પ્રિયંકા ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર
પ્રિયંકા ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર
Published on: 12th August, 2026

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ રામ મંદિરના ચઢાવાના મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપે ચૂંટણી પહેલા રામ મંદિરના નામે રાજકીય લાભ લીધો, પરંતુ હવે સંસદમાં જવાબ આપવાથી બચી રહી છે. પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે, સરકાર આ મુદ્દાને રાજ્યનો વિષય કહીને જવાબદારીમાંથી છટકી રહી છે. તેમણે દેશભરમાં થઈ રહેલા પ્રદર્શન અને પ્રદર્શનકારીઓ પર થયેલા બળપ્રયોગની પણ નિંદા કરી.