કૈલાશ માન સરોવર જતાં યાત્રાળુઓએ ચીનના કોમન કિચનમાં જ ભોજન લેવું પડશે
કૈલાશ માન સરોવર જતાં યાત્રાળુઓએ ચીનના કોમન કિચનમાં જ ભોજન લેવું પડશે
Published on: 06th June, 2026

નેપાળ માર્ગે કૈલાશ માન સરોવર યાત્રાએ જતાં ભારતીય શ્રદ્ધાળુઓ માટે ચિંતાજનક સમાચાર છે. હવે યાત્રાળુઓએ ચીનના 'કોમન કિચન'માં જ જમવું પડશે, જે ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, યાત્રાળુ દીઠ રૂ. 25,000 સુધીનો વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે. આ કારણોસર વડાપ્રધાન કાર્યાલય (PMO) સુધી રજૂઆત કરવામાં આવી છે. અનેક યાત્રાળુઓ પોતાની ધાર્મિક માન્યતાઓ અને આરોગ્ય સંબંધિત જરૂરિયાતોને પ્રાધાન્ય આપતા હોવાથી આ નિર્ણયથી તેમને મુશ્કેલી પડી શકે છે.