વરિષ્ઠ નાગરિકો માટે દેશનું પહેલું અલગ મંત્રાલય!
વરિષ્ઠ નાગરિકો માટે દેશનું પહેલું અલગ મંત્રાલય!
Published on: 30th May, 2026

કેરળમાં ઝડપથી વધી રહેલી વૃદ્ધ વસ્તીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વરિષ્ઠ નાગરિકો માટે અલગ મંત્રાલય બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે, જે દેશમાં પ્રથમ પ્રકારની પહેલ માનવામાં આવે છે. સરકારનું માનવું છે કે વૃદ્ધોના સ્વાસ્થ્ય, આર્થિક સુરક્ષા, એકલતા અને સામાજિક સન્માન જેવા મુદ્દાઓને હવે માત્ર કલ્યાણ યોજનાઓ સુધી મર્યાદિત રાખી શકાય નહીં. હાલમાં કેરળમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકોની સંખ્યા રાજ્યની કુલ વસ્તીના 16.5% જેટલી છે અને 2031 સુધીમાં તે 20.9% થવાનો અંદાજ છે. સરકાર દ્વારા ‘વયોમિત્રમ’, ‘વયો અમૃતમ’ અને વિશેષ વૃદ્ધ બજેટ જેવી યોજનાઓ પણ અમલમાં છે, જે વૃદ્ધોના જીવનને વધુ સુરક્ષિત અને સન્માનજનક બનાવવા પર કેન્દ્રિત છે.