ભારતનો મોટો નિર્ણય: બળજબરી મજૂરીથી બનેલી વિદેશી ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ.
ભારતે વિદેશ વ્યાપાર નીતિમાં નોંધપાત્ર ફેરફાર કરીને બળજબરીપૂર્વકની મજૂરી (Forced Labour) થી બનેલી વિદેશી ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂકવાની કાનૂની જોગવાઈ ઉમેરી છે. આ પગલું વૈશ્વિક માનવાધિકારના ધોરણો, પારદર્શક સપ્લાય ચેઈન અને જવાબદાર વ્યાપાર (Responsible Trade) ને પ્રોત્સાહન આપશે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) ને આવા ઉત્પાદનોની તપાસ અને આયાત પર પ્રતિબંધ મૂકવાની સત્તા આપવામાં આવી છે. પ્રથમ વખત બળજબરીપૂર્વકની મજૂરીની સ્પષ્ટ વ્યાખ્યા પણ સામેલ કરાઈ છે.
ભારતનો મોટો નિર્ણય: બળજબરી મજૂરીથી બનેલી વિદેશી ચીજવસ્તુઓની આયાત પર પ્રતિબંધ.
ભારત સામે નવો પડકાર; પાકિસ્તાન પર રશિયા-ચીન થયું મહેરબાન!
રશિયા અને ચીનના રાજદૂતોએ પાકિસ્તાનની વ્યૂહાત્મક સ્થિતિની પ્રશંસા કરતા તેને એક મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું છે. રશિયા-ચીન મૈત્રીપૂર્ણ સહયોગની 25મી વર્ષગાંઠ નિમિત્તે લખેલા સંયુક્ત લેખમાં આ વાત કહેવાઈ છે. રાજદૂતોએ પાકિસ્તાન સાથેના સંબંધોને મજબૂત કરવાની અને ભવિષ્યમાં સહયોગ વધારવાની જાહેરાત કરી છે. બંને દેશો પાકિસ્તાનની વ્યૂહાત્મક સ્થિતિને યુરેશિયન વેપાર અને ઊર્જા કોરિડોરમાં મહત્વપૂર્ણ કડી ગણાવે છે. આંતરરાષ્ટ્રીય મંચો અને અફઘાનિસ્તાનમાં સ્થિરતા માટે પણ સહયોગની વાત કરી છે, જે ભારત માટે નવો પડકાર બની શકે છે.
ભારત સામે નવો પડકાર; પાકિસ્તાન પર રશિયા-ચીન થયું મહેરબાન!
તિરુપતિ બાલાજી મંદિરે દાનમાં ઈતિહાસ રચ્યો!
તિરૂમલા સ્થિત શ્રી વેંકટેશ્વર (તિરૂપતિ બાલાજી) મંદિરમાં 24 કલાકમાં 96.98 કરોડ રૂપિયાનું અભૂતપૂર્વ દાન પ્રાપ્ત થયું. આ રેકોર્ડ દાન પાછળ તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમ (TTD) ની નવી ડોનર પોલિસી છે, જે 15 જુલાઈથી લાગુ થઈ છે. આ નવી પોલિસી હેઠળ દાતાઓને મળતી આજીવન સુવિધાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે હજારો શ્રદ્ધાળુઓએ જૂના નિયમો હેઠળ લાભો સુરક્ષિત કરવા માટે નવી પોલિસી અમલમાં આવે તે પહેલાં જ મોટું દાન કર્યું. 2,460 દાતાઓએ આ દાનમાં યોગદાન આપ્યું હતું.
તિરુપતિ બાલાજી મંદિરે દાનમાં ઈતિહાસ રચ્યો!
દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં કેજરીવાલ અને સિસોદિયા ફરી મુશ્કેલીમાં!
દિલ્હી હાઈકોર્ટે કથિત દારૂ નીતિ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને દુર્ગેશ પાઠકને CBIની અરજી પર પોતાનો જવાબ દાખલ કરવા માટે બે અઠવાડિયાનો સમય આપ્યો છે. આ અરજીમાં નીચલી અદાલતના નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો છે. વકીલોની હડતાળને કારણે સુનાવણી ટળી હતી. હવે 17 અને 18 ઓગસ્ટે CBIની દલીલો સાંભળવામાં આવશે. CBIએ ઝડપી સુનાવણીની માંગ કરી હતી, પરંતુ જસ્ટિસ મનોજ જૈને સાંસદો/ધારાસભ્યોના કેસો પેન્ડિંગ હોવાનું જણાવીને જુલાઈના અંતમાં સુનાવણી શક્ય ન હોવાનું જણાવ્યું.
દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં કેજરીવાલ અને સિસોદિયા ફરી મુશ્કેલીમાં!
TMCમાં બળવાખોરોને મમતાનું અલ્ટીમેટમ!
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં રાજીનામાનો સિલસિલો ચાલુ છે. તાજેતરમાં રાજ્યસભા સાંસદ કોયલ મલ્લિકે પદ છોડી દીધું છે. આ ઘટના બાદ મમતા બેનર્જીએ પાર્ટીના બાકી રહેલા નેતાઓને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, જે લોકો પાર્ટી છોડવા માંગે છે, તેઓ 21 જુલાઈ પહેલા જ જતા રહે. મમતાએ આરોપ લગાવ્યો કે ઘણા નેતાઓ પર રાજકીય દબાણ લાવીને પક્ષપલટો કરાવવામાં આવી રહ્યો છે. 21 જુલાઈ પછી TMC નવા સંકલ્પ સાથે આગળ વધશે, જે પાર્ટીનો શહીદ દિવસ કાર્યક્રમ હોય છે.
TMCમાં બળવાખોરોને મમતાનું અલ્ટીમેટમ!
જંતર-મંતર પર કેજરીવાલ-ડિમ્પલ યાદવની મુલાકાત
જંતર-મંતર ખાતે ઉપવાસ પર બેઠેલા સોનમ વાંગચુકને મળવા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ડિમ્પલ યાદવ પહોંચ્યા. કેજરીવાલે દેશના બાળકોના ભવિષ્ય માટે ઉપવાસ કરી રહેલા વાંગચુકને સલામ કરી. તેમણે પેપર લીક સામે અવાજ ઉઠાવનારાઓને પણ વંદન કર્યા. કેજરીવાલે ધર્મેન્દ્ર પ્રધાનને હટાવી સોનમ વાંગચુકને શિક્ષણ મંત્રી બનાવવાની માંગ કરી. NEET પેપર લીક અને પરીક્ષા પ્રણાલી પર પ્રશ્નો ઉઠાવ્યા, યુવાનોના આત્મવિશ્વાસમાં ઘટાડાની ચિંતા વ્યક્ત કરી.
જંતર-મંતર પર કેજરીવાલ-ડિમ્પલ યાદવની મુલાકાત
લાઠીમાં પુત્રીને મળવા જતાં વૃદ્ધને મહિલાએ હનીટ્રેપમાં ફસાવ્યો
અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં એક વૃદ્ધને લિફ્ટ આપવી ભારે પડી. પુત્રીને મળવા જતાં વૃદ્ધને એક મહિલાએ લિફ્ટ માંગી, અને ત્યારબાદ તેના સાગરીતો સાથે મળીને હનીટ્રેપમાં ફસાવ્યા. અપહરણ કરી, માર મારી, બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી ₹2.50 લાખની ખંડણી માંગી. આખરે, વૃદ્ધ પાસેથી ઓનલાઇન ₹58,000 પડાવી લીધા. ભયભીત વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
લાઠીમાં પુત્રીને મળવા જતાં વૃદ્ધને મહિલાએ હનીટ્રેપમાં ફસાવ્યો
કિરેન રિજિજૂ સાંભળતા નથી, તાત્કાલીક સર્વપક્ષીય બેઠક બોલાવો !
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને મહિલા અનામત અને સીમાંકન (પરિસીમન) બિલ અંગે ચર્ચા કરવા સર્વદળીય બેઠક બોલાવવાની વિનંતી કરી છે. તેમણે જણાવ્યું કે, અગાઉ કિરેન રિજિજૂને લખેલા પત્રોનો કોઈ પ્રતિસાદ મળ્યો નથી. સંવિધાન (131મો સુધારો) ખરડો, 2026 એપ્રિલમાં બહુમતીના અભાવે પસાર થઈ શક્યો ન હતો. સરકાર આ બિલનું સંશોધિત સંસ્કરણ રજૂ કરવાની તૈયારીમાં હોવાથી, ખડગેએ પીએમને વિનંતી કરી છે કે પ્રસ્તાવો પર ચર્ચા માટે બેઠક બોલાવવામાં આવે અને અભ્યાસ માટે પૂરતો સમય આપવામાં આવે.
કિરેન રિજિજૂ સાંભળતા નથી, તાત્કાલીક સર્વપક્ષીય બેઠક બોલાવો !
મેડિકલ લાયસન્સની આડમાં ડ્રગ્સનું મોટું નેટવર્ક
બનાસકાંઠામાં મેડિકલ લાયસન્સની આડમાં ચાલતા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. વાવ-થરાદ પોલીસે બે જગ્યાએ રેઇડ કરીને કુલ 8,060 નશાકારક ગોળીઓ ઝડપી પાડી છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 6.89 કરોડ રૂપિયાથી વધુ છે. પોલીસે મફાભાઈ રબારી અને વિક્રમભાઈ રાજપુત નામના બે આરોપીઓની ધરપકડ કરી છે. મફાભાઈ પોતાના મેડિકલ સ્ટોરના લાયસન્સનો દુરુપયોગ કરીને પ્રતિબંધિત ગોળીઓ ખરીદીને ગેરકાયદેસર વેચાણ કરતો હતો. આ રેડ દરમિયાન Drug Inspector અને FSL ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
મેડિકલ લાયસન્સની આડમાં ડ્રગ્સનું મોટું નેટવર્ક
પુરીમાં જગન્નાથ રથયાત્રામાં નાસભાગ, એક શ્રદ્ધાળુનું મોત!
ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ભક્તિભાવ સાથે પ્રારંભ થયો, પરંતુ પ્રથમ દિવસે ભારે ભીડમાં સર્જાયેલી અફરાતફરીમાં ગૂંગળામણથી એક શ્રદ્ધાળુનું મોત થયું અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા. બચાવ ટીમોએ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા અને સુરક્ષા વધારી. બીજી તરફ, પુરીમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાતા તંત્ર એલર્ટ પર છે. રથયાત્રાનો માર્ગ સુરક્ષિત રાખવા માટે પમ્પિંગ યુનિટ્સ અને વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.
પુરીમાં જગન્નાથ રથયાત્રામાં નાસભાગ, એક શ્રદ્ધાળુનું મોત!
નવમા ધોરણના વિદ્યાર્થીઓ પર બોજ ના નાંખશો: થ્રી લેંગ્વેજ વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે CBSEની ધોરણ-9થી ત્રીજી ભાષા શરૂ કરવાની નીતિ પર સવાલ ઉઠાવી કેન્દ્રને પુનર્વિચાર કરવાની સલાહ આપી છે. કોર્ટે જણાવ્યું કે બોર્ડ પરીક્ષાઓ પહેલાં નવી ભાષા ઉમેરવાથી વિદ્યાર્થીઓ પર વધારાનો બોજ પડે છે અને તે ધોરણ-6થી શરૂ કરવી વધુ યોગ્ય છે. તમિલનાડુની અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે NEPમાં હિન્દી ફરજિયાત નથી તે સ્પષ્ટ કર્યું. જવાહર નવોદય વિદ્યાલય મુદ્દે પણ ચર્ચા થઈ અને આગામી સુનાવણી 11 ઓગસ્ટે રાખવામાં આવી છે.
નવમા ધોરણના વિદ્યાર્થીઓ પર બોજ ના નાંખશો: થ્રી લેંગ્વેજ વિવાદમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
મોદી સરકારનું મિશન 360: 6 બેઠકોનું ટેન્શન, 19 જુલાઈએ સર્વપક્ષીય બેઠક
મોદી સરકાર ફરી એકવાર મહિલા અનામત બિલ અને લોકસભા બેઠકો વધારવા માટેના Delimitation Billને પસાર કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સંસદના ચોમાસુ સત્ર પહેલા 'મિશન-360'ના લક્ષ્યથી હજુ 6 ડગલાં દૂર છે. આ માટે 19 જુલાઈએ તમામ રાજકીય પક્ષોની એક મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. બંધારણીય સુધારા માટે જરૂરી બે તૃત્યાંશ બહુમતી (360 સભ્યો) મેળવવા સરકાર પ્રયાસરત છે. હાલ NDA પાસે 293 સાંસદોનું સમર્થન છે, પરંતુ લક્ષ્યથી 6 સાંસદો પાછળ છે.
મોદી સરકારનું મિશન 360: 6 બેઠકોનું ટેન્શન, 19 જુલાઈએ સર્વપક્ષીય બેઠક
મોદી સરકારનું મિશન-360: મેજિક નંબરથી માત્ર 6 ડગલાં દૂર...
20 જુલાઈથી શરૂ થનારા સંસદના ચોમાસુ સત્રમાં મોદી સરકાર સીમાંકન અને મહિલા અનામત બિલ ફરી રજૂ કરી શકે છે. બિલ પાસ કરવા માટે બે-તૃતિયાંશ બહુમતી એટલે કે 360 સાંસદોના સમર્થનની જરૂર છે. હાલ NDA પાસે પૂરતી સંખ્યા નથી અને વધારાના સમર્થન માટે પ્રયાસો ચાલી રહ્યા છે. ભાજપે વ્યૂહરચના તેજ કરી છે, જ્યારે કોંગ્રેસ સહિત વિપક્ષ પણ સરકારને ઘેરવાની તૈયારીમાં છે. સત્ર પહેલાં 19 જુલાઈએ સર્વપક્ષીય બેઠક યોજાશે.
મોદી સરકારનું મિશન-360: મેજિક નંબરથી માત્ર 6 ડગલાં દૂર...
રશિયા ભારત પાસેથી પેટ્રોલ ખરીદશે?
યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક એનર્જી માર્કેટમાં બદલાવ આવ્યો છે. અત્યાર સુધી ક્રૂડ ઓઇલ સપ્લાય કરનાર રશિયા, હવે ભારત પાસેથી રિફાઇન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ (પેટ્રોલ-ડીઝલ) ખરીદી રહ્યું છે. રશિયાની રિફાઇનરીઓ પર યુક્રેનના ડ્રોન હુમલાને કારણે તેની રિફાઇનિંગ ક્ષમતાને નુકસાન થયું છે, જેના લીધે સ્થાનિક સ્તરે ઇંધણની અછત સર્જાઈ છે. રશિયાનું ગેસોલિન ઉત્પાદન છેલ્લા 21 વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચ્યું છે. આ સ્થિતિમાં, રશિયા દર મહિને ભારત પાસેથી 4,000,000 ટન ઇંધણ આયાત કરવાની યોજના ધરાવે છે. ગુજરાતની 'નાયારા એનર્જી' રિફાઇનરી દ્વારા આ વેપાર થઈ રહ્યો છે, જે ભારતીય રિફાઇનર્સ માટે મોટી કમાણીની તક છે.
રશિયા ભારત પાસેથી પેટ્રોલ ખરીદશે?
રાજકોટના મોરબી રોડ પર બલ્ક પાઈપલાઈન પર ગેરકાયદેસર રેસીડેન્સી
રાજકોટના મોરબી રોડ પર ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ (GWIL) ની નર્મદા આધારિત પીવાના પાણીની બલ્ક પાઈપલાઈન પર 'શાનદાર રેસીડેન્સી'નું ગેરકાયદે બાંધકામ થયું છે. અરજદાર સંજય રાઠોડે GWIL ને લેખિત ફરિયાદ કરી છે કે તાજેતરમાં મંજૂર થયેલી ટીપી સ્કીમ નં.14 માં પણ આ પાઈપલાઈન દેખાતી નથી. ગુજરાત વોટર એન્ડ પાઇપલાઇન એક્ટ-2000 મુજબ, પાઈપલાઈન પર કોઈપણ પ્રકારનું બાંધકામ મનાઈ છે. આ નિયમનો ભંગ થતાં કલેક્ટર પગલાં લઈ શકે છે. મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગની મિલીભગતથી આ બાંધકામ થયાનું જણાય છે.
રાજકોટના મોરબી રોડ પર બલ્ક પાઈપલાઈન પર ગેરકાયદેસર રેસીડેન્સી
જેલોમાં બંધ ગંભીર બીમાર કેદીઓ માટે મોટા સમાચાર
સુપ્રીમ કોર્ટે જેલમાં બંધ વૃદ્ધ અને ગંભીર બીમારીઓથી પીડાતા કેદીઓ માટે માનવીય અભિગમ અપનાવ્યો છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 70 વર્ષથી વધુ ઉંમરના, અસાધ્ય બીમારીથી પીડિત અથવા શારીરિક રીતે અક્ષમ કેદીઓની સમય કરતાં વહેલી મુક્તિ માટે આગામી 3 મહિનામાં સ્પષ્ટ અને પારદર્શક નીતિ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. આ નીતિમાં પાત્રતા, અસાધ્ય બીમારીની વ્યાખ્યા અને મેડિકલ બોર્ડ દ્વારા તપાસ જેવી બાબતોનો સમાવેશ થશે. સમગ્ર પ્રક્રિયા 'ઇ-પ્રિઝન્સ' પોર્ટલ પર ડિજિટલ થશે.
જેલોમાં બંધ ગંભીર બીમાર કેદીઓ માટે મોટા સમાચાર
તૃણમૂલ કોંગ્રેસને મોટો ઝટકો: રાજ્યસભા સાંસદ કોયલ મલિકનું રાજીનામું
પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ને ફરી એક મોટો ઝટકો લાગ્યો છે. પક્ષના જાણીતા નેતા અને અભિનેત્રી કોયલ મલિકે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામું મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળના પક્ષમાંથી ધારાસભ્યો અને સાંસદોના સતત પક્ષપલટા વચ્ચે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોયલ મલિકે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સી. પી. રાધાકૃષ્ણન સમક્ષ પોતાનું રાજીનામું સુપરત કર્યું. આ ઘટના મદન મિત્રાના પક્ષ છોડવાના એક દિવસ બાદ બની છે.
તૃણમૂલ કોંગ્રેસને મોટો ઝટકો: રાજ્યસભા સાંસદ કોયલ મલિકનું રાજીનામું
US ફેડની નવી ટીમમાં 3 ભારતીયોને સ્થાન, RBIના પૂર્વ ગવર્નર સહિત દિગ્ગજોનો સમાવેશ
અમેરિકન ફેડરલ રિઝર્વ (Fed) એ નાણાકીય નીતિ (Monetary Policy)ની સમીક્ષા માટે પાંચ ટાસ્ક ફોર્સની રચના કરી છે, જેમાં ભારતીય મૂળના ત્રણ દિગ્ગજ નિષ્ણાતોનો સમાવેશ કરાયો છે. RBI ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન, હાર્વર્ડના અર્થશાસ્ત્રી રાજ ચેટ્ટી અને માઇક્રોસોફ્ટના એક્ઝિક્યુટિવ આશા શર્માને આ મહત્વપૂર્ણ ભૂમિકાઓ સોંપવામાં આવી છે. આ ટાસ્ક ફોર્સ કોમ્યુનિકેશન, બેલેન્સ શીટ પોલિસી, ડેટા, પ્રોડક્ટિવિટી એન્ડ જોબ્સ, અને ઇન્ફ્લેશન ફ્રેમવર્ક જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
US ફેડની નવી ટીમમાં 3 ભારતીયોને સ્થાન, RBIના પૂર્વ ગવર્નર સહિત દિગ્ગજોનો સમાવેશ
સંજય રાઉત અને સુપ્રિયા સુલે બાદ હવે સીમાંકન બિલ પર વિપક્ષનું ટેન્શન વધ્યું
લોકસભામાં સીમાંકન બિલ પસાર કરવા માટે નરેન્દ્ર મોદી સરકારને વિરોધ પક્ષના નેતાઓ તરફથી સમર્થનના સંકેત મળી રહ્યા છે. શિવસેના (UBT) ના સંજય રાઉતે જણાવ્યું છે કે જો સરકાર તેમની સૂચવેલી સુધારા કરે તો તેમની પાર્ટી સીમાંકન બિલને સમર્થન આપી શકે છે. આ પહેલા NCP (શરદ પવાર)ના નેતા સુપ્રિયા સુલે પણ સમાન નિવેદન આપ્યું હતું. આ વિકાસથી વિપક્ષી ગઠબંધન INDIAની અંદર ચિંતા વધી છે, કારણ કે સીમાંકન બિલના વિરોધ અંગે તેમનું એકસમાન વલણ જાળવી રાખવું મુશ્કેલ બન્યું છે.
સંજય રાઉત અને સુપ્રિયા સુલે બાદ હવે સીમાંકન બિલ પર વિપક્ષનું ટેન્શન વધ્યું
CSK ના નવા કોચની શોધ: આર. અશ્વિને ધોનીને શ્રેષ્ઠ વિકલ્પ ગણાવ્યો
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને સ્ટીફન ફ્લેમિંગે પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે, જેના કારણે IPL ઇતિહાસના સૌથી સફળ કોચ પૈકી એક એવા ફ્લેમિંગના 17 વર્ષના કાર્યકાળનો અંત આવ્યો છે. હવે ફ્રેન્ચાઈઝી નવા હેડ કોચની શોધમાં છે. ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને આ અંગે જણાવ્યું કે, જો મહેન્દ્ર સિંહ ધોની કોચિંગની જવાબદારી સંભાળવા તૈયાર થાય, તો CSK માટે તેમનાથી શ્રેષ્ઠ વિકલ્પ બીજો કોઈ નહીં હોય. ફ્લેમિંગ અને ધોનીની સફળ ભાગીદારી બાદ હવે CSKએ ભવિષ્ય તરફ જોવાની જરૂર છે.
CSK ના નવા કોચની શોધ: આર. અશ્વિને ધોનીને શ્રેષ્ઠ વિકલ્પ ગણાવ્યો
સુરતના ડાયમંડ કિંગ ધીરુ રામાણી 3 મહિના બાદ અલ-કાયદાની કેદમાંથી છુટ્યા!
પશ્ચિમ આફ્રિકાના દેશ માલીમાં આશરે 3 મહિના પહેલાં અપહરણ કરાયેલા સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગપતિ ધીરુ રામાણીનો આખરે હેમખેમ છુટકારો થયો છે. અપહરણકારોએ 100 કરોડ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ અંતે 4 મિલિયન યુરો એટલે કે આશરે રૂ. 44 કરોડની જંગી ખંડણી ચૂકવ્યા બાદ તેમનો છુટકારો થયો છે. 75 વર્ષીય ધીરુ રામાણી એક મોટા ગોલ્ડ માઇનિંગ પ્રોજેક્ટના સંચાલન માટે માલી ગયા હતા. તેમના રસોઈયા અને ઇલેક્ટ્રિશિયનનું પણ અપહરણ થયું હતું. પરિવારે જ સરકારી મદદ વિના આ સોદો કર્યો.
સુરતના ડાયમંડ કિંગ ધીરુ રામાણી 3 મહિના બાદ અલ-કાયદાની કેદમાંથી છુટ્યા!
ચોમાસું સત્ર: કોંગ્રેસ બંધારણ સુધારા, સીમાંકન બિલ સહિત અનેક મુદ્દાઓનો વિરોધ કરશે
સંસદના ચોમાસા સત્ર પહેલા કોંગ્રેસે પોતાની વ્યૂહરચના સ્પષ્ટ કરી છે. પાર્ટી સંસદીય વ્યૂહરચના સમિતિની બેઠક બાદ જણાવ્યું કે, તેઓ બંધારણીય સુધારા, સીમાંકન, 'વન નેશન, વન ઈલેક્શન' અને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદામાં સૂચિત ફેરફારો જેવા સરકારના મુખ્ય વિધેયકોનો વિરોધ કરશે. કોંગ્રેસના મતે, સરકાર સંભવિત વિધેયકો અંગે પૂરતી માહિતી આપી રહી નથી. તેઓ 19 જુલાઈએ સર્વપક્ષીય બેઠકમાં સરકાર પાસે આ માહિતી માંગશે. કોંગ્રેસ આ મુદ્દાઓ પર અન્ય વિપક્ષી પાર્ટીઓને પણ એકત્રિત કરવાનો પ્રયાસ કરશે.
ચોમાસું સત્ર: કોંગ્રેસ બંધારણ સુધારા, સીમાંકન બિલ સહિત અનેક મુદ્દાઓનો વિરોધ કરશે
વડોદરાના નવા પ્રતાપનગર સ્ટેશન પાસે બસ-પાર્કિંગ સુવિધાના અભાવે માથાભારે તત્વો દ્વારા લૂંટ
વડોદરાના નવા પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતે બસ અને પાર્કિંગની સુવિધા ન હોવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ટ્રાફિક પોલીસની મિલીભગતથી રિક્ષાચાલકો અને સ્થાનિક માથાભારે તત્વો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે. રેલવે સ્ટેશન નજીક કોર્પોરેશનની માલિકીની જમીનમાં ગેરકાયદે પાર્કિંગ કરીને વાહન દીઠ રૂ. 20 વસૂલવામાં આવે છે, જેનાથી આવા તત્વો રોજ હજારો રૂપિયા કમાઈ રહ્યા છે. આ ઉપરાંત, રેલવે સ્ટેશન પર ટ્રેનોના પ્લેટફોર્મ પણ મનસ્વી રીતે બદલવામાં આવે છે, જેના કારણે મુસાફરોને ભાગદોડ કરવી પડે છે.
વડોદરાના નવા પ્રતાપનગર સ્ટેશન પાસે બસ-પાર્કિંગ સુવિધાના અભાવે માથાભારે તત્વો દ્વારા લૂંટ
ભરૂચમાં હિટ એન્ડ રન
ભરૂચના વાલિયા તાલુકા નજીક બાઈક સવાર યુવકને અજાણ્યા વાહને અડફેટે લેતાં ગંભીર ઈજાઓ થઈ હતી. ૨૩ વર્ષીય ધવલ પ્રવીણભાઈ વસાવાને પ્રથમ ભરૂચ સિવિલ અને ત્યારબાદ વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. સયાજી હોસ્પિટલના ICU વોર્ડમાં સારવાર દરમિયાન આજે તેમનું મોત થયું. વાલિયા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી અજાણ્યા વાહનચાલકની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચમાં હિટ એન્ડ રન
હોર્મુઝની સામુદ્રધુનીમાં ભારતીય નાવિકોની તૈનાતી પર સરકારનો કડક પ્રતિબંધ
અમેરિકા અને ઈરાન વચ્ચેના વધતા તણાવ અને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz)માં ભારતીય નાવિકોના મોતના પગલે, ભારત સરકારે શિપિંગ કંપનીઓ માટે કડક એડવાઇઝરી જાહેર કરી છે. આગામી આદેશ સુધી, આ માર્ગ પરથી પસાર થતા કોઈપણ જહાજ પર ભારતીય નાવિકોની તૈનાતી ન કરવા સૂચના અપાઈ છે. ડાયરેક્ટોરેટ જનરલ ઓફ મેરિટાઇમ એડમિનિસ્ટ્રેશન (DGMA) એ ભારતીય નાવિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવી આ નિર્ણય લીધો છે. આ ક્ષેત્રમાં કોમર્શિયલ જહાજો પર થઈ રહેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે.
હોર્મુઝની સામુદ્રધુનીમાં ભારતીય નાવિકોની તૈનાતી પર સરકારનો કડક પ્રતિબંધ
પરિસીમન બિલ: મોદી સરકાર DMK ના સમર્થન પર કેમ નિર્ભર?
આગામી સંસદ ચોમાસું સત્રમાં NDA સરકાર મહિલા અનામત અને લોકસભા બેઠકો વધારવા સંબંધિત બે મુખ્ય બંધારણીય સુધારા બિલ પાસ કરાવવા પ્રયાસરત છે. એપ્રિલમાં થયેલી નિષ્ફળતા બાદ, આ બિલ માટે જરૂરી બે-તૃતીયાંશ બહુમતી (360 સાંસદો) મેળવવા સરકારે DMK (22 સાંસદો) ના સમર્થન પર આધાર રાખવો પડી રહ્યો છે. DMK, જે દક્ષિણના રાજ્યોના હિતોના રક્ષણ માટે આ બિલનો વિરોધ કરી રહી છે, તે 'કિંગમેકર' બની ગઈ છે. રાજકીય ગણતરીઓ બદલાઈ રહી છે, અને સરકાર DMK ની ચિંતાઓ દૂર કરવા તૈયાર છે.
પરિસીમન બિલ: મોદી સરકાર DMK ના સમર્થન પર કેમ નિર્ભર?
રાજકોટના મેટોડા GIDCમાં કારખાનાની ઓરડીમાંથી રૂ.29 હજારના ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા
રાજકોટની ભાગોળે મેટોડા GIDC ખાતે આવેલ એક કારખાનાની ઓરડીમાંથી રૂરલ એસઓજી ટીમે દરોડો પાડી રૂ.29,850 ની કિંમતનો 597 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. આ ઘટનામાં મૂળ મધ્યપ્રદેશના બે શ્રમિકો, શિવા રાજુ બેલે અને અંકિત રામજી બેલે, ને ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં તેઓએ કબૂલ્યું કે તેઓ પોતે ગાંજાના બંધાણી હોવાથી પોતાના નશા માટે વતનથી ગાંજો લઇ આવ્યા હતા. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટના મેટોડા GIDCમાં કારખાનાની ઓરડીમાંથી રૂ.29 હજારના ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા
રાજકોટના હિંગોળગઢ વીડીમાંથી રૂ.25.60 લાખનો દારૂ રેઢો મળ્યો
રૂરલ એલસીબી ટીમે હિંગોળગઢ નજીક વીડીમાંથી રૂ. 25.60 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. પેટ્રોલિંગ દરમિયાન 3732 બોટલ દારૂ મળ્યો, પરંતુ કોઈ શખ્સ હાજર ન હતો. રાજકોટ રેન્જ ડીઆઈજી અને જિલ્લા પોલીસ અધિક્ષકના નિર્દેશોના પગલે આ કાર્યવાહી કરવામાં આવી. પોલીસે દારૂ સપ્લાય કરનાર અને ઉતારનાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે. આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
રાજકોટના હિંગોળગઢ વીડીમાંથી રૂ.25.60 લાખનો દારૂ રેઢો મળ્યો
સ્ટ્રેટ ઓફ હોર્મુઝની જરૂર જ નહીં પડે?
મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે, ખાડી દેશો જેમ કે UAE, ઈરાક અને સાઉદી અરેબિયા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નિર્ભરતા ઘટાડવા માટે મહત્વાકાંક્ષી વૈકલ્પિક યોજનાઓ પર કામ કરી રહ્યા છે. આનાથી તેમના તેલ નિકાસને સુરક્ષિત રાખવામાં મદદ મળશે અને ઈરાનના પ્રભાવને મર્યાદિત કરી શકાશે. 2027 સુધીમાં, આ યોજનાઓ દ્વારા કુલ નિકાસનો 45% હિસ્સો વૈકલ્પિક માર્ગોથી મોકલી શકાશે, જે દરરોજ 73 લાખ બેરલ તેલની હેરફેર માટે નવી પાઇપલાઇનો અને પોર્ટ્સનું નિર્માણ કરશે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝની જરૂર જ નહીં પડે?
ગુજરાતમાં શિપબિલ્ડિંગ અને રિપેર ક્લસ્ટરને મંજૂરી
ગુજરાતના દરિયાકાંઠે શિપ ઇન્ડસ્ટ્રીને વેગ મળશે. પોર્ટ્સ મિનિસ્ટ્રી દ્વારા પોરબંદર અને વાડીનાર ખાતે મોટા પ્રોજેક્ટને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ છે. વાડીનાર ખાતે 1570 કરોડના ખર્ચે શિપ રિપેર ફેસિલિટી બનશે. આ પ્રોજેક્ટ્સ ગુજરાતના દરિયાઈ માળખાગત સુવિધાઓ અને ક્ષમતામાં વધારો કરશે. પોરબંદર ખાતે ગ્રીનફિલ્ડ શિપબિલ્ડિંગ ક્લસ્ટરનું નિર્માણ નેશનલ શિપબિલ્ડિંગ એન્ડ હેવી ઇન્ડસ્ટ્રીઝ પાર્ક-ગુજરાત દ્વારા થશે. આ પ્રોજેક્ટ્સ રોજગારીની નવી તકો પણ ઉભી કરશે.
ગુજરાતમાં શિપબિલ્ડિંગ અને રિપેર ક્લસ્ટરને મંજૂરી
સરકારી સ્કૂલમાં શરમજનક કૃત્ય: ₹500 ગુમ થતાં વિદ્યાર્થિનીઓના કપડાં ઉતરાવ્યા
રાજસ્થાનના ગંગાપુર સિટીમાં એક સરકારી શાળામાં હિન્દી શિક્ષિકાએ ₹500 ગુમ થયા બાદ ધોરણ 9 અને 11ની વિદ્યાર્થિનીઓને શંકાના આધારે રૂમમાં બંધ કરી કપડાં ઉતરાવી તલાશી લીધી. આ ઘટનાથી વિદ્યાર્થિનીઓ ભારે આઘાતમાં સરી પડી હતી. જાણ થતાં ગ્રામજનો અને વાલીઓએ શાળાને તાળાબંધી કરી આક્રોશ વ્યક્ત કર્યો. ઉચ્ચ અધિકારીઓએ કડક કાર્યવાહી કરતા એક શિક્ષિકાને સસ્પેન્ડ અને બીજીને કાર્યમુક્ત કરવામાં આવી છે.