસ સામે 221 રનના લક્ષ્યનો પીછો કરતાં આ સિદ્ધિ મેળવી હતી. ડુ પ્લેસિસની આ વિસ્ફોટક ઇનિંગ્સથી ટેક્સાસ સુપર કિંગ્સે 9 બોલ બાકી રાખીને મેચ જીતી લીધી.
41 વર્ષના ફેફ ડુ પ્લેસિસ T20 ક્રિકેટમાં સૌથી મોટી ઉંમરે સદી ફટકારનાર ખેલાડી બન્યા
રામમંદિર બાદ કર્ણાટકના યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી.
કર્ણાટકના માંડ્યા જિલ્લામાં આવેલા ઐતિહાસિક યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાંથી દાનપાત્ર (હુંડી) માંથી ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના બાદ વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મંદિરના મુખ્ય પૂજારી નારાયણ ભટ્ટ સહિત કુલ છ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પગલાં ચોરીમાં સીધી સંલિપ્તતાને બદલે સુરક્ષા વ્યવસ્થામાં ઘોર બેદરકારી અને વહીવટી જવાબદારી નિભાવવામાં થયેલી ચૂક બદલ લેવાયા છે. માંડ્યાના ડેપ્યુટી કમિશનર દ્વારા આ સુરક્ષા ખામીને ગંભીર ગણાવ્યા બાદ આ આદેશ જારી કરાયો છે. હાલ પોલીસ અને વહીવટી એજન્સીઓ દ્વારા સઘન તપાસ ચાલુ છે.
રામમંદિર બાદ કર્ણાટકના યોગ નરસિમ્હા સ્વામી મંદિરમાં દાનચોરી.
રામ મંદિર દાન ચોરી વિવાદ: CM યોગીનું SIT તપાસ પર પ્રથમ નિવેદન
રામ મંદિર દાન ચોરીના કથિત મામલે ચાલી રહેલી ચર્ચાઓ અને SIT તપાસ વચ્ચે CM યોગી આદિત્યનાથે શાંત રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, "તમે રામ મંદિર માટે 500 વર્ષ રાહ જોઈ, તો 15 દિવસ વધુ રાહ જુઓ. SIT દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે." તેમણે રામ ભક્તોને અપીલ કરી કે તપાસ દરમિયાન કોઈ બિનજરૂરી નિવેદનબાજી ન કરે, જેનાથી ભક્તોની લાગણી દુભાય. જો કોઈ ગુનેગાર સાબિત થશે તો તેને બક્ષવામાં નહીં આવે. યોગીએ અખિલેશ યાદવ અને કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા.
રામ મંદિર દાન ચોરી વિવાદ: CM યોગીનું SIT તપાસ પર પ્રથમ નિવેદન
અમીરોનો દેશ છોડવાનો રેકોર્ડ: 1.65 લાખ કરોડપતિ નવી ભૂમિ શોધશે
વૈશ્વિક સ્તરે અમીરોનું દેશ છોડવાનું પ્રમાણ રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે. ‘Henley Private Wealth Migration Report 2026’ મુજબ, આ વર્ષે 1.65 લાખ કરોડપતિઓ સુરક્ષા, બહેતર જીવનશૈલી અને રોકાણની શોધમાં પોતાનો દેશ છોડશે. આ સંખ્યા છેલ્લા દાયકામાં ત્રણ ગણી વધી છે. UAE 85.3ના વેલ્થ મોબિલિટી સ્કોર સાથે અમીરોની પ્રથમ પસંદગી બન્યું છે. અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાંથી પણ મોટી સંખ્યામાં અમીરો સ્થળાંતર કરી રહ્યા છે, જે આ દેશો માટે ચિંતાનો વિષય છે. ભારતીય અમીરો પણ કડક ટેક્સ નિયમોને કારણે સ્થળાંતર કરી રહ્યા છે.
અમીરોનો દેશ છોડવાનો રેકોર્ડ: 1.65 લાખ કરોડપતિ નવી ભૂમિ શોધશે
યુક્રેનના હુમલા બાદ મોસ્કોમાં 'કાળો વરસાદ': શું છે આ ભયાવહ ઘટના?
યુક્રેન દ્વારા રશિયાના મોસ્કો પર કરાયેલા મોટા ડ્રોન હુમલા બાદ એક વિચિત્ર અને ભયાવહ ઘટના બની છે. આ હુમલામાં કપોત્ન્યા ઓઇલ રિફાઇનરી (Kapotnya Oil Refinery) મુખ્ય નિશાન બનતા ત્યાં લાગેલી ભીષણ આગના કારણે વાતાવરણમાં ધુમાડો ફેલાયો. પ્રતિકૂળ હવામાન અને અધૂરા દહનથી કાર્બનના સૂક્ષ્મ કણો અને ઓઇલના ટીપાં હવામાં ઊંચે ગયા, જે ઠંડીના સંપર્કમાં આવીને વરસાદ રૂપે નીચે પડ્યા. આ 'કાળો વરસાદ' (Black Rain) લોકોના ઘર, વાહનો અને કપડાં પર તેલ જેવો ચીકણો કાળો પદાર્થ વરસાવી રહ્યો છે, જેનાથી સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર ગંભીર અસરોની ચિંતા સેવાઇ રહી છે.
યુક્રેનના હુમલા બાદ મોસ્કોમાં 'કાળો વરસાદ': શું છે આ ભયાવહ ઘટના?
સ્વિસ બેન્કમાં ભારતીયોના નાણાંમાં ૮% ઘટાડો, કુલ રૂ. ૩૬,૭૯૩ કરોડ
સ્વિસ બેન્ક દ્વારા જાહેર કરાયેલા વાર્ષિક અહેવાલ મુજબ, સ્વિટ્ઝર્લેન્ડની બેન્કોમાં ભારતીયો દ્વારા જમા કરાયેલા નાણાંમાં ૨૦૨૫માં ૮% ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડા સાથે કુલ રકમ રૂ. ૩૬,૭૯૩ કરોડ (૩.૨૫ અબજ સ્વિસ ફ્રેન્ક) થઈ ગઈ છે. મુખ્યત્વે સ્થાનિક બ્રાન્ચો પાસેના ફંડમાં ઘટાડો થતાં આ આંકડો ઘટ્યો છે, જોકે વ્યક્તિગત અને સંસ્થાકીય ખાતાઓમાં ૫૦% નો વધારો થયો છે. આ યાદીમાં ભારત ૪૬મા ક્રમે છે.
સ્વિસ બેન્કમાં ભારતીયોના નાણાંમાં ૮% ઘટાડો, કુલ રૂ. ૩૬,૭૯૩ કરોડ
શ્રીસંતનો ગૌતમ ગંભીર પર આકરો પ્રહાર: 'હેડ કોચને હટાવી ધોનીને મેન્ટર બનાવો'
પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર એસ શ્રીસંતે ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર પર નિશાન સાધ્યું છે. શ્રીસંતે કહ્યું છે કે ગંભીરનું ટીમમાં કોઈ કામ નથી અને તેમને તાત્કાલિક અસરથી હટાવી દેવા જોઈએ. તેના સ્થાને મહેન્દ્ર સિંહ ધોની જેવા મેન્ટરની જરૂર છે, જે ખેલાડીઓ પર બિનજરૂરી દબાણ ઉભું નથી કરતા. શ્રીસંતે ગંભીરને ICC T20 વર્લ્ડ કપ જીતનો શ્રેય આપવાનો પણ ઇનકાર કર્યો છે.
શ્રીસંતનો ગૌતમ ગંભીર પર આકરો પ્રહાર: 'હેડ કોચને હટાવી ધોનીને મેન્ટર બનાવો'
નિયામી એરપોર્ટ પર આતંકી હુમલો, અંધાધૂંધ ગોળીબારમાં 11 સૈનિકો અને 2 નાગરિકના મોત
નાઇજરની રાજધાની નિયામી ખાતે આવેલા ડાયોરી હમાની આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હથિયારધારી આતંકવાદીઓએ હુમલો કરતાં 11 સૈનિકો અને 2 નાગરિકોના મોત થયા હતા. આતંકીઓ ટેક્સીમાં આવી સુરક્ષા ચોકી પાસે અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો, જેના જવાબમાં સુરક્ષા દળોએ કાર્યવાહી કરીને 22 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. ઘટનામાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 20 જેટલા શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. સૈન્યના વિશેષ ઓપરેશન બાદ એરપોર્ટને સુરક્ષિત જાહેર કરવામાં આવ્યું છે અને હવાઈ સેવાઓ ફરી શરૂ થઈ છે. આ એરપોર્ટ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોવાથી અગાઉ પણ આતંકી હુમલાનું નિશાન બની ચૂક્યું છે.
નિયામી એરપોર્ટ પર આતંકી હુમલો, અંધાધૂંધ ગોળીબારમાં 11 સૈનિકો અને 2 નાગરિકના મોત
ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને દિગ્ગજ ખેલાડી વસીમ જાફરે આપી મહત્વની સલાહ
ઇન્ડિયા Aના યુવા બેટર વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકા Aના ખેલાડી વચ્ચેના વિવાદ બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે મોટી પ્રતિક્રિયા આપી છે. જાફરે જણાવ્યું કે, લોકપ્રિયતા વધવાની સાથે વિરોધી ખેલાડીઓ ઉશ્કેરવાનો પ્રયાસ કરશે, પરંતુ વૈભવે દરેક પરિસ્થિતિમાં સંયમ જાળવવો પડશે. તેમણે સચિન તેંડુલકરનું ઉદાહરણ આપીને યુવા બેટરને આ ઘટનામાંથી શીખ લેવાની સલાહ આપી છે. શારીરિક ટકરાવ બિલકુલ સ્વીકાર્ય નથી, આયોન-ફિલ્ડ ડ્રામા એક મર્યાદામાં હોવો જોઈએ.
ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને દિગ્ગજ ખેલાડી વસીમ જાફરે આપી મહત્વની સલાહ
મુખ્યમંત્રી શિવકુમારની વ્યૂહરચના: કર્ણાટકમાં ભાજપને હરાવી કોંગ્રેસની 5 બેઠકો પર જીત
કર્ણાટક વિધાન પરિષદ (MLC)ની સાત બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં મોટો ઉલટફેર થયો છે. કોંગ્રેસે પોતાની વ્યૂહરચનાના જોરે પાંચ બેઠકો પર ભવ્ય જીત મેળવી છે, જ્યારે ભાજપને માત્ર બે બેઠકો મળી છે. મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારે ભાજપના બે ધારાસભ્યો પાસેથી ક્રોસ વોટિંગ કરાવીને વિપક્ષી ખેમામાં મોટું ગાબડું પાડ્યું. આ ધારાસભ્યોએ પોતાના અંતરાત્માના અવાજ પર કોંગ્રેસને વોટ આપ્યો હોવાનું જણાવ્યું. આ જીત સાથે કોંગ્રેસે વિધાન પરિષદમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે.
મુખ્યમંત્રી શિવકુમારની વ્યૂહરચના: કર્ણાટકમાં ભાજપને હરાવી કોંગ્રેસની 5 બેઠકો પર જીત
ત્રણ મહિના બાદ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પાર કરી LNG જહાજ 'દિશા' ગુજરાત પહોંચ્યું!
પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર છે. LNG tanker Disha Dahej port પર સફળતાપૂર્વક પહોંચી ગયું છે. વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ 'સ્ટ્રેટ ઑફ હોર્મુઝ' પાર કરીને આ જહાજ ભરૂચ જિલ્લાના દહેજ પોર્ટ પર લાંગર્યું. કતારથી 62,370 મેટ્રિક ટન LNG લઈને આવેલું આ જહાજ ત્રણ મહિનાથી ખાડી વિસ્તારમાં અટવાયેલું હતું. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને Petronet LNG Limited માટે આ એક મોટી સફળતા છે.
ત્રણ મહિના બાદ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પાર કરી LNG જહાજ 'દિશા' ગુજરાત પહોંચ્યું!
ઈરાનને 300 અબજ ડોલર કોણ આપશે? ટ્રમ્પ-વેન્સના દાવા અને વિવાદ
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ માટે થયેલા MoUના છઠ્ઠા પોઈન્ટ પર ભારે વિવાદ છે, જેમાં ઈરાનના પુનર્વસન માટે 300 અબજ ડોલર ફંડિંગની વાત છે. આ રકમ કોણ આપશે તે સવાલ પર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વેન્સ પોતપોતાના દાવા કરી રહ્યા છે, જેના કારણે વિપક્ષી ડેમોક્રેટ્સ અને ખુદ રિપબ્લિકન પક્ષના નેતાઓ ટ્રમ્પ પર પ્રહાર કરી રહ્યા છે. ટ્રમ્પનો દાવો છે કે અમેરિકા એક રૂપિયો પણ નહીં આપે, જ્યારે વેન્સ સંકેત આપે છે કે પર્શિયન ખાડીના સમૃદ્ધ દેશો ફંડિંગ કરી શકે છે. જોકે, કોઈ દેશ દ્વારા સત્તાવાર પુષ્ટિ નથી.
ઈરાનને 300 અબજ ડોલર કોણ આપશે? ટ્રમ્પ-વેન્સના દાવા અને વિવાદ
અયોધ્યા રામ મંદિર: 10 કરોડની સુરક્ષા છતાં દાનની ચોરી
અયોધ્યા રામ મંદિર પરિસરમાં ચાલી રહેલી SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની તપાસ દાનની ચોરીના આરોપો પર કેન્દ્રિત છે. છેલ્લા 11 મહિનામાં મંદિરની સુરક્ષા પાછળ ₹10 કરોડનો જંગી ખર્ચ થયો હોવા છતાં, આ ગેરરીતિઓ કેવી રીતે થઈ તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે. CCTV અને ટેકનિકલ દેખરેખ સંભાળતા 17 વર્ષથી એક જ જગ્યાએ તહેનાત RMO (Radio Maintenance Officer) સહિત અનેક જવાબદાર લોકો તપાસના દાયરામાં છે. વાયરલ થયેલા વીડિયો અને સ્પેશિયલ પાસના દુરુપયોગ અંગે પણ SIT તપાસ કરી રહી છે. આ મામલે લગભગ 200 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
અયોધ્યા રામ મંદિર: 10 કરોડની સુરક્ષા છતાં દાનની ચોરી
પશ્ચિમ એશિયામાં તણાવ હોવા છતાં ભારતમાં રેમિટન્સનો પ્રવાહ મજબૂત
પશ્ચિમ એશિયાઈ કટોકટી છતાં, વિદેશમાં રહેતા ભારતીયો નોંધપાત્ર પ્રમાણમાં દેશમાં પાછા પૈસા મોકલી રહ્યા છે. ગલ્ફ ક્ષેત્રમાં આર્થિક પ્રવૃત્તિમાં વિક્ષેપ હોવા છતાં, સાવચેતીભર્યા રેમિટન્સે પ્રવાહ મજબૂત રાખ્યો છે.બેંકરો માને છે કે ભૌગોલિક રાજકીય તણાવ ઓછો થતાં વૃદ્ધિ ધીમી પડી શકે છે, પરંતુ આ વર્ષે રેમિટન્સ વ્યાપકપણે સ્થિર રહેવાની અપેક્ષા છે. ખરેખર, ભારત રેમિટન્સના નવા સ્ત્રોતોના ઉદભવથી લાભ મેળવી રહ્યું છે.ખાનગી ક્ષેત્રની બેંકરે જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયામાં સંઘર્ષ હોવા છતાં, રેમિટન્સ મજબૂત રહ્યું છે.
પશ્ચિમ એશિયામાં તણાવ હોવા છતાં ભારતમાં રેમિટન્સનો પ્રવાહ મજબૂત
સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઝડપી ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી રહી હતી. વિશ્વ બજાર તૂટતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ઉંચકાતાં કિંમતી ધાતુઓની ઈંમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી તથા તેના પગલે ઝવેરી બજારોમાં ભાવ આજે દબાણ હેઠળ જોવા મળ્યા હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૫૦૦ તૂટયા હતા.
સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ
ભારતમાં ડિજિટલ ફ્રોડનો ખતરો બમણો: લોજિસ્ટિક્સ, ટેલિકોમ, વીમા ક્ષેત્રોમાં મોટો વધારો
વૈશ્વિક સ્તરની સરખામણીમાં ભારતમાં ડિજિટલ ફ્રોડનો ખતરો લગભગ બમણો જોવા મળ્યો છે. ટ્રાન્સયુનિયનના અહેવાલ મુજબ, 2025માં ભારતમાં 7.1% ઓનલાઈન ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ રહેશે, જ્યારે વૈશ્વિક સરેરાશ 3.8% છે. હવે ફ્રોડરો અસલી ગ્રાહકોના એકાઉન્ટને નિશાન બનાવી રહ્યા છે. ભારતમાં એકાઉન્ટ લોગિન વખતે (3.9%), નવું એકાઉન્ટ બનાવતી વખતે (3.1%) અને ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન વખતે (1.2%) સૌથી વધુ જોખમ છે. લોજિસ્ટિક્સમાં 16.3%, ટેલિકોમમાં 14.70% અને વીમામાં 11.50% ફ્રોડ જોવા મળ્યા છે, જે વ્યવસાયો માટે મોટો પડકાર છે.
ભારતમાં ડિજિટલ ફ્રોડનો ખતરો બમણો: લોજિસ્ટિક્સ, ટેલિકોમ, વીમા ક્ષેત્રોમાં મોટો વધારો
ટેમ્પટેશન આઇલેન્ડ ઇન્ડિયા: સંબંધોની કસોટી, રિયાલિટી શોની ચર્ચા
JioCinema પર સ્ટ્રીમ થયેલ ટેમ્પટેશન આઇલેન્ડ ઇન્ડિયા, એક વોય્યુરિસ્ટિક રિયાલિટી શો છે જે સ્થાપિત સંબંધોના બંધનનું પરીક્ષણ કરે છે. આ શોના હોસ્ટ તરીકે મૌની રોય અને કરણ કુન્દ્રા જોડાયા હતા. શોમાં અભિષેક મલ્હાન અને એલ્વિશ યાદવ પણ સ્પર્ધકો સાથે વાતચીત કરવા વિલામાં પ્રવેશ્યા હતા. આ શો સ્ક્રિપ્ટેડ છે કે કેમ તે અંગે અનેક સવાલો ઉઠ્યા હતા. આ લોકપ્રિય અમેરિકન ડેટિંગ રિયાલિટી શોના પ્રથમ ભારતીય રૂપાંતરણે ભારે ચર્ચા જગાવી હતી અને દર્શકો આગળ આવનારા વળાંકોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
ટેમ્પટેશન આઇલેન્ડ ઇન્ડિયા: સંબંધોની કસોટી, રિયાલિટી શોની ચર્ચા
ભગવાનને જ્યારે 14 દિવસની મેડિકલ લીવ અપાય છે...
મેરા ભારત મહાન-અક્ષય અંતાણીભક્તો ભગવાનને પ્રાર્થના કરતા હોય છે કે, 'હે ભગવાન અમને સાજા-નરવા રાખજો, તબિયત સારી રહે એવા આશીર્વાદ .' પણ ભક્તોને સાજા-નરવા રાખતા ભગવાન ખુદ માંદા પડે તો શું થાય? આ સવાલનો જવાબ મેળવવા રાજસ્થાનના કોટાના ઐતિહાસિક જગદીશ મંદિરમાં જવું જોઈએ. છેલ્લાં ૩૦૦ વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ દર જેઠ મહિનાની પૂણમાએ ભગવાનના અછો અછો વાના કરવામાં આવે છે. અસહ્ય ગરમી પડે ત્યારે ભગવાનને પાણીના ૫૧ કળશથી સ્નાન કરાવવામાં આવે છે.
ભગવાનને જ્યારે 14 દિવસની મેડિકલ લીવ અપાય છે...
ભાજપે મમતાના ગઢમાં તોડફોડ કરી, ઉદ્ધવના તંબૂમાં પ્રવેશ કર્યો
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસમાં ગાબડાં પડ્યા છે, જેના કારણે તેના માલિક કોણ તેની ચર્ચા ચાલી રહી છે. જનતા દળ (યુ) અને તેલુગુ દેશમ્ પક્ષનો Bargaining power ઘટી રહ્યો છે. વિપક્ષી એકતાના ગઢ સમાન તમિલનાડુના DMK એ ગઠબંધન છોડ્યું છે, જ્યારે AIADMK ના સભ્યો અભિનેતા Vijay ની TVK પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ભાજપે વિપક્ષી ગઠબંધનમાં પણ ભંગાણ પાડ્યું છે.
ભાજપે મમતાના ગઢમાં તોડફોડ કરી, ઉદ્ધવના તંબૂમાં પ્રવેશ કર્યો
ઝારખંડમાં ક્રોસવોટિંગ, NDA સમર્થિત પરિમલ નથવાણીનો રાજ્યસભામાં વિજય
ઝારખંડમાં રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી થઈ હતી. એમાં ક્રોસવોટિંગ થતાં એનડીએ સમર્થિત અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણીનો કોંગ્રેસના ઉમેદવાર સામે વિજય થયો હતો. પરિમલ નથવાણી ચોથી વખત રાજ્યસભાના સાંસદ બન્યા છે. એક બેઠક સત્તાધારી પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાને મળી હતી. પરિમલ નથવાણીને 28 વોટ, કોંગ્રેસના પ્રણવ ઝાને 20 મત મળ્યાં.
ઝારખંડમાં ક્રોસવોટિંગ, NDA સમર્થિત પરિમલ નથવાણીનો રાજ્યસભામાં વિજય
ટેલીગ્રામના ૧૫ કરોડ યુઝર્સના અધિકાર ના રોકી શકે કેન્દ્ર સરકાર: હાઇકોર્ટ
NEET-UG પેપર લીક મામલે ટેલીગ્રામ પર 22મી સુધીના પ્રતિબંધ સામે દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. પરીક્ષા આપી રહેલા કેટલાક હજાર લોકોના કારણે ૧૫ કરોડ ટેલીગ્રામ યુઝર્સના અધિકારોને કેવી રીતે રોકી શકાય તેવો સવાલ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યો છે. નવી દિલ્હીમાં NEET-UG પેપર લીક થયા બાદ ફરી પરીક્ષા યોજાવાની છે. આ ઘટનાઓ વચ્ચે, પેપર લીક અટકાવવાના હેતુથી કેન્દ્ર સરકારે 22મી તારીખ સુધી ટેલીગ્રામ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેના પર કોર્ટે જવાબ માંગ્યો છે.
ટેલીગ્રામના ૧૫ કરોડ યુઝર્સના અધિકાર ના રોકી શકે કેન્દ્ર સરકાર: હાઇકોર્ટ
હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં
પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીએ પોતાના પક્ષ પરથી પણ સત્તા ગુમાવી દીધી છે. બળવાખોર ઋતબ્રત બેનરજીને વિપક્ષના નેતા બનાવવા સામે થયેલી અરજીમાં કલકત્તા હાઇકોર્ટે હાલ રાહત નથી આપી. જેને પગલે હવે ઋતબ્રત બેનરજી જ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા રહેશે. દરમિયાન ટીએમસીના બેન્ક ખાતામાં મમતા એક રૂપિયો પણ નહીં ઉપાડી શકે.
હાલ ઋતબ્રત જ વિપક્ષના નેતા રહેશે મમતાને હાઇકોર્ટમાં કોઇ રાહત નહીં
એબિકલ ઇન્કના વડા વિકાસ ગર્ગ પરિવારની રૂ. 930 કરોડની સંપત્તિ ટાંચમાં
મહાદેવ ઓનલાઇન બેટિંગ એપ નેટવર્કથી જોડાયેલ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ મોટી કાર્યવાહી કરી છે. એજન્સીની તપાસનાં દાયરામાં એબિક્સ ઇન્કનાં ચેરમેન વિકાસ ગર્ગ છે.આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે ઓનલાઇન બેટિંગ સિંડિકેટથી જોડાયેલ અપરાધની કમાણીનું વિદેશી રોકાણ અને અન્ય માધ્યમોથી કાયદેસર બતાવી પોતાની કંપનીઓમાં રોકાણ કરી કાળા નાણાંને વ્હાઇટ બનાવવાનાં પ્રયત્નો કર્યા હતાં.
એબિકલ ઇન્કના વડા વિકાસ ગર્ગ પરિવારની રૂ. 930 કરોડની સંપત્તિ ટાંચમાં
ભારત બ્રિટનમાંથી આયાત થનાર 3.78 લાખ કારોની કસ્ટમ ડયુટીમાં ઘટાડો કરશે
ભારત બંને દેશો વચ્ચેનાં વેપાર કરારનાં અમલીકરણનાં પ્રથમ ૧૫ વર્ષ દરમિયાન બ્રિટનથી ૩.૭૮ લાખ પરંપરાગત એન્જિન પેસેન્જર કારની આયાત પર ચુકવવાની થતી કસ્ટમ ડયુટીમાં રાહત આપશે. આ સમજૂતી હેઠળ ઓટોમોટિવ ઇમ્પોર્ટ પર ટેરિફ લગભગ ૧૧૦ ટકાથી ઘટીને ૧૦ ટકા થઇ જશ અને બંને તરફ ક્વોટા પણ નક્કી હશે. બુધવારે જારી કરાયેલા યુકે-સેટા દસ્તાવેજ અનુસાર ભારતને બ્રિટનની ઇલેક્ટ્રિક, હાઇબ્રિડ/હાઇડ્રોજન પેસેન્જર કાર સેગમેન્ટમાં એન્ટ્રી મળશે. છઠ્ઠા વર્ષથી ૨૦,૦૦૦ પાઉન્ડથી ૮૦,૦૦૦ પાઉન્ડની કીંમતોવાળી કારની તે દેશોમાં ડયુટી ફ્રી નિકાસ કરવામાં આવશે.
ભારત બ્રિટનમાંથી આયાત થનાર 3.78 લાખ કારોની કસ્ટમ ડયુટીમાં ઘટાડો કરશે
2025-26 માટે EPFની જમા રકમ પર 8.25 ટકા વ્યાજ ચૂકવાશે
કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે કર્મચારીઓનાં પ્રોવિડન્ટ ફંડ (EPF)ની જમા રકમ પર ૮.૨૫ ટકા વ્યાજ ચૂકવવાને મંજૂરી આપી છે. આ નિર્ણયને પગલે સાત કરોડથી વધુ સભ્યોનાં ખાતામાં આ મહિનાનાં અંત સુધીમાં વ્યાજની રકમ જમા થઇ જવાની સંભાવના છે. EPFO નાણા મંત્રાલય દ્વારા સરકાર દ્વારા મંજૂરી મળ્યા પછી ઇપીએફ પર વ્યાજ દર નક્કી કરે છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર નાણા મંત્રાલયે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) દ્વારા નક્કી કરવામાં આવેલા ૮.૨૫ ટકા વ્યાજ પર પોતાની સંમતિ આપી દીધી છે.
2025-26 માટે EPFની જમા રકમ પર 8.25 ટકા વ્યાજ ચૂકવાશે
અમેરિકા-ઈરાનની શાંતિ સમજૂતીમાં ઈઝરાયલ સૌથી મોટો અવરોધ
ઈરાન પરમાણુ પ્રોગ્રામ બંધ કરવાની ખાતરી આપશે તો જ ઈઝરાયલ આ શાંતિકરારને માન્ય રાખશે. ઈઝરાયલ અમેરિકાને પણ આ મુદ્દે ધમકી આપી ચૂક્યું છે એ જોતાં આજે થનારી બેઠક બહુ મહત્ત્વની રહેશે. સ્વિટ્ઝર્લેન્ડમાં અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિકરાર થવાનો છે. એના પર આખી દુનિયાની નજર છે. અમેરિકા-ઈઝરાયલે મળીને ઈરાન પર હુમલો કર્યો એ પછી આખી દુનિયાના શ્વાસ અદ્ધર ચડી ગયા છે, કારણ છે હોર્મુઝની ખાડી.
અમેરિકા-ઈરાનની શાંતિ સમજૂતીમાં ઈઝરાયલ સૌથી મોટો અવરોધ
NSE નો ₹30,000 કરોડનો IPO, હ્યુન્ડાઈ-LICના રેકોર્ડ તોડી, પ્રાઇસબેન્ડ ₹2,000 આસપાસ રહેશે
વૈશ્વિક આર્થિક સંકટ વચ્ચે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) તેના અપેક્ષિત IPO માટે સેબી પાસે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યું છે. અનલિસ્ટેડ માર્કેટમાં ₹5 લાખ કરોડના મૂલ્યાંકન સાથે, NSEનો ₹30,000 કરોડનો IPO દેશનો સૌથી મોટો ઇશ્યૂ બની શકે છે, જે હ્યુન્ડાઈ અને LICના રેકોર્ડ તોડશે. આ IPO મુખ્યત્વે OFS સ્વરૂપે હશે, જેમાં હાલના રોકાણકારો તેમનો હિસ્સો વેચશે. NSE શેર નવા શેર બહાર પાડીને મૂડી એકત્રિત કરશે નહીં.
NSE નો ₹30,000 કરોડનો IPO, હ્યુન્ડાઈ-LICના રેકોર્ડ તોડી, પ્રાઇસબેન્ડ ₹2,000 આસપાસ રહેશે
ઝારખંડના અપક્ષ સાંસદ પરિમલ નથવાણી રાજ્યસભામાં ચોથી વખત ચૂંટાયા
ઝારખંડનું પ્રતિનિધિત્વ કરતા પરિમલ નથવાણી રાજ્યસભામાં સતત ચોથી વખત ચૂંટાયા છે, જે એક ઐતિહાસિક સિદ્ધિ છે. બેઠકો માટે ત્રણ ઉમેદવારો હોવા છતાં, નથવાણીએ ભવ્ય વિજય મેળવ્યો. તેઓ અગાઉ 2008 અને 2020 વચ્ચે ઝારખંડથી બે ટર્મ સેવા આપી ચૂક્યા છે. રાજ્યસભાના ઇતિહાસમાં સૌથી લાંબો સેવાકાળ ધરાવતા અપક્ષ સાંસદ તરીકે તેમનો રેકોર્ડ છે. હવે તેમનું ધ્યાન ગ્રામીણ વિકાસ, કૌશલ્યવર્ધન, કુટીર ઉદ્યોગો, આરોગ્ય અને શિક્ષણ સુધારવા પર રહેશે.
ઝારખંડના અપક્ષ સાંસદ પરિમલ નથવાણી રાજ્યસભામાં ચોથી વખત ચૂંટાયા
તમાકુમુક્ત સમાજ માટે જાગૃતિ: 100+ પ્રવૃત્તિઓ, 1 લાખ+ લોકો સુધી પહોંચ
સરકારી ડેન્ટલ કોલેજ, જામનગર દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે 20 મે થી 5 જૂન દરમિયાન વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવાયું. 100થી વધુ પ્રવૃત્તિઓ દ્વારા તમાકુ અને નિકોટિનના દુષ્પરિણામો, મોઢાના કેન્સર, હૃદયરોગ, ફેફસાંના રોગો અંગે લોકોને જાગૃત કરાયા. તમાકુ છોડવા ઇચ્છુક વ્યક્તિઓને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયું. "Unmasking the Appeal" થીમને કેન્દ્રમાં રાખી યુવાનોને આકર્ષવા ઉપયોગમાં લેવાતી માર્કેટિંગ યુક્તિઓ વિશે માહિતી અપાઈ. મૌખિક કેન્સર સ્ક્રિનિંગ, જનજાગૃતિ કેમ્પ, પ્રદર્શનો, સેમિનાર, વર્કશોપ, નાટકો, અને "મારું ઘર તમાકુમુક્ત ઘર" જેવી પહેલો હાથ ધરાઈ. આ સંયુક્ત અભિયાન દ્વારા 1 લાખથી વધુ લોકો સુધી તમાકુમુક્ત સમાજનો સંદેશ પહોંચ્યો.