ભારતીય જહાજ પર ચાંચિયાઓનો હુમલો: કેપ્ટનની સૂઝબૂઝથી ક્રૂનો બચાવ
ભારતીય જહાજ પર ચાંચિયાઓનો હુમલો: કેપ્ટનની સૂઝબૂઝથી ક્રૂનો બચાવ
Published on: 10th August, 2026

અદનની ખાડીમાં ભારતીય જહાજ પર ચાંચિયાઓએ હુમલો કર્યો હતો. જહાજના કેપ્ટને તાત્કાલિક તમામ ક્રૂ સભ્યોને સિટાડેલ નામના સુરક્ષિત રૂમમાં બંધ કરી દીધા હતા. આ સુરક્ષિત રૂમમાં પાણી અને ભોજનની વ્યવસ્થા હતી. ચાંચિયાઓએ આ રૂમ તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા અને જહાજ છોડીને ભાગી ગયા. આ ઘટનાને નેશનલ પોર્ટ સિક્યુરિટી કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવી, જ્યાં સોમાલીયાના ચાંચિયાઓના કબજામાં રહેલા ચાર જહાજો અને તેમના પર રહેલા ભારતીય ક્રૂ વિશે પણ ચર્ચા થઈ.