સેમસનની ફ્લોપ ઈનિંગ્સ બાદ વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી પર દિનેશ કાર્તિકે આપ્યું મોટું નિવેદન
સેમસનની ફ્લોપ ઈનિંગ્સ બાદ વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી પર દિનેશ કાર્તિકે આપ્યું મોટું નિવેદન
Published on: 02nd July, 2026

ઈંગ્લેન્ડ સામે પ્રથમ T20માં સંજૂ સેમસન ફરી નિષ્ફળ જતાં તેની ફોર્મ પર સવાલો ઉઠ્યા છે અને 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને તક આપવાની માંગ વધી છે. જોકે પૂર્વ ભારતીય ક્રિકેટર દિનેશ કાર્તિકનું માનવું છે કે ટીમ મેનેજમેન્ટે ઉતાવળ ન કરવી જોઈએ અને અનુભવી સેમસનને વધુ તક આપવી જોઈએ. તેમણે વૈભવના ટેલેન્ટના વખાણ કરતાં કહ્યું કે પ્રદર્શનના આધારે જ ટીમમાં સ્થાન મળવું જોઈએ. હવે 4 જુલાઈની બીજી T20માં કોને તક મળે છે તેના પર સૌની નજર રહેશે.