મહાત્મા જયોતિબા ફુલેના સાહિત્યનો સાત ભાષાઓમાં અનુવાદ
મહાત્મા જયોતિબા ફુલેના સાહિત્યનો સાત ભાષાઓમાં અનુવાદ
Published on: 21st August, 2026

૨૦૦મી જન્મજયંતી નિમિત્તે મહારાષ્ટ્ર સરકાર મહાત્મા જયોતિબા ફુલેના સમગ્ર સાહિત્યનો ગુજરાતી સહિત સાત ભાષાઓમાં અનુવાદ કરાવશે. આ સાહિત્ય અકાદમીઓ દ્વારા ગુજરાતી, હિંદી, સંસ્કૃત, સિંધી, તેલુગુ, ગોડ બંજારા અને બંગાળીમાં ભાષાંતરિત થશે. આ નિર્ણય મહાન સમાજ સુધારક અને વિચારક મહાત્મા ફુલેના કાર્યોને વધુ લોકો સુધી પહોંચાડવા માટે લેવામાં આવ્યો છે. આ અનુવાદ કાર્ય ૮૬૧ પાનાના 'મહાત્મા જયોતિબા ફુલે સમગ્ર વાંગ્મય'ને પણ આવરી લેશે.