નોર્વેની પત્રકારનો ખુલાસો: મોદીને શા માટે પૂછ્યા સવાલો
નોર્વેની પત્રકારનો ખુલાસો: મોદીને શા માટે પૂછ્યા સવાલો
Published on: 21st May, 2026

નરેન્દ્ર મોદીના નોર્વે પ્રવાસ દરમિયાન સ્થાનિક પત્રકાર Hella Langએ પ્રેસ બ્રિફિંગ બાદ તેમને સવાલ પૂછવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મોદી જવાબ આપ્યા વગર આગળ વધી ગયા હતા. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી હતી. બાદમાં હેલા લેંગે કહ્યું કે પત્રકાર તરીકે સવાલ પૂછવું તેમની ફરજ છે, ખાસ કરીને જ્યારે કોઈ શક્તિશાળી દેશનો વડા સંબંધ મજબૂત કરવા આવે. સોશિયલ મીડિયા પર તેમના આ પગલાની પ્રશંસા થઈ રહી છે અને અનેક લોકોએ તેમની હિંમતને બિરદાવી છે.