ગુલાબનું અત્તર વેચનાર બાસિલ ઝહારોફ: મોતનો સૈનિક સોદાગર
ગુલાબનું અત્તર વેચનાર બાસિલ ઝહારોફ: મોતનો સૈનિક સોદાગર
Published on: 07th June, 2026

1884માં બ્રિટનના લિવરપૂલમાં, ગુલાબનું અત્તર વેચનાર ગ્રીક નાગરિક બાસિલ ઝહારોફ, નોર્ડનફેલ્ટ કંપની પાસેથી સબમરીન ખરીદવા માટે ગ્રીસને તૈયાર કરે છે. ત્યારબાદ, ગ્રીસનો ભય બતાવી તુર્કીને પણ સબમરીન વેચે છે. આધુનિક બેટરીના અભાવે આ સબમરીન નિષ્ફળ જાય છે, પરંતુ ઝહારોફ તેની ચાલાકીથી રશિયાના ઝારને પણ ત્રણ સબમરીન વેચી દે છે. જાપાન અને રશિયા વચ્ચે યુદ્ધ ભડકાવી, બંને દેશોને શસ્ત્રો વેચી, તે પોતાનો ફાયદો કમાય છે, ભલે તેમાં લોકો મરે કે દેશો બદહાલ થાય.