CBSE માં મોટી કાર્યવાહી: ચેરમેન-સચિવની બદલી, OSM વિવાદની તપાસ માટે કમિટી બનાવાઈ
CBSE માં મોટી કાર્યવાહી: ચેરમેન-સચિવની બદલી, OSM વિવાદની તપાસ માટે કમિટી બનાવાઈ
Published on: 02nd June, 2026

CBSE ની આંતરિક વ્યવસ્થા અને હાલના વિવાદોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. પરીક્ષાઓના મેનેજમેન્ટ અને મૂલ્યાંકન પ્રક્રિયામાં ટેકનિકલ તેમજ વ્યવહારિક ખામીઓ અંગે જવાબદારી નક્કી કરવા માટે CBSE ના ચેરમેન રાહુલ સિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાની તાત્કાલિક અસરથી બદલી કરી દેવાઈ છે. 'ઓન-સ્ક્રીન માર્કિંગ' (OSM) સેવાઓની ખરીદી અને ટેન્ડર પ્રક્રિયાની તપાસ માટે એક વિશેષ સમિતિ બનાવાઈ છે, જેના અધ્યક્ષ ક્ષમતા નિર્માણ આયોગ (Capacity Building Commission) ના ચેરપર્સન એસ. રાધા ચૌહાણ રહેશે. આ સમિતિને ૧ મહિનામાં પોતાનો રિપોર્ટ સોંપવાનો રહેશે.