પશ્ચિમ બંગાળમાં પ્રથમ PM જવાહરલાલ નહેરુની પ્રતિમા ખંડિત
પશ્ચિમ બંગાળમાં પ્રથમ PM જવાહરલાલ નહેરુની પ્રતિમા ખંડિત
Published on: 31st August, 2026

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની પ્રતિમાને તોડીને જંગલમાં ફેંકી દેવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાથી કોંગ્રેસમાં ભારે રોષ ફેલાયો છે. કોંગ્રેસે આ કૃત્યને ઇતિહાસ અને નેતાઓનું અપમાન ગણાવી ત્વરિત કાર્યવાહી અને પ્રતિમા પુનઃસ્થાપનની માગ કરી છે. દોષિતોની ધરપકડ નહિ થાય તો મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.