મુંબઈના જૈન સાધુઓ માટે દોરાયેલા સફેદ પટ્ટા મામલે વિવાદ વકર્યો
મુંબઈના જૈન સાધુઓ માટે દોરાયેલા સફેદ પટ્ટા મામલે વિવાદ વકર્યો
Published on: 10th June, 2026

મુંબઈના ઘાટકોપર વેસ્ટમાં જૈન સાધુઓના ચાતુર્માસ દરમિયાન સ્વાગત માટે ઈમારત પરિસરમાં દોરાયેલા સફેદ કલરના પટ્ટાને લઈને વિવાદ ઊભો થયો છે. સોશિયલ મિડિયા ઇન્ફ્લુએન્સર પ્રસાદ વેદપાઠકે આ રેખાનો વિરોધ નોંધાવ્યો છે. જૈન સમુદાય મુજબ, ચોમાસામાં શેવાળને કારણે લપસી ન જાય અને ધોમધખતા તાપમાં રાહત મળે તે માટે આ પરંપરા છે. આ રેખાઓ સોસાયટી કમિટીની મંજૂરી બાદ જ દોરાય છે. વેદપાઠકે જાહેર જગ્યાએ આવી નિશાની દોરવાનો વિરોધ કર્યો છે અને જમીન સંબંધિત દાવો કર્યો છે. સ્થાનિક રહેવાસીઓએ વિવાદને અનુચિત ગણાવ્યો છે.