શરદ પવારના સાંસદોની PM મોદી સાથે મુલાકાત!
શરદ પવારના સાંસદોની PM મોદી સાથે મુલાકાત!
Published on: 10th August, 2026

શરદ પવાર જૂથના તમામ 8 લોકસભા સાંસદોએ સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આશરે અડધો કલાક ચાલેલી બેઠકમાં મહારાષ્ટ્રના દુષ્કાળ, સિંચાઈ, ખેડૂતોની આત્મહત્યા, શહેરીકરણ અને સ્થાનિક વિકાસ જેવા મુદ્દાઓ અંગે ચર્ચા થઈ. સાંસદોએ મહાત્મા ફુલે, સાવિત્રીબાઈ ફુલે, અન્ના ભાઉ સાઠે અને તુકડોજી મહારાજને ભારત રત્ન આપવાની તેમજ નવી મુંબઈ એરપોર્ટનું નામ ડી.વાય. પાટીલ એરપોર્ટ રાખવાની માંગ કરી. MPLAD ફંડમાં રાજ્ય સરકારના અસહકારનો મુદ્દો પણ ઉઠાવ્યો. મોદીએ સમસ્યાઓના ઉકેલનું આશ્વાસન આપ્યું.