રાજ્યસભામાં અમિત શાહના મૌન પર ખડગેએ ઉઠાવ્યા ગંભીર સવાલો
રાજ્યસભામાં અમિત શાહના મૌન પર ખડગેએ ઉઠાવ્યા ગંભીર સવાલો
Published on: 30th July, 2026

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગૃહમંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા. તેમણે ગૃહમાં અમિત શાહની ગેરહાજરી અને વિરોધીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી પર તેમના મૌન પર પ્રશ્ન ઉઠાવ્યો. ખડગેએ કહ્યું કે, "શું કોઈએ ગૃહમંત્રીનું મોં બંધ કરી દીધું છે?" તેમણે તાજેતરના "ચલો સંસદ" કૂચ દરમિયાન વિરોધીઓ પર થયેલી કાર્યવાહી અને જંતર મંતર પર વિદ્યાર્થીઓ સામે બળપ્રયોગ જેવા મુદ્દાઓ પર ગૃહમંત્રીના જવાબદારીની માંગ કરી.