ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય વિભાગ એલર્ટ
ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય વિભાગ એલર્ટ
Published on: 23rd July, 2026

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના વધતા કેસોને પગલે સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે હરકતમાં આવી ગયું છે. રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે 480 ટીમો દ્વારા 5.98 લાખથી વધુ વસ્તીનું સર્વેક્ષણ અને હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. 15 વર્ષથી નીચેના 45,969 બાળકોનું વિશેષ હેલ્થ સ્ક્રીનિંગ કરાયું છે. રેતીની માખી (Sandfly) ના નાશ માટે 3,211 કાચા ઘરોમાં મેલાથિઓન પાવડરનું ડસ્ટિંગ કરાયું છે. હાલમાં કોઈ નવો કેસ નથી, છતાં તંત્ર સાવચેત છે. નાગરિકોને ઘર અને આસપાસ સ્વચ્છતા જાળવવા, ભેજ-ગંદકી ન થવા દેવા અને બાળકોને આખી બાંયના કપડાં પહેરાવવા અપીલ કરાઈ છે.