ચોરાડ આહિર સમાજની 1600 વર્ષ જૂની પરંપરા જળવાઈ, 500 યુગલોના લગ્ન.
કચ્છના ચોરાડ પંથકમાં 1600 વર્ષ જૂની પરંપરા મુજબ, 500થી વધુ આહિર યુગલોએ ઢોલ-શરણાઈના સૂર વચ્ચે બળદગાડામાં જાન અને રાત્રે ફેરા સાથે લગ્ન કર્યા. આ લગ્નોમાં પૌરાણિક પહેરવેશ અને સાદગી જાળવવામાં આવી છે, જે સમાજની એકતા અને સંસ્કૃતિ પ્રત્યેના ગૌરવને દર્શાવે છે.
ચોરાડ આહિર સમાજની 1600 વર્ષ જૂની પરંપરા જળવાઈ, 500 યુગલોના લગ્ન.
છોટાઉદેપુર: AAPને ચૂંટાયેલા સભ્યોના 'હાઇજેકિંગ'નો ડર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ છોટાઉદેપુર જિલ્લામાં 'રાજકીય હાઈજેક'ના સ્થિતિ જોવા મળી છે. ભાજપ દ્વારા ચૂંટાયેલા સભ્યોની ખરીદ-વેચાણની આશંકા અને તોડજોડની રાજનીતિથી બચવા માટે AAPએ પોતાના વિજેતા સદસ્યોને રાજ્ય બહાર મધ્યપ્રદેશમાં ખસેડી દીધા હોવાનું સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીના સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ, ભાજપ દ્વારા AAPના ચૂંટાયેલા સદસ્યોને પક્ષ પલટો કરાવવા માટે રૂ.10-10 લાખ સુધીની ઓફરો કરવામાં આવી રહી છે. ભાજપ સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવીને સભ્યોને ઉઠાવી ન જાય તે માટે AAPના નેતાઓ હરકતમાં આવ્યા છે.
છોટાઉદેપુર: AAPને ચૂંટાયેલા સભ્યોના 'હાઇજેકિંગ'નો ડર
સુરતમાં દેશની પ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ સિસ્ટમ શરૂ
પરિવહન અને ટેકનોલોજી ક્ષેત્રે સુરત શહેરે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતનો સૌપ્રથમ બહુપ્રતિક્ષિત 'બેરિયરલેસ' ટોલ પ્લાઝા આજથી એટલે કે પહેલી મેથી સુરતમાં કાર્યરત થઈ ગયો છે. આ નવી ટેકનોલોજીના અમલીકરણ સાથે હવે વાહનચાલકોએ ટોલ ટેક્સ ભરવા માટે લાંબી કતારોમાં ઊભા રહેવાની જરૂર પડશે નહીં. સુરત અને ભરૂચ વચ્ચે આવેલા મુંબઈ-દિલ્હી હાઈવે (NH48) પર છેલ્લા બે મહિનાથી આ આધુનિક સિસ્ટમનું ટ્રાયલ ચાલી રહ્યું હતું. NHAI દ્વારા ફેબ્રુઆરી મહિનાથી શરૂ કરાયેલ ટેસ્ટિંગ સફળ રહેતા હવે સુરતના કામરેજ પાસે આ સુવિધાને આખરી ઓપ આપીને શરૂ કરી દેવામાં આવી છે.
સુરતમાં દેશની પ્રથમ ‘બેરિયરલેસ’ ટોલ સિસ્ટમ શરૂ
કચ્છમાં 10 વર્ષે જન્મેલું ઘોરાડનું બચ્ચું ગુમ!
કચ્છમાં ઘોરાડની વિલુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે રાજસ્થાનના બ્રીડિંગ સેન્ટરમાંથી ઘોરાડનું એક ફલિત ઈંડું લાવવામાં આવ્યું હતું. માદા ઘોરાડે આ ઈંડાનું ત્રણ દિવસ કુદરતી સેવન કર્યું અને 26મી માર્ચના રોજ તંદુરસ્ત બચ્ચાનો જન્મ થયો હતો. જ્યારે 26મી એપ્રિલના રોજ આ બચ્ચું અચાનક લાપતા થયું હોવાનું જાણવા મળ્યું છે. વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ, 18મી એપ્રિલ બાદ બચ્ચું દેખાયું નથી. હાલ 1600 હેક્ટરના વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
કચ્છમાં 10 વર્ષે જન્મેલું ઘોરાડનું બચ્ચું ગુમ!
Instagram પર રીપોસ્ટિંગ કરો છો? નવા નિયમોને કારણે મળશે ઓછા વ્યૂઝ!
nstagramએ કન્ટેન્ટ એગ્રીગેટર્સ એટલે કે એવા એકાઉન્ટ્સ જે વારંવાર પોતે બનાવેલા વગરનું કન્ટેન્ટ રીપોસ્ટ કરે છે અથવા મુખ્યત્વે અન્ય લોકોનું કામ ફોટો અને કેરોસેલ રૂપે શેર કરે છે એ યુઝર્સ માટે મોટો પોલિસી બદલાવ જાહેર કર્યો છે. Metaની માલિકી હેઠળના આ પ્લેટફોર્મે જણાવ્યું છે કે આવા એકાઉન્ટ્સ હવે એપમાં રેકમેન્ડેશન માટે પાત્ર રહેશે નહીં. Instagramએ સ્પષ્ટ કર્યું છે કે ઓછા પ્રયત્નથી કરેલા ફેરફારો જેમ કે વોટરમાર્ક ઉમેરવું અથવા વીડિયોની સ્પીડ બદલવી એને મૂળ કન્ટેન્ટ તરીકે ગણાશે નહીં. એ જ રીતે અન્ય વ્યક્તિના પોસ્ટનો સ્ક્રીનશોટ લઈને તેનો યુઝરનેમ દેખાડીને પોસ્ટ કરવાથી પણ તે મૂળ ગણાશે નહીં.
Instagram પર રીપોસ્ટિંગ કરો છો? નવા નિયમોને કારણે મળશે ઓછા વ્યૂઝ!
અટારી બોર્ડર સેરેમનીનો સમય બદલાયો, 6 થી 6:30 સુધી થશે.
અમૃતસર સ્થિત અટારી બોર્ડર પર પ્રસિદ્ધ રિટ્રીટ સેરેમનીનો સમય બદલાયો છે. હવે તે સાંજે 6 થી 6:30 વાગ્યા સુધી ચાલશે. હવામાન અને પ્રકાશને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. દર્શકોને સારો અનુભવ અને સુરક્ષા માટે આ ફેરફાર જરૂરી હતો. દેશભક્તિથી ભરપૂર આ સેરેમની જોવા હજારો લોકો આવે છે. આ નવો સમય 1 મેથી લાગુ કરાયો છે.
અટારી બોર્ડર સેરેમનીનો સમય બદલાયો, 6 થી 6:30 સુધી થશે.
ભુજ નગરપાલિકા: નવા હોદ્દેદારોની વરણીની તૈયારી, 4 મેના રોજ નિરીક્ષકો સેન્સ લેશે.
કચ્છમાં ભાજપની ભવ્ય જીત બાદ ભુજ નગરપાલિકામાં નવા હોદ્દેદારોની પસંદગી માટે 4 મેના રોજ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો ચૂંટાયેલા સભ્યો અને અગ્રણીઓ પાસેથી પ્રમુખ, ઉપપ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા પદો માટે અભિપ્રાય મેળવશે. દરેક હોદ્દા માટે 3-3 નામોની પેનલ તૈયાર કરી હાઈકમાન્ડને મોકલવામાં આવશે, જે અંતિમ નિર્ણય લેશે.
ભુજ નગરપાલિકા: નવા હોદ્દેદારોની વરણીની તૈયારી, 4 મેના રોજ નિરીક્ષકો સેન્સ લેશે.
સુરેન્દ્રનગરમાં ગુજરાત સ્થાપના દિવસે 'સેવા દિન'.
સુરેન્દ્રનગરમાં ૧લી મે, ગુજરાત સ્થાપના દિન 'સેવા દિન' તરીકે ઉજવાશે. જનસેવા કેન્દ્રો પર નાગરિકોની અરજીઓનો તે જ દિવસે નિકાલ થશે. કલેક્ટર અને અધિકારીઓ રૂબરૂ નિરીક્ષણ કરશે. 'વન ડે ગવર્નન્સ' હેઠળ ATVT દાખલાઓ અને અરજીઓ 'સુગમ ડિજિટલ ગુજરાત' પોર્ટલ પર સ્વીકારાશે. વિશેષ વ્યવસ્થા અને સુવિધાઓ પણ ગોઠવાશે.
સુરેન્દ્રનગરમાં ગુજરાત સ્થાપના દિવસે 'સેવા દિન'.
ગુજરાતમાં સૂકું વાતાવરણ, સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન ઘટશે
ગુજરાતમાં આજથી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડીગ્રીને પાર થયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. રાજકોટ 42.4 ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યું. હવામાન વિભાગની આગાહી મુજબ ગરમીમાં રાહત મળશે, પણ ઉકળાટ વધશે. 6 થી 12 મે દરમિયાન માવઠાની શક્યતા છે, ત્યારબાદ ફરી ગરમી વધશે.
ગુજરાતમાં સૂકું વાતાવરણ, સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન ઘટશે
કાલોલ પાસે ટેન્કર, ટ્રક, ઈકો કાર વચ્ચે અકસ્માત: ૬ ઈજાગ્રસ્ત.
કાલોલના વેજલપુર પાસે ટેન્કર, ટ્રક અને ઈકો કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો. ઈકો કારમાં સવાર ગોસાઈ પરિવારના ચાર બાળકો સહિત છ લોકો ઘાયલ થયા. પરિવાર વડોદરાથી લુણાવાડા પરત ફરી રહ્યો હતો. જોરદાર ટક્કરમાં ઈકો કારનો કચ્ચઘાણ નીકળી ગયો. ઘાયલોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા.
કાલોલ પાસે ટેન્કર, ટ્રક, ઈકો કાર વચ્ચે અકસ્માત: ૬ ઈજાગ્રસ્ત.
મદુરાઈમાં ભવ્ય કલ્લાઝાગર ઉત્સવ.
મદુરાઈ શહેર વૈગાઈ નદીના કિનારે ભવ્ય કલ્લાઝાગર ઉત્સવની ઉજવણી કરી રહ્યું છે. હજારો ભક્તો ભગવાન કલ્લાઝાગરના દર્શન કરવા અને આશીર્વાદ મેળવવા એકત્રિત થયા છે. આ ઉત્સવ ધાર્મિક ઉત્સાહ અને સાંસ્કૃતિક પરંપરાઓનું અનોખું મિશ્રણ દર્શાવે છે. પરંપરા મુજબ દેવતાનો વૈગાઈ નદીમાં આગમન શુભ સંકેત માનવામાં આવે છે. ઉત્સવ દરમિયાન શહેરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ છવાઈ ગયો હતો. ભગવાન કલ્લાઝાગરના દર્શનથી ભક્તોમાં આનંદ અને ભક્તિનો માહોલ સર્જાયો.
મદુરાઈમાં ભવ્ય કલ્લાઝાગર ઉત્સવ.
વિજલપોરમાં યુવાનો પર પાઇપ-લાકડા વડે જીવલેણ હુમલો, અદાવતમાં મારામારી.
નવસારીના વિજલપોરના આંબેડકર નગરમાં રહેતા બે યુવાનો રાત્રિના સમયે પસાર થઈ રહ્યા હતા ત્યારે જૂની દુશ્મની રાખીને બેઠેલા ૬ જેટલા શખ્સોએ તેમને રસ્તામાં ઘેરી લીધા હતા. આ ટોળકીએ ઉશ્કેરાઈને લાકડાના ફટકા અને પાઇપ વડે હુમલો કરતા એક યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેનું માથું ફૂટી ગયું હતું. બબાલના સમાચાર વાયુવેગે ફેલાતા જ વિજલપોર વિસ્તારમાં સ્થાનિકોના ટોળા એકત્રિત થવા લાગ્યા હતા, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું. બનાવની જાણ થતા જ નવસારી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
વિજલપોરમાં યુવાનો પર પાઇપ-લાકડા વડે જીવલેણ હુમલો, અદાવતમાં મારામારી.
વઢવાણ કપ: 65+ ટીમો વચ્ચે 15 રાત્રિ ક્રિકેટ જંગ શરૂ.
વઢવાણ રેલવે મેદાનમાં 29 એપ્રિલે 'વઢવાણ કપ' નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઈ, જે 13 મે સુધી ચાલશે. ખજૂરીવાળી મેલડી માતાજીના લાભાર્થે આયોજિત, આ ટુર્નામેન્ટમાં રાજ્યભરની 65થી વધુ ટીમોના 1000થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. 10,000થી વધુ દર્શકોની અપેક્ષા છે. કારડીયા રાજપૂત યુવા ગ્રુપ દ્વારા 10મી વખત આયોજિત, રાષ્ટ્રીય ગીત સાથે પ્રારંભ થયો.
વઢવાણ કપ: 65+ ટીમો વચ્ચે 15 રાત્રિ ક્રિકેટ જંગ શરૂ.
ગુજરાતમાં હેલ્મેટ ડ્રાઈવ: મેમો મળશે, એક મહિના સુધી ચાલશે.
ગુજરાતમાં અકસ્માતો ઘટાડવા અને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે ફરીવાર ટ્રાફિક તંત્ર એક્શનમાં આવ્યું છે. રાજ્યમાં આજથી એક મહિના સુધી હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. સરકારી અને બિનસરકારી વાહન ચાલકો માટે ડ્રાઈવ યોજાશે. રાજ્યમાં વિવિધ સરકારી કચેરીઓના ગેટ પર વાહન ચેકિંગ અને હેલ્મેટ વિના આવતા વાહન ચાલકોને દંડ ફટકારાશે.
ગુજરાતમાં હેલ્મેટ ડ્રાઈવ: મેમો મળશે, એક મહિના સુધી ચાલશે.
પરિણીતાને ભગાડી જનાર યુવકની હત્યા, યુટ્યુબર સહિત 3 સામે ગુનો
અમરેલીમાં પરિણીતાને ભગાડી જનાર યુવકની યુટ્યુબર સહિત ત્રણ લોકોએ હત્યા કરી. શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યા બાદ, યુટ્યુબર દ્વારા માફી મંગાવતો વીડિયો વાયરલ કરાયો હતો. પોલીસે આ મામલે જાણીતા યુટ્યુબર તરુણ બાંભણીયા સહિત ત્રણ લોકો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પરિણીતાને ભગાડી જનાર યુવકની હત્યા, યુટ્યુબર સહિત 3 સામે ગુનો
ગુજરાત સ્થાપના દિવસ પર PM મોદીની શુભેચ્છા
આજે સમગ્ર ગુજરાત ૧ મેના રોજ પોતાનો 'સ્થાપના દિવસ' ઉત્સાહભેર ઉજવી રહ્યું છે. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવતા રાજ્યની પ્રગતિ અને ગૌરવની પ્રશંસા કરી છે. તેમણે ગુજરાતીઓની ઉદ્યોગ સાહસિકતા, અથાણ મહેનત અને ગતિશીલતાને વિશ્વભરમાં રાજ્યની આગવી ઓળખ ગણાવી છે. પીએમ મોદીએ આશા વ્યક્ત કરી કે ગુજરાત વિકાસના નવા શિખરો સર કરીને 'વિકસિત ભારત'ના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપતું રહેશે. રાજ્યના ભવ્ય વારસા અને આધુનિક વિકાસની તેમણે સરાહના કરી છે.
ગુજરાત સ્થાપના દિવસ પર PM મોદીની શુભેચ્છા
સુરેન્દ્રનગર: બચુભાઈ ગઢવી પુસ્તકાલય 1 મેથી કાર્યરત.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વઢવાણ ખાતે બચુભાઈ ગઢવી પુસ્તકાલય 1 મેથી શરૂ થશે. ઉત્તર ઝોન કચેરીના બીજા માળે કાર્યરત આ પુસ્તકાલયનો ઉદ્દેશ વાંચનની ટેવને પ્રોત્સાહન આપવાનો અને ગુણવત્તાયુક્ત સાહિત્ય પૂરું પાડવાનો છે. યુવા વાચકોમાં રુચિ જગાવવાનો પ્રયાસ કરાશે. વાચકો દરરોજ સવારે 9 થી સાંજે 6 સુધી સુવિધાનો લાભ લઈ શકશે.
સુરેન્દ્રનગર: બચુભાઈ ગઢવી પુસ્તકાલય 1 મેથી કાર્યરત.
દ્વારકા: કાર ડિવાઈડર સાથે અથડાતા પરિવારના 2 સભ્યોના મોત.
જામનગરનો એક પરિવાર કારમાં સવાર થઈને દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન હાબરડી ગામ પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી રોડના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં એક મહિલા અને એક પુરુષનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
દ્વારકા: કાર ડિવાઈડર સાથે અથડાતા પરિવારના 2 સભ્યોના મોત.
રાજકોટમાં સિનેમા, ટ્યુશન ક્લાસિસમાં પણ ફાયર સેફ્ટી તપાસ.
રાજકોટમાં ગેમઝોનમાં આગ બાદ સિનેમા, ટ્યુશન ક્લાસિસ સહિત અનેક સ્થળોએ ફાયર સેફ્ટીની તપાસ થશે. ફન બ્લાસ્ટ ગેમઝોનમાં બનાવ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. જરૂરી પ્રમાણપત્રોના અભાવે ગેમઝોન બંધ કરાયું હતું. હવે ટાઉન પ્લાનિંગ, પોલીસ, ફાયર અને વીજ કંપની પણ મંજૂરી માટે જવાબદાર ગણાશે.
રાજકોટમાં સિનેમા, ટ્યુશન ક્લાસિસમાં પણ ફાયર સેફ્ટી તપાસ.
સુરેન્દ્રનગરમાં જોરાવરનગર લાતિ એસોસિએશનની ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન.
સુરેન્દ્રનગરમાં જોરાવરનગર લાતિ એસોસિએશન દ્વારા ત્રિદિવસીય રાત્રિ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન. 70 વેપારીઓ વચ્ચે સંગઠન અને પારિવારિક નિકટતા વધારવાનો મુખ્ય હેતુ. 6 ટીમોએ ભાગ લીધો, સીવી ટાઈટન વિજેતા, આનંદ ટાઈગર રનર્સ અપ. વેપારી પરિવારોએ ઉત્સાહભેર ભાગ લીધો.
સુરેન્દ્રનગરમાં જોરાવરનગર લાતિ એસોસિએશનની ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન.
અમદાવાદ એરપોર્ટ આસપાસની ઊંચી બિલ્ડીંગોનો એરોનોટિકલ સર્વે થશે.
ગુજરાત હાઇકોર્ટે એરપોર્ટ ઓથોરિટીને 102.7 મીટર કરતાં વધુ ઊંચી બિલ્ડીંગોનો એરોનોટિકલ સર્વે કરવાનો નિર્દેશ આપ્યો છે. 6 ડેવલપર્સને ડિમોલિશનની નોટિસ સામે આ આદેશ આપવામાં આવ્યો છે, જેઓ NOC બાદ નિર્ધારિત ઊંચાઈ મુજબ જ બાંધકામ કર્યાનો દાવો કરે છે. કોર્ટે સર્વેનો ખર્ચ ડેવલપર્સ પર નાખ્યો છે.
અમદાવાદ એરપોર્ટ આસપાસની ઊંચી બિલ્ડીંગોનો એરોનોટિકલ સર્વે થશે.
દાહોદમાં કલેક્ટરની અધ્યક્ષતામાં સ્વાગત ફરિયાદ કાર્યક્રમ.
દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નીરગુડેની અધ્યક્ષતામાં 'સ્વાગત' ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. નાગરિકોની રજૂઆતો અને લાંબા સમયથી અટવાયેલા પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવાનો મુખ્ય ઉદ્દેશ હતો. જમીન માપણી, NA પ્રક્રિયા, પંચાયત આકરણી અને મહેસૂલી બાબતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. અધિકારીઓને સંવેદનશીલ અભિગમ અને પારદર્શક પ્રક્રિયા સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ.
દાહોદમાં કલેક્ટરની અધ્યક્ષતામાં સ્વાગત ફરિયાદ કાર્યક્રમ.
સુરતમાં 30 કરોડના ડ્રગ્સ સાથે નાસિકની મહિલા ઝડપાઈ
ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા સુરત રેલવે સ્ટેશન પર દરોડા દરમિયાન 30 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે નાસિકની મહિલા મેલિયોરા ચિગોઝી હેનરી ઉઝોર ઝડપાઈ. DRI ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી. હઝરત નિઝામુદ્દીનથી દાદર જતી ટ્રેનમાં મુસાફરી કરી રહેલી મહિલા પાસેથી આ જથ્થો મળી આવ્યો. કોર્ટે વધુ તપાસ માટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
સુરતમાં 30 કરોડના ડ્રગ્સ સાથે નાસિકની મહિલા ઝડપાઈ
આર્મી જવાન પર દુષ્કર્મનો આરોપ, લગ્નની લાલચ આપી યુવતીને તરછોડી.
સોશિયલ મીડિયાથી શરુ થયેલી મિત્રતા પ્રેમમાં પરિણમી, જ્યાં આર્મીના જવાન સંજય બચુ મકવાણાએ 27 વર્ષીય યુવતીને 'તું મારી પત્ની છે' કહી વિશ્વાસમાં લીધી. લગ્નના વચન હેઠળ શારીરિક સંબંધો બાંધ્યા બાદ, યુવતીએ લગ્ન માટે દબાણ કરતા જવાન તેને તરછોડી દીધી. આર્મીના જવાનને પીડિત યુવતીએ બુલેટ ગિફ્ટમાં આપ્યું હતું. આ ફરિયાદ બાદ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
આર્મી જવાન પર દુષ્કર્મનો આરોપ, લગ્નની લાલચ આપી યુવતીને તરછોડી.
ટ્રાફિક ઘટાડવા AMCનો 100 જંક્શન પર માસ્ટર પ્લાન.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ટ્રાફિક ભારણ ઘટાડવા 100 વ્યસ્ત જંક્શન પર સુધારા કરશે. 37 જંક્શનનું આધુનિકીકરણ પૂર્ણ, 12 પર કામગીરી ચાલી રહી છે. 76 જગ્યાએ લેફ્ટ ટર્ન ફ્રી અને નવા ટ્રાફિક સાઈન બોર્ડ લગાવ્યા. આ પગલાંથી ટ્રાફિક જામ ઓછો થશે અને વાહનચાલકોને સુવિધા મળશે.
ટ્રાફિક ઘટાડવા AMCનો 100 જંક્શન પર માસ્ટર પ્લાન.
સ્થાનિક ચૂંટણી: AAP-કોંગ્રેસના 5588 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત.
ગુજરાત સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો વોટશેર વધ્યો. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 5588 ઉમેદવારો કુલ મતદાનના એક ચતુર્થાંશ મત મેળવી શક્યા નથી, તેથી રાજ્ય ચૂંટણી આયોગે તેમની ડિપોઝિટ જપ્ત કરવાના આદેશ આપ્યા છે. 393 પાલિકા પંચાયતોમાં 9999 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 7502 બેઠકો જીતી. AAPના 3365 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ. કોંગ્રેસના 6218 ઉમેદવારોની ડિપોઝિટ બચી છે.
સ્થાનિક ચૂંટણી: AAP-કોંગ્રેસના 5588 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત.
બરોડા મેડિકલ કોલેજનો MBBS વિદ્યાર્થી લાપતા, હોસ્ટેલથી નીકળ્યા બાદ કોઈ પત્તો નહીં.
વડોદરાની બરોડા મેડિકલ કોલેજનો MBBSનો વિદ્યાર્થી, પારસ મકવાણા, બે દિવસથી લાપતા છે. તે હોસ્ટેલમાંથી ₹1600 રોકડા લઈને નીકળ્યો હતો અને પરત ફર્યો નથી. બનાસકાંઠાના વતની પારસના પરિવારજનો અને મિત્રો ચિંતિત છે. રાવપુરા પોલીસ મથકે જાણ કરાઈ છે અને શોધખોળ ચાલુ છે.
બરોડા મેડિકલ કોલેજનો MBBS વિદ્યાર્થી લાપતા, હોસ્ટેલથી નીકળ્યા બાદ કોઈ પત્તો નહીં.
પિતાની છત્રછાયા વિના પણ દીકરીનું ભણતર અટકશે નહીં, ટ્રસ્ટનું અનોખું લક્ષ્ય.
મોરબીના વીસીપરા વિસ્તારમાં સ્થપાયેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલય, આર્થિક રીતે પછાત બાળકોને ગુણવત્તાલક્ષી શિક્ષણ પૂરું પાડે છે. પિતા ગુમાવેલા બાળકોને વિનામૂલ્યે શિક્ષણ અપાશે અને બે દીકરીઓ ધરાવતા પરિવારો માટે એક દીકરીની 50% ફી માફ કરવામાં આવશે. Nature class પણ શરૂ થશે, જે શિક્ષણને નવી ઉંચાઈ પર લઈ જશે.
પિતાની છત્રછાયા વિના પણ દીકરીનું ભણતર અટકશે નહીં, ટ્રસ્ટનું અનોખું લક્ષ્ય.
લઘુતમ વેતન, આંગણવાડી, આશા વર્કરોનો વિરોધ, રેલી આયોજન.
૧ મેના રોજ 'આંતરરાષ્ટ્રીય શ્રમજીવી દિવસ' અને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે વિવિધ ટ્રેડ યુનિયનો દ્વારા રાજ્યવ્યાપી આંદોલનનું આયોજન કરવામાં આવ્યું છે. આંગણવાડી અને આશા વર્કરોના શોષણ વિરુદ્ધ લઘુતમ વેતન, પેન્શન અને ફિક્સ પગારદારોને કાયમી કરવાની માંગ સાથે દેખાવો અને રેલીઓ યોજાશે. ભાવનગરમાં પાનવાડી ચોક ખાતે શહીદ વંદના બાદ કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવશે. શ્રમિકોના હકો અને સમાન વેતન માટે સમગ્ર ગુજરાતના જિલ્લા અને તાલુકા મથકોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી આ દિવસની ઉજવણી કરવામાં આવશે.
લઘુતમ વેતન, આંગણવાડી, આશા વર્કરોનો વિરોધ, રેલી આયોજન.
સગીરા સાથે દુષ્કર્મ: 2 આરોપીને 20 વર્ષ કેદ.
પાલિતાણા પંથકની એક સંસ્થામાં રહેતી સગીરા સાથે સંસ્થાના વ્યવસ્થાપક અને અન્ય એક શખ્સે દુષ્કર્મ આચર્યા અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડિ.સેસન્સ જજ તથા સ્પે.પોક્સો કોર્ટની અદાલતમાં ચાલી જતાં કોર્ટે આધાર પુરાવા અને દલીલોના આધારે બન્ને આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો છે. વિનોદકુમાર ઉર્ફે વિનુભાઈ નટુલાલ ચૌહાણ (હાલ રહે. ઉદવાડા, જી.વલસાડ, મુળ રહે. તળાજા) અને રાઘવભાઈ રામજીભાઈ ધામેલીયા (રહે.વાળુકડ, તા.પાલિતાણા)એ ગત તા.૭-૮-૨૦૨૩થી ૮-૧૧-૨૦૨૩ દરમિયાન સંસ્થાની સગીરા સાથે જાતિય સતામણી કરી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.