37.5 ટન રાહત સામગ્રી સાથે ભારતે બીજી વિમાન ખેપ નેપાળ મોકલી
37.5 ટન રાહત સામગ્રી સાથે ભારતે બીજી વિમાન ખેપ નેપાળ મોકલી
Published on: 27th August, 2026

નેપાળમાં થયેલ પ્રચંડ તબાહી બાદ, ભારતે તાત્કાલિક સહાયતા પૂરી પાડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન બાલેન શાહ સાથે વાત કરી તમામ સહાયની ખાતરી આપી હતી, જેના બદલ શાહે ભારતનો આભાર માન્યો હતો. આજે (ગુરૂવારે) ૩૭.૫ મે. ટન રાહત સામગ્રી, જેમાં દવાઓ, ખાધ્ય પદાર્થો અને કપડાં જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ હતી, તે સી-૧૩૦ વિમાન દ્વારા નેપાળ મોકલાઈ. આ બીજી વિમાન ખેપ હતી, જેમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું કે ભારત કઠમંડુ સાથે મજબૂત રીતે ઉભું રહેશે.