ઉ.ભારતમાં પ્રચંડ હીટવેવ : આઠ રાજ્યોમાં રેડ એલર્ટ!
ઉત્તર ભારત આખુ અગનભઠ્ઠી બની ગયું છે અને મોટાભાગના સ્થળોએ ૪૫થી ૪૮ ડિગ્રી તાપમાન છે ત્યારે હવામાન વિભાગે હજી પણ પ્રચંડ હીટવેવની આગાહી કરી છે. આઠ રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કરી દેવાયું છે. ઉત્તરપ્રદેશનું બાંદા ૪૭.૬ ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર છે. આ બધા વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ છે અને વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડતા ૬૦ ઘેટા મરી ગયા હતા. બીજી બાજુએ કેદારનાથમાં ભૂસ્ખલનમાં ૧૦ હજાર યાત્રાળુઓને માંડ-માંડ બચાવાયા હતા.
ઉ.ભારતમાં પ્રચંડ હીટવેવ : આઠ રાજ્યોમાં રેડ એલર્ટ!
ટ્વિશા શર્મા કેસમાં સાસુ નિવૃત્ત જજ હોવાથી તપાસ દબાવવાનો પ્રયાસ?
33 વર્ષીય ટ્વિશા શર્માના શંકાસ્પદ મોત અને દહેજ ઉત્પીડન મામલે Supreme Court of Indiaએ સુઓ મોટો સંજ્ઞાન લીધું છે. સૂર્યકાંતની આગેવાની હેઠળની ત્રણ જજોની બેન્ચ 25 મેના રોજ સુનાવણી કરશે. કેસમાં ન્યાયિક પ્રભાવ, સંસ્થાકીય પક્ષપાત અને તપાસમાં ગડબડીના ગંભીર આક્ષેપો થયા છે. ટ્વિશાના સાસુ નિવૃત્ત જિલ્લા જજ હોવાને કારણે તપાસ દબાવવાનો આરોપ પણ લાગ્યો છે. અગાઉ All India Institute of Medical Sciencesની નિષ્ણાત ટીમ દ્વારા બીજીવાર પોસ્ટમોર્ટમનો આદેશ આપવામાં આવ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટ આવા સંવેદનશીલ કેસો માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી શકે છે.
ટ્વિશા શર્મા કેસમાં સાસુ નિવૃત્ત જજ હોવાથી તપાસ દબાવવાનો પ્રયાસ?
કર્ણાટક કોંગ્રેસમાં મંત્રીપદ માટે ઘમાસાણ.
કર્ણાટક કોંગ્રેસમાં CM પદ બાદ હવે મંત્રીપદ માટે પણ રાજકીય માહોલ ગરમાયો છે. અનેક ધારાસભ્યો મંત્રી બનવા ઈચ્છુક હોવાથી પાર્ટીમાં ખેંચતાણ વધી રહી છે. CM સિદ્ધારમૈયાના નજીક મનાતા મંત્રી આર.બી. તિમ્માપુરે કહ્યું કે, મંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરવી ગુનો નથી અને હાઈકમાન્ડ તમામ બાબતો ધ્યાનમાં લઈને નિર્ણય લેશે. તેમણે ભાજપ પર સાંપ્રદાયિકતાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે કોંગ્રેસ સર્વધર્મ સમભાવમાં માને છે. તેમણે કેન્દ્ર સરકારની નીતિઓ, ડોલરના ભાવ, પેટ્રોલ-ડીઝલ અને LPG ના ભાવવધારા પર પણ ટીકા કરી.
કર્ણાટક કોંગ્રેસમાં મંત્રીપદ માટે ઘમાસાણ.
દિલ્હી જીમખાના ક્લબનો બ્રિટિશકાળનો શાહી દબદબો થયો સમાપ્ત!
કેન્દ્ર સરકારે ભારતના પ્રતિષ્ઠિત 'દિલ્હી જીમખાના ક્લબ'ને 5 જૂન સુધીમાં પરિસર ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આ બ્રિટિશ કાળની ક્લબ, જે અબજો રૂપિયાની કિંમતી જમીન પર સ્થિત છે, તેનો ઉપયોગ હવે સરકારી પ્રોજેક્ટ્સ અને સંરક્ષણ વ્યવસ્થા માટે કરવામાં આવશે. ક્લબ તેની આવકનો નજીવો હિસ્સો રમતગમત પાછળ ખર્ચ કરતી હતી, જ્યારે મોટાભાગનો ખર્ચ મોંઘા પીણાં પર થતો હતો. લાખો રૂપિયાની ડિપોઝિટ ભર્યા બાદ પણ સભ્યપદ માટે 20-30 વર્ષ રાહ જોવી પડતી હતી. આ કારણોસર સરકારે આ પગલું ભર્યું છે.
દિલ્હી જીમખાના ક્લબનો બ્રિટિશકાળનો શાહી દબદબો થયો સમાપ્ત!
અમેરિકા ભારતીયોને વિઝામાં પ્રાથમિકતા આપશે: માર્કો રૂબિયોની દિલ્હીમાં મોટી જાહેરાત.
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ નવી દિલ્હીમાં એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, ચીનના વધતા પ્રભાવને રોકવા માટે ભારત અમેરિકાની વિદેશ નીતિનો મુખ્ય સ્તંભ છે. આર્થિક સંબંધોને મજબૂત કરવા, અમેરિકા "America First Visa Scheduling Tool" શરૂ કરી રહ્યું છે. આ ટૂલ હેઠળ, ભારતીય બિઝનેસ પ્રોફેશનલ્સ અને વેપારીઓને વિઝા પ્રક્રિયામાં પ્રાથમિકતા મળશે, જેઓ બંને દેશો વચ્ચેના વેપાર અને સંબંધોને મજબૂત બનાવે છે. આ જાહેરાત ભારતીયો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
અમેરિકા ભારતીયોને વિઝામાં પ્રાથમિકતા આપશે: માર્કો રૂબિયોની દિલ્હીમાં મોટી જાહેરાત.
રેલવે કર્મચારીઓના પગારમાં વધારો.
રેલવે કર્મચારીઓ માટે ખુશીના સમાચાર છે. રેલવે બોર્ડે વંદે ભારત, પ્રયાગરાજ એક્સપ્રેસ, રાજધાની, દુરંતો, તેજસ સહિત કુલ 155 ટ્રેનોને સત્તાવાર રીતે હાઈસ્પીડ ટ્રેનની શ્રેણીમાં સામેલ કરી દીધી છે. આ નિર્ણયને કારણે લોકો પાયલટ, સહાયક લોકો પાયલટ અને ટ્રેન મેનેજર જેવા રનિંગ સ્ટાફના પગારમાં દર મહિને 5થી 10 હજાર રૂપિયાનો વધારો જોવા મળશે. સ્પેશ્યલ હાઈ સ્પીડ ભથ્થાનો લાભ મળવાથી કર્મચારીઓની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે.
રેલવે કર્મચારીઓના પગારમાં વધારો.
પંજાબ સરકારના નિર્ણય પર રવીના ટંડનનું નિવેદન.
પંજાબ સરકાર દ્વારા રખડતા કૂતરાઓના વધતા ત્રાસને રોકવા માટે લેવાયેલા કડક નિર્ણય સામે બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન મૂંગા જીવોના સમર્થનમાં આવી છે. પંજાબમાં રસ્તા પરના કૂતરાઓને શેલ્ટર હોમમાં મોકલવા અથવા માનવજાત માટે ખતરો બને તેવા કૂતરાઓને 'ઇથનાઇઝ' (પીડામુક્ત મરણ) આપવાની કાર્યવાહી સામે રવિનાએ મુખ્યમંત્રી ભગવંત માનને ભાવુક અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, "આપણે પ્રાણીઓ સાથે કેવું વર્તન કરીએ છીએ, તે આપણું પ્રતિબિંબ છે" અને સુપ્રીમ કોર્ટના નિર્ણયનો અમલ માનવતાભર્યા અને સંતુલિત રીતે થાય તેવી વિનંતી કરી છે.
પંજાબ સરકારના નિર્ણય પર રવીના ટંડનનું નિવેદન.
PM મોદી અને US વિદેશ મંત્રી રૂબિયો વચ્ચે લાંબી બેઠક, અમેરિકા આવવાનું નિમંત્રણ.
ફેબ્રુઆરી 2025માં પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત બાદ આ પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક, સુરક્ષા, વેપાર અને ક્રિટિકલ ટેકનોલોજી પર વ્યાપક ચર્ચા. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. વિદેશ મંત્રી બન્યા બાદ રૂબિયોનો આ પ્રથમ ભારત પ્રવાસ છે. આગામી Quad દેશોના વિદેશ મંત્રીઓની બેઠક પહેલાં આ દ્વિપક્ષીય મુલાકાત ભારત-અમેરિકાના સંબંધો માટે ખૂબ મહત્વની છે. બેઠકમાં પીએમ મોદીને સત્તાવાર રીતે અમેરિકા આવવાનું આમંત્રણ અપાયું.
PM મોદી અને US વિદેશ મંત્રી રૂબિયો વચ્ચે લાંબી બેઠક, અમેરિકા આવવાનું નિમંત્રણ.
રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં 'યાચિકા સમિતિ'ના અધ્યક્ષ બન્યા, AAPને મોટો ફટકો
આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તેમને રાજ્યસભાની પ્રતિષ્ઠિત 'Committee on Petitions' ના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પદ 20 મે 2026 થી પ્રભાવી બનશે. ચઢ્ઢા અને અન્ય 6 સાંસદોના પક્ષપલટાથી AAPને મોટો ફટકો પડ્યો છે, જેના કારણે પાર્ટીનું સંખ્યાબળ રાજ્યસભામાં ત્રણ પર આવી ગયું છે. AAPએ આ સાંસદોનું સભ્યપદ રદ કરવાની માંગ કરી છે.
રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં 'યાચિકા સમિતિ'ના અધ્યક્ષ બન્યા, AAPને મોટો ફટકો
લદ્દાખમાં આર્મીનું 'ચિતા' હેલિકોપ્ટર ક્રેશ, અધિકારીઓનો ચમત્કારિક બચાવ!
લદ્દાખના તાંગત્સે નજીક ભારતીય સેનાનું 'ચિતા' હેલિકોપ્ટર ક્રેશ થયું. આ દુર્ઘટનામાં GOC મેજર જનરલ સચિન મહેતા સહિત ત્રણેય અધિકારીઓનો આબાદ બચાવ થયો છે, તેમને માત્ર નજીવી ઈજાઓ થઈ છે. અકસ્માત બાદ મેજર જનરલ મહેતાની ક્ષતિગ્રસ્ત ચોપર પાસે અન્ય બે અધિકારીઓ સાથેની સેલ્ફી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે. સેનાએ આ ઘટનાના કારણોની તપાસ માટે 'કોર્ટ ઓફ ઈન્ક્વાયરી' (CoI) ના આદેશ આપ્યા છે. આધુનિક LUH હેલિકોપ્ટર ટૂંક સમયમાં ચિતાની જગ્યા લેશે.
લદ્દાખમાં આર્મીનું 'ચિતા' હેલિકોપ્ટર ક્રેશ, અધિકારીઓનો ચમત્કારિક બચાવ!
થાઈલેન્ડની 60 દિવસની વિઝા-ફ્રી એન્ટ્રી બંધ!
થાઈલેન્ડ સરકારે 60 દિવસની વિઝા-ફ્રી એન્ટ્રી પોલિસી બંધ કરી દીધી છે, જે ભારતીય પ્રવાસીઓ માટે ચિંતાનો વિષય છે. આ નિર્ણય અચાનક લેવાયો છે કારણ કે કેટલાક વિદેશી નાગરિકો દ્વારા આ સુવિધાનો દુરુપયોગ થતો હતો. હવે ભારતીયો માટે વિઝા-ફ્રી સ્ટે 60 દિવસથી ઘટીને 30 દિવસનો થઈ શકે છે. જોકે, જરૂર પડ્યે વધુ 30 દિવસનું એક્સ્ટેન્શન ફી અને દસ્તાવેજો દ્વારા મળી શકશે. ઇમિગ્રેશન સિસ્ટમને ડિજિટલ બનાવવામાં આવી છે.
થાઈલેન્ડની 60 દિવસની વિઝા-ફ્રી એન્ટ્રી બંધ!
રોજગાર મેળામાં 51000 નિમણૂક પત્રો, PM મોદીએ કહ્યું: 'તમારા પર ભારતની જવાબદારી'
દિલ્હીમાં આયોજિત 19મા રોજગાર મેળામાં PM મોદીએ 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્ર (Appointment Letter) એનાયત કર્યા. તેમણે જણાવ્યું કે યુવાનો હવે દેશના વિકાસમાં ભાગીદાર બનશે અને રેલવે, બેન્કિંગ, સંરક્ષણ, આરોગ્ય, શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં જવાબદારી સંભાળશે. PM મોદીએ તાજેતરના વિદેશ પ્રવાસનો ઉલ્લેખ કરી કહ્યું કે વિશ્વ ભારતના યુવાનોની ક્ષમતા અને ટેક્નોલોજી પ્રગતિથી ઉત્સાહિત છે. રોજગાર મેળો એક મિશન બન્યો છે, જે સ્કીલ ડેવલપમેન્ટ અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે પણ તકો ઉભી કરી રહ્યો છે.
રોજગાર મેળામાં 51000 નિમણૂક પત્રો, PM મોદીએ કહ્યું: 'તમારા પર ભારતની જવાબદારી'
ભાજપ સાંસદે ઈંધણ અછત સ્વીકારી, દેશમાં 40% જ પેટ્રોલ-ડીઝલ બચ્યું!
પાંચ રાજ્યોની ચૂંટણી બાદ મોંઘવારી અને ઈંધણ કટોકટીનો માર જનતા પર પડ્યો છે. અત્યાર સુધી વિપક્ષના દાવાઓને 'અફવા' ગણાવતી સરકાર સામે હવે ખુદ ભાજપના વરિષ્ઠ સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ ઈંધણ અછતની પોલ ખોલી નાખી છે. રૂપાલાએ સ્વીકાર્યું કે દેશમાં માત્ર 40% જ પેટ્રોલ-ડીઝલનો જથ્થો બચ્યો છે. આ સ્વીકૃતિ બાદ સરકારના "ગભરાવાની જરૂર નથી" તેવા દાવાઓની સચ્ચાઈ ખુલ્લી પડી ગઈ છે. છેલ્લા એક સપ્તાહથી ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની ભયાનક અછત છે, અને અનેક પેટ્રોલ પંપો પર 'સ્ટોક નથી' તેવા પાટિયાં ઝૂલી રહ્યા છે.
ભાજપ સાંસદે ઈંધણ અછત સ્વીકારી, દેશમાં 40% જ પેટ્રોલ-ડીઝલ બચ્યું!
'કોકરોચ જનતા પાર્ટી'ના ફાઉન્ડર અભિજીત દીપકેનું Instagram એકાઉન્ટ હેક.
'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના ફાઉન્ડર અભિજીત દીપકેએ દાવો કર્યો છે કે તેમનું પર્સનલ Instagram એકાઉન્ટ હેક થયું છે અને તેઓ તેને ઍક્સેસ કરી શકતા નથી. તેમની પાર્ટીનું બેકઅપ Instagram એકાઉન્ટ પણ થોડા સમય માટે બંધ હતું, જોકે હવે ફરી શરૂ કરાયું છે. અભિજીત દીપકેએ પોતાની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તાજેતરમાં સીજેઆઈની ટિપ્પણી બાદ આ પાર્ટી સોશિયલ મીડિયા પર લોકપ્રિય થઈ છે.
'કોકરોચ જનતા પાર્ટી'ના ફાઉન્ડર અભિજીત દીપકેનું Instagram એકાઉન્ટ હેક.
'કોકરોચ જનતા પાર્ટી' ને પડકારવા હવે 'ઓગી જનતા પાર્ટી' મેદાને!
સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાંતની ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) સામે હવે ‘ઓગી જનતા પાર્ટી’ (OJP) ઉભી થઈ છે. Oggy and the Cockroachesથી પ્રેરિત OJPએ CJPના ફાઉન્ડર અભિજીત દીપક અને તેમના રાજકીય સંબંધો પર સવાલ ઉઠાવ્યા છે. OJPએ બેરોજગારી, પશુ કલ્યાણ અને NEET-UG 2026 પેપર લીક મુદ્દે અવાજ ઉઠાવ્યો છે. બીજી તરફ CJPને કોંગ્રેસ, IUML અને ડાબેરી વિદ્યાર્થી સંગઠનોનું સમર્થન મળતાં આ સોશિયલ મીડિયા વિવાદ વધુ રાજકીય બની રહ્યો છે.
'કોકરોચ જનતા પાર્ટી' ને પડકારવા હવે 'ઓગી જનતા પાર્ટી' મેદાને!
અમદાવાદથી રાંચી જતી ફ્લાઈટમાં યુવકની તબીયત લથડતાં મોત.
IndiGoની અમદાવાદથી રાંચી જતી ફ્લાઈટમાં 29 વર્ષીય યુવક સુદીપ કુમાર ગૌનિશની તબિયત અચાનક બગડતાં વિમાનનું જબલપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. ફેફસાંની ગંભીર બીમારીથી પીડિત સુદીપ સારવાર બાદ બહેન સાથે પરત ફરી રહ્યો હતો. હવામાં જ તેને શ્વાસ લેવામાં ભારે તકલીફ થતાં પાયલટે તરત નિર્ણય લીધો હતો. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટનાથી મુસાફરોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અમદાવાદથી રાંચી જતી ફ્લાઈટમાં યુવકની તબીયત લથડતાં મોત.
તમિલનાડુના યુવાનની CM વિજય બને તે માટે ૧૨ જ્યોતિર્લિંગ અને ચારધામની સાયકલ યાત્રા.
તમિલનાડુના એક યુવાને પોતાના પ્રિય અભિનેતા અને રાજનેતા સી. જોસેફ વિજય (વિજય થલાપતિ) રાજ્યના મુખ્યમંત્રી બને તેવી માનતા રાખી હતી. આ માનતા પૂરી કરવા માટે, રિંકિડેશન નામના આ યુવાને સાયકલ પર ૧૨ જ્યોતિર્લિંગ અને ચારધામની ભવ્ય યાત્રા શરૂ કરી છે. તેણે પોતાના રાજ્યથી આ સફર શરૂ કરીને હાલમાં જ ગુજરાતના બગોદરા ખાતે પહોંચ્યો છે. તેની આ અનોખી ભક્તિ અને સાયકલ યાત્રા સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બની છે. સોમનાથ, દ્વારકા, નાગેશ્વર અને ચોટીલા જેવા ધાર્મિક સ્થળોના દર્શન કર્યા બાદ તે કેદારનાથ તરફ આગળ વધી રહ્યો છે.
તમિલનાડુના યુવાનની CM વિજય બને તે માટે ૧૨ જ્યોતિર્લિંગ અને ચારધામની સાયકલ યાત્રા.
સ્ટેટ લેવલ બેડમિન્ટન ખેલાડીની પ્રેમ પ્રકરણમાં ક્રૂર હત્યા.
હરિયાણાના ફરીદાબાદમાં એક આશાસ્પદ સ્ટેટ લેવલ બેડમિન્ટન ખેલાડીની પ્રેમ પ્રકરણમાં ક્રૂર હત્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કથિત રીતે સગીર પ્રેમિકાના પરિવારે 21 વર્ષીય મોનુનું અપહરણ કરી ત્રણ દિવસ સુધી બંધક બનાવીને ગોંધી રાખ્યો હતો અને બેરહેમીથી માર માર્યો હતો. ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરાયેલા મોનુનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. પોલીસે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સ્ટેટ લેવલ બેડમિન્ટન ખેલાડીની પ્રેમ પ્રકરણમાં ક્રૂર હત્યા.
દિલ્હી શાસ્ત્રી પાર્ક ફર્નિચર માર્કેટમાં ભીષણ આગ.
ઉત્તર-પૂર્વી દિલ્હીના શાસ્ત્રી પાર્કમાં ફર્નિચર માર્કેટમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. લાકડાં, ફોમ અને પ્લાસ્ટિક જેવા જ્વલનશીલ પદાર્થોને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ પર કાબૂ મેળવવા ફાયર બ્રિગેડને કલાકોની જહેમત ઉઠાવવી પડી. આ દરમિયાન, કેટલાક લોકોએ ફાયર બ્રિગેડ પર પથ્થરમારો કર્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ નથી, પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. શોર્ટ સર્કિટથી આગ લાગ્યાની આશંકા છે.
દિલ્હી શાસ્ત્રી પાર્ક ફર્નિચર માર્કેટમાં ભીષણ આગ.
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના.
રાજ્યમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચ્યું, સુરેન્દ્રનગર 43.8°C સાથે સૌથી ગરમ રહ્યું. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને અમરેલી જેવા શહેરોમાં પણ તાપમાન ઊંચું નોંધાયું. સુરેન્દ્રનગર અને ગાંધીનગરના તાપમાનમાં 1.8 ડિગ્રીનો વધારો થયો છે, જેના કારણે રાજ્યમાં ગરમીનો અહેસાસ વધી રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનોને કારણે રાત્રે 'હોટ એન્ડ હ્યુમિડ' જેવી સ્થિતિ સર્જાઈ હતી. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે.
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના.
US ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર!
US પ્રશાસને ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે. હવે અમેરિકામાં અસ્થાયી વિઝા પર રહેતા મોટાભાગના વિદેશી નાગરિકોએ ગ્રીન કાર્ડ મેળવવા માટે પોતાના વતન પરત ફરવું પડશે અને ત્યાંથી જ અરજી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. USCIS ના પ્રવક્તા જેક કાહલરે સ્પષ્ટ કર્યું છે કે, 'અસાધારણ સંજોગો' સિવાય, હવે તમામ ઈચ્છુકોએ પોતાના દેશમાંથી જ આ પ્રક્રિયા પૂરી કરવી પડશે. આ નીતિનો ઉદ્દેશ્ય ઇમિગ્રેશન સિસ્ટમને વધુ પારદર્શક બનાવવાનો અને ગેરકાયદે રોકાણ અટકાવવાનો છે. આ ફેરફારથી IT પ્રોફેશનલ્સ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર મોટી અસર પડશે.
US ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર!
સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમની સપાટી ઘટી, સૌરાષ્ટ્રમાં પાણીકાપ.
સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં પાણીની સપાટીમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ઢાંકી પંપિંગ સ્ટેશનથી મુખ્ય નર્મદા કેનાલ બંધ થતાં ડેમમાં પાણીની આવક અટકી છે, જે સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની તંગી સર્જી શકે છે. ત્રણ દિવસ પહેલા 100% ભરેલો ડેમ હવે માત્ર 55% રહ્યો છે. આ કારણે સુરેન્દ્રનગર શહેરના અંદાજે ત્રણ લાખ લોકોને પાણીકાપનો સામનો કરવો પડશે. મોરબી, જામનગર, રાજકોટ અને દ્વારકા સુધીનો પાણી પુરવઠો પણ હાલ બંધ છે. નર્મદા કેનાલોમાં રીપેરીંગ કામ માટે 30 મે સુધી બંધ રહેશે, જેથી પાણીની સમસ્યા યથાવત રહેશે.
સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમની સપાટી ઘટી, સૌરાષ્ટ્રમાં પાણીકાપ.
ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ!
ભીષણ ગરમી અને હીટવેવથી પરેશાન લોકોને રાહતના સમાચાર મળ્યા છે. IMD (India Meteorological Department) ની નવી આગાહી મુજબ, માનસૂન ઝડપથી આગળ વધી રહ્યું છે અને આગામી 3 થી 4 દિવસમાં હવામાનનો મિજાજ બદલાઈ શકે છે. અનેક રાજ્યોમાં તેજ પવન અને વરસાદની શરૂઆત થવાની શક્યતા છે, જેના કારણે લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી શકે છે. પ્રી-માનસૂન પ્રવૃત્તિઓ તેજ બની છે અને ભેજયુક્ત પવનો ઉત્તર અને મધ્ય ભારત તરફ આગળ વધી રહી છે.
ચોમાસાનું કાઉન્ટડાઉન શરૂ!
પહેલગામ હુમલો: લશ્કર-એ-તૈયબાનો આતંકી સાજીદ જટ્ટ મુખ્ય સૂત્રધાર, NIA ચાર્જશીટમાં થયો ખુલાસો.
કાશ્મીરના પહેલગામમાં ગત વર્ષે થયેલા આતંકી હુમલા પાછળ લશ્કર-એ-તૈયબાનો પાકિસ્તાની આતંકી સૈફુલ્લાહ ઉર્ફે સાજિદ જટ્ટ મુખ્ય સૂત્રધાર હતો, તેવો ખુલાસો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ની ચાર્જશીટમાં થયો છે. પાકિસ્તાન સ્થિત જટ્ટે હુમલાખોરો સાથે સંપર્ક રાખી તેમને નિર્દેશ આપ્યા હતા. આ હુમલામાં 26 પ્રવાસીઓના મોત થયા હતા અને 16 ઘાયલ થયા હતા. ઝેડ મોડ ટનલ ફાયરિંગમાં પણ તેની સામેલગીરી હોવાનું સામે આવ્યું છે. ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પહેલગામ હુમલાનો બદલો લીધો હતો.
પહેલગામ હુમલો: લશ્કર-એ-તૈયબાનો આતંકી સાજીદ જટ્ટ મુખ્ય સૂત્રધાર, NIA ચાર્જશીટમાં થયો ખુલાસો.
દિલ્હીમાં આગ ઝાળ જેવી ગરમી, તાપમાન 44 ડિગ્રીને પાર!
દિલ્હી-NCR અને ઉત્તર પ્રદેશમાં આગામી એક અઠવાડિયા સુધી ગરમીથી રાહત મળવાની શક્યતા ઓછી છે. IMD એ દિલ્હીમાં 28 મે સુધી હીટવેવ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં આગામી 6-7 દિવસ સુધી ભારે લૂનો પ્રકોપ યથાવત રહી શકે છે. રાજસ્થાનના થાર રણમાંથી આવતી સૂકી ગરમ હવાને કારણે ગરમી વધી રહી છે. પવનની દિશામાં ફેરફાર થતાં તાપમાનમાં થોડો ઘટાડો થયો છે, પરંતુ મેના અંત સુધી સ્થિતિ યથાવત રહી શકે છે. જૂનની શરૂઆતમાં પ્રી-મોન્સૂન પ્રવૃત્તિઓથી રાહત મળી શકે છે. લોકોએ બપોરે બહાર નીકળવાનું ટાળવું અને પૂરતું પાણી પીવું.
દિલ્હીમાં આગ ઝાળ જેવી ગરમી, તાપમાન 44 ડિગ્રીને પાર!
UPનું બાંદા દેશનું સૌથી ગરમ સ્થળ, અરુણાચલમાં ભારે પૂરની સ્થિતિ, ગરમીનો પ્રકોપ યથાવત.
ઉત્તર અને મધ્ય ભારતમાં અનેક રાજ્યોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત છે, શુક્રવારે તાપમાનમાં બહુ જ મામૂલી ઘટાડો જોવા મળ્યો જોકે તેમ છતા અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી પણ વધુ નોંધાયું હતું. બીજી તરફ અરુણાચલ અને હિમાચલ પ્રદેશમાં ગરમીથી રાહત મળી હતી અને ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ઉત્તર પ્રદેશનું બાંદા 46.4 ડિગ્રી સાથે સૌથી ગરમ સ્થળ રહ્યું, જે બાદ પ્રયાગરાજનું તાપમાન પણ 46.2 ડિગ્રી નોંધાયું હતું અને બીજા ક્રમે રહ્યું હતું.
UPનું બાંદા દેશનું સૌથી ગરમ સ્થળ, અરુણાચલમાં ભારે પૂરની સ્થિતિ, ગરમીનો પ્રકોપ યથાવત.
મોંઘવારીનો ડબલ ડોઝ: પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG ના ભાવમાં ભડકો!
દેશમાં મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો સામાન્ય જનતાને લાગ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારા બાદ હવે સીએનજી (CNG) ના ભાવમાં પણ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ શનિવારે સવારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા બાદ તુરંત જ સીએનજીની કિંમતોમાં પણ પ્રતિ કિલો 1 રૂપિયાનો વધારો કરી દીધો છે. આ ભાવ વધારા બાદ સામાન્ય લોકોના બજેટ પર ભારે વિપરીત અસર પડવાની સંભાવના છે.
મોંઘવારીનો ડબલ ડોઝ: પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG ના ભાવમાં ભડકો!
ગુજરાતમાં બેવડી ઋતુનો માર: આકરી ગરમી સાથે માવઠાની આગાહી, ખેડૂતોની ચિંતા
હાલ ગુજરાતમાં ઉનાળાનો પ્રચંડ તાપ છે, જ્યાં અનેક શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. આવા કપરા સમયે હવામાન વિભાગે વાતાવરણમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. અમરેલી, ગીર સોમનાથ, જામનગર, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં પવન સાથે વરસાદ પડી શકે છે. આ આગાહીથી ઉનાળુ પાક લેતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે, જ્યારે ગરમીનો અસહ્ય ઉકળાટ યથાવત રહેશે.
ગુજરાતમાં બેવડી ઋતુનો માર: આકરી ગરમી સાથે માવઠાની આગાહી, ખેડૂતોની ચિંતા
મોદી સરકારના કયા મંત્રીની કામગીરી સૌથી ખરાબ?
પાંચ દેશોના પ્રવાસેથી પરત ફર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્શન મોડમાં છે. વડાપ્રધાનની અધ્યક્ષતા હેઠળ કેબિનેટની એક અગત્યની લાંબી બેઠક મળી હતી. દિલ્હીના રાજકીય વર્તુળોમાં આ બેઠક પછી જાતભાતની ચર્ચા થઈ રહી છે. આ બેઠકમાં મંત્રીઓના રીપોર્ટ કાર્ડ ખોલવામાં આવ્યા હતા. સરકારના બે વર્ષ પુરા થતા પહેલા આ બેઠકમાં મંત્રીઓની સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રી મંડળમાં મોટા પાયે ફેરફાર થવાની શક્યતા પણ છે.
મોદી સરકારના કયા મંત્રીની કામગીરી સૌથી ખરાબ?
પેટ્રોલ-ડીઝલ ભાવમાં ફરી વધારો, મિડલ ઈસ્ટ સંકટની અસર.
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી ભાવ વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ 87 પૈસા મોંઘુ થઈ ₹99.51 અને ડીઝલ 91 પૈસા મોંઘુ થઈ ₹92.49 પ્રતિ લિટર થયું છે. 9 દિવસમાં ત્રીજી વખત આ ભાવ વધારો થયો છે. મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલો ઉછાળો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે ક્રૂડ ઓઈલના ભાવ $100 પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે, જેના કારણે તેલ કંપનીઓને નુકસાન ભરપાઈ કરવા આ પગલું ભરવું પડ્યું છે. આનાથી પરિવહન, ખેતી અને અન્ય ક્ષેત્રો પર પણ અસર થશે.
પેટ્રોલ-ડીઝલ ભાવમાં ફરી વધારો, મિડલ ઈસ્ટ સંકટની અસર.
મોદી આજે 51,000 યુવાનોને આપશે સરકારી નોકરીના પત્રો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 51,000 થી વધુ યુવાનોને સરકારી નોકરી માટેના નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ 19મો રોજગાર મેળો છે, જે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સવારે 11 વાગ્યે યોજાશે. અત્યાર સુધીમાં 18 રોજગાર મેળા દ્વારા લગભગ 12 લાખ યુવાનોને સરકારી નોકરી મળી ચૂકી છે. આ વખતે 47 શહેરોમાં આયોજિત આ મેળો રેલવે, ગૃહ મંત્રાલય, આરોગ્ય વિભાગ, નાણાકીય સેવાઓ અને ઉચ્ચ શિક્ષણ જેવા અનેક વિભાગોમાં રોજગારીની તકો પૂરી પાડશે. મોદીએ જણાવ્યું કે સરકાર યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત કાર્યરત છે.