હડકવા વાયરસથી મગજને થતી જીવલેણ અસર
હડકવા વાયરસથી મગજને થતી જીવલેણ અસર
Published on: 06th September, 2026

પાટણના સાંતલપુરના વૌવા ગામે હડકાયા શ્વાનના હુમલાથી ૧૭ લોકો અને ૩૦થી વધુ પશુઓ ઘાયલ થયા. હડકવા રોગ મૃત્યુદર ૯૯.૯% છે. દિવ્ય ભાસ્કરે નિષ્ણાત સાથે મળી હડકવા વાયરસ ચેતાતંત્રના માર્ગે પ્રતિદિન ૧૨થી ૧૦૦ મિલીમીટર ઝડપે મગજ તરફ કેવી રીતે વધે છે અને શ્વાન હિંસક કેમ બને છે તેનું વિશ્લેષણ કર્યું. અજાણ્યા પ્રાણીથી દૂર રહેવું, કરડ્યા બાદ તરત સાબુ-પાણીથી ૧૫ મિનિટ ધોવું, એન્ટિસેપ્ટિક લગાવવું અને તાત્કાલિક Anti-Rabies Vaccine (ARV) લેવી આવશ્યક છે.