મોદી અને ઉઝબેકિસ્તાન વચ્ચે યુરેનિયમ સહિત ૧૧ મહત્ત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર
મોદી અને ઉઝબેકિસ્તાન વચ્ચે યુરેનિયમ સહિત ૧૧ મહત્ત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર
Published on: 31st August, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવ વચ્ચે તાશ્કંદમાં યોજાયેલી બેઠક બાદ બંને દેશો વચ્ચેના સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં અપગ્રેડ થયા છે. આ મુલાકાત દરમિયાન, ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે સંરક્ષણ, વેપાર, અને કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) સહિત કુલ ૧૧ સમજૂતી કરારો (MoUs) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. એક મહત્વપૂર્ણ કરાર હેઠળ, ઉઝબેકિસ્તાન ભારતને લાંબા ગાળા માટે યુરેનિયમ સપ્લાય કરશે. બંને દેશોએ વાર્ષિક વેપાર લક્ષ્યાંક ૫ બિલિયન ડોલર નિર્ધારિત કર્યો છે.