વરસાદ બાદ પશુઓને શ્વાસની બીમારીથી બચાવવા ૧૫૦૦ પશુઓને રસી આપી
વરસાદ બાદ પશુઓને શ્વાસની બીમારીથી બચાવવા ૧૫૦૦ પશુઓને રસી આપી
Published on: 08th July, 2026

જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે માંગરોળ, માળીયા, કેશોદ વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પડ્યો છે. ખાસ કરીને માંગરોળમાં ૪૦ ઇંચ વરસાદ નોંધાયો, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આરોગ્ય વિભાગે ઘરે-ઘરે જઈ તપાસ અને દવા વિતરણ શરૂ કર્યું છે. વરસાદ બાદ પશુઓમાં ગળસુંઢો (સાકારડો) રોગ થવાની શક્યતા છે, જેમાં શ્વસન માર્ગ સાંકડો થતાં શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને મોત પણ થઈ શકે છે. પશુપાલન વિભાગે ૧૫૦૦થી વધુ પશુઓને ગળસુંઢોની રસી આપી છે અને આ રસીકરણ કાર્ય હજુ ચાલુ છે.