RBIનો નવો નિયમ: એક લોન ડિફોલ્ટ કરશો તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરાશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ લોન ડિફોલ્ટરો સામે લાલ આંખ કરી છે. તાજેતરમાં 27મી એપ્રિલે બહાર પાડેલા પરિપત્ર મુજબ, જો કોઈ લોન લેનાર પાસે નાણાં હોવા છતાં ઈરાદાપૂર્વક લોન નહીં ચૂકવે, તો તેને માત્ર છ મહિનામાં જ 'વિલફૂલ ડિફોલ્ટર' જાહેર કરી દેવામાં આવશે. આટલું જ નહીં, આવા કિસ્સામાં રાષ્ટ્રપ્રમુખ દ્વારા નિર્ધારિત બેંકિંગ નિયમો હેઠળ વ્યક્તિના તમામ બેંક એકાઉન્ટ્સ સ્થગિત (ફ્રીઝ) કરી દેવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ કડક જોગવાઈઓ પહેલી એપ્રિલ 2026થી અમલમાં મૂકવાની સૂચના આપવામાં આવી છે.
RBIનો નવો નિયમ: એક લોન ડિફોલ્ટ કરશો તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરાશે.
કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મોટા નિર્ણય!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે, જે અંતર્ગત રાજ્યમાં રૂપિયા 3,900 કરોડથી વધુના કુલ રોકાણ સાથે વધુ બે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત વાડીનાર ખાતે એક આધુનિક શિપ રિપેર ફેસિલિટીની સ્થાપનાને પણ લીલીઝંડી આપવામાં આવી છે. વધુ બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ પ્રોજેક્ટ્સ દ્વારા ભારત હવે કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર-આધારિત 'મિની/માઈક્રો LED' ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે ડગ માંડશે. આ નવી સુવિધાઓથી રાજ્યમાં અંદાજે 2,230 કુશળ પ્રોફેશનલ્સ માટે રોજગારીની નવી તકો ઉભી થશે.
કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ગુજરાત માટે બે મોટા નિર્ણય!
મમતા બેનરજીએ રાજીનામું ન આપ્યું, તો હવે કેવી રીતે બનશે ભાજપનો CM? જાણો નિયમ.
જો મુખ્યમંત્રી ચૂંટણીમાં હાર્યા પછી પણ રાજીનામું આપવાનો ઈનકાર કરે, તો રાજ્યપાલ પાસે વિશેષ સત્તાઓ હોય છે. રાજ્યપાલ હારેલા મુખ્યમંત્રી પાસે રાજીનામું માંગી શકે છે અને જો તેઓ ના પાડે તો તેમને પદ પરથી બરતરફ કરી શકે છે. કલમ-164 હેઠળ રાજ્યપાલને નવો મુખ્યમંત્રી નિયુક્ત કરવાની અને શપથ અપાવવાની શક્તિ મળે છે. રાજ્યપાલ બહુમતી ધરાવતા પક્ષના નેતાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપી શકે છે. જો કોઈ ગંભીર બંધારણીય ઈમરજન્સી ઉભી થાય, તો રાજ્યપાલ કલમ-356 હેઠળ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ પણ કરી શકે છે. જોકે, સ્પષ્ટ જનાદેશ હોવાથી આની જરૂર પડતી નથી.
મમતા બેનરજીએ રાજીનામું ન આપ્યું, તો હવે કેવી રીતે બનશે ભાજપનો CM? જાણો નિયમ.
કિરણ મઝુમદાર શૉએ બાયોકોનના ઉત્તરાધિકારીની કરી જાહેરાત.
બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર-શૉએ અંદાજિત 60 હજાર કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી આ કંપનીની કમાન યુવા પેઢીને સોંપવાની તૈયારી કરી લીધી છે. તેમણે સત્તાવાર રીતે તેમની ભત્રીજી ક્લેર મઝુમદાર(Claire Mazumdar)ને તેમના ઉત્તરાધિકારી તરીકે નામિત કર્યા છે. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે બાયોકોન જેવી દેશની બાયોફાર્મા કંપનીની કમાન ફરી એકવાર મહિલાના હાથમાં જ રહેશે. મહત્વનું છે કે કિરણ મઝુમદાર છેલ્લા 48 વર્ષોથી કંપનીની કમાન સંભાળી રહ્યા છે.
કિરણ મઝુમદાર શૉએ બાયોકોનના ઉત્તરાધિકારીની કરી જાહેરાત.
'હું રાજીનામું આપવા લોકભવન નહીં જઉં, અમે ચૂંટણી હાર્યા જ નથી...' મમતા બેનર્જીનું નિવેદન.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો છે કે, તેઓ ચૂંટણી હાર્યા જ નથી, પરંતુ 100 મતવિસ્તારોમાં મત "લૂંટાયા" છે. મમતા બેનર્જીએ કહ્યું કે, 'મારે લોકભવન કેમ જાઉં જોઈએ? જો મારે શપથ લેવાના હોત તો હું જાત. તેઓએ કબજો કરી લીધો છે. શું તમને લાગે છે કે હું રાજીનામું આપી દઉં? હું નહીં જાઉં. હું રસ્તા પર હતી અને રસ્તા પર જ રહીશ. બે ફેઝમાં ચૂંટણી થયા બાદ તેઓએ અમારા લોકોની અટકાયત કરવાનું શરૂ કરી દીધુ અને અધિકારીઓના ટ્રાન્સફર કરવાનું શરૂ કર્યું. ચૂંટણીમાં ભાજપ પોતાની જ પાર્ટીના બ્યૂરોક્રેટ્સને લઈને આવ્યા.'
'હું રાજીનામું આપવા લોકભવન નહીં જઉં, અમે ચૂંટણી હાર્યા જ નથી...' મમતા બેનર્જીનું નિવેદન.
કોણ બનશે બંગાળના નવા CM? 4 દિગ્ગજોના નામ રેસમાં.
પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની ભવ્ય જીત બાદ હવે સરકાર રચવાની તૈયારીઓ તેજ બની ગઈ છે. પ્રદેશ ભાજપ પ્રમુખ શમિક ભટ્ટાચાર્યએ જાહેરાત કરી છે કે, આગામી 9 મે એટલે કે શનિવારના રોજ શપથ ગ્રહણ સમારોહ યોજાશે. મુખ્યમંત્રી પદ માટે કયા નેતાના નામ પર પસંદગી ઉતારવામાં આવશે તે અંગે હજુ સસ્પેન્સ યથાવત છે. મુખ્યમંત્રી પદની રેસમાં નંદીગ્રામ અને ભવાનીપુર બંને બેઠકો પર વિજય મેળવનાર શુભેન્દુ અધિકારીનું નામ સૌથી આગળ છે. આ સિવાય શમિક ભટ્ટાચાર્ય, દિલીપ ઘોષ અને ઉત્પલ મહારાજના નામો પણ ચર્ચામાં છે.
કોણ બનશે બંગાળના નવા CM? 4 દિગ્ગજોના નામ રેસમાં.
'કેજરીવાલને જલ્દી મોટું સરપ્રાઈઝ મળશે', કોંગ્રેસના દિગ્ગજ નેતાના દાવાથી AAPના ધબકારા વધ્યા.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને AAPના ધારાસભ્યોની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથેની મુલાકાત પૂર્વે રાજકીય ગરમાવો તેજ થયો છે. કોંગ્રેસ નેતા પ્રતાપસિંહ બાજવાએ AAP અને BJP વચ્ચે મિલીભગતનો ગંભીર આક્ષેપ કરતા બંનેને એક જ સિક્કાની બે બાજુ ગણાવ્યા છે. બાજવાએ રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદોની વહેલી મુલાકાત પર સવાલ ઉઠાવતા સંકેત આપ્યો છે કે અરવિંદ કેજરીવાલને ટૂંક સમયમાં કોઈ મોટું 'સરપ્રાઈઝ' મળી શકે છે. ભાજપના નેતાઓના નિવેદનો અને આ ઘટનાક્રમે પંજાબના રાજકારણમાં નવી ચર્ચાઓ જગાવી છે.
'કેજરીવાલને જલ્દી મોટું સરપ્રાઈઝ મળશે', કોંગ્રેસના દિગ્ગજ નેતાના દાવાથી AAPના ધબકારા વધ્યા.
ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા?
છેલ્લા બે મહિનાથી વધુ સમયથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાથી ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઊર્જા સંકટ ઘેરું બન્યું છે અને ખાસ કરીને ભારતના LPG પુરવઠા પર તેની માઠી અસર પડી રહી છે. ભારત પોતાની જરૂરિયાતનો 80-90% LPG હોર્મુઝના માર્ગે આયાત કરે છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, 'ઓપરેશન ફ્રીડમ' હેઠળ અમેરિકન નેવી ત્યાં ફસાયેલા જહાજોને સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરશે. અમેરિકાનું કહેવું છે કે ભારત જેવા મોટા દેશોમાં કરોડો પરિવારો રાંધણ ગેસ પર નિર્ભર છે, તેથી આ રસ્તો ખોલવો માત્ર આર્થિક જ નહીં પણ માનવતાના ધોરણે પણ અત્યંત મહત્ત્વનું છે
ભારતના ખભે બંદૂક ફોડશે અમેરિકા?
મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાત-UAE પર થયેલા હુમલાઓની આકરા શબ્દોમાં નિંદા કરી છે. આ હુમલામાં 3 ભારતીય નાગરિકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા બાદ વડાપ્રધાને નાગરિકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરના હુમલાઓને અસ્વીકાર્ય ગણાવ્યા છે. વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરીને કહ્યું છે કે, ભારત આ મુશ્કેલ સમયમાં UAE સાથે મક્કમતાથી ઊભું છે. આ સાથે જ તેમણે ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા માટે વાતચીત પર ભાર મૂક્યો હતો.
મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ!
પંજાબ CM અને ધારાસભ્યો દિલ્હી રવાના, રાષ્ટ્રપતિને મળશે.
પંજાબના CM ભગવંત માન 94 AAP ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચ્યા છે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળી રાજ્યસભા સાંસદોના AAP છોડી BJPમાં જોડાવાની ફરિયાદ કરશે અને રાઇટ ટુ રિકોલ કાયદાની માંગ કરશે. આ દરમિયાન, ચઢ્ઢા, પાઠક અને મિત્તલ પણ રાષ્ટ્રપતિને મળશે અને રાજકીય બદલો લેવા સુરક્ષા છીનવી, ટ્રાઇડેન્ટ ફેક્ટરી પર દરોડા અને FIR નોંધવાના મુદ્દા ઉઠાવશે. પંજાબ BJP પ્રમુખ જાખડે AAP ધારાસભ્યોની બસ BJP કાર્યાલય તરફ વળી ન જાય તેની કાળજી રાખવા કહ્યું.
પંજાબ CM અને ધારાસભ્યો દિલ્હી રવાના, રાષ્ટ્રપતિને મળશે.
હારમાં પણ જીત! પ્રાદેશિક પક્ષોના ગઢ ધરાશાયી થતાં હવે કોંગ્રેસ માટે ખાસ તક
તાજેતરના ચૂંટણી પરિણામોમાં ભાજપે આસામમાં સત્તાની હેટ્રિક લગાવી છે અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના ગઢમાં ગાબડું પાડીને પ્રથમવાર સરકાર બનાવવામાં સફળતા મેળવી છે. જોકે, સપાટી પર ભાજપની જીત દેખાઈ રહી હોવા છતાં, રાજકીય વિશ્લેષકો કોંગ્રેસને આ ચૂંટણીના સૌથી મોટા 'વ્યૂહાત્મક વિજેતા' (Strategic Gainer) તરીકે જોઈ રહ્યા છે.
હારમાં પણ જીત! પ્રાદેશિક પક્ષોના ગઢ ધરાશાયી થતાં હવે કોંગ્રેસ માટે ખાસ તક
સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતે પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં ભાજપની જીતની ઉજવણી.
સુરેન્દ્રનગરમાં ભાજપ કાર્યાલય ખાતે પાંચ રાજ્યોમાં, ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં મળેલી બહુમતીની ઉજવણી. કાર્યકરોએ ફટાકડા ફોડી, મોં મીઠું કરાવી, 'શ્રી રામ' અને 'ભારત માતા કી જય'ના નારા લગાવી ઉત્સાહ વ્યક્ત કર્યો. શહેર પ્રમુખ અને અનેક અગ્રણીઓની ઉપસ્થિતિ રહી.
સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતે પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં ભાજપની જીતની ઉજવણી.
પાંચ રાજ્યોમાં ચૂંટણી પરિણામો: ભાજપનો દબદબો, નવી સરકારો રચાઈ
પાંચ રાજ્યોની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં ભાજપ પહેલીવાર સત્તામાં આવ્યું, જ્યારે આસામમાં ત્રીજી વખત સરકાર બનાવી. તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી TVK ચોંકાવનારા પરિણામો સાથે સૌથી મોટી પાર્ટી બની. કેરળમાં કોંગ્રેસની વાપસી સાથે દેશમાં લેફ્ટ સરકારનો અંત આવ્યો. પુડુચેરીમાં પણ NDA સત્તામાં આવ્યું.
પાંચ રાજ્યોમાં ચૂંટણી પરિણામો: ભાજપનો દબદબો, નવી સરકારો રચાઈ
હિમંતા બિશ્વો શર્મા: કરોડોની સંપત્તિ, પણ કાર નથી!
આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વો શર્મા પાસે ₹35 કરોડની સંયુક્ત સંપત્તિ છે, જેમાં તેમની પત્ની અનલિસ્ટેડ કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ્સ અને શેર્સમાં રોકાણ ધરાવે છે. હિમંતા પાસે કાર, ઘર કે જમીન નથી, જ્યારે તેમની પત્નીના નામે કરોડોની મિલકતો, એક કાર અને મીડિયા કંપની નોંધાયેલી છે.
હિમંતા બિશ્વો શર્મા: કરોડોની સંપત્તિ, પણ કાર નથી!
5 રાજ્યોની ચૂંટણી: બે મુખ્યમંત્રીએ પોતાની બેઠક ગુમાવી, રિક્ષાચાલકે દિગ્ગજોને હરાવ્યા...
ચૂંટણીના તાજેતરના પરિણામોમાં લોકશાહીનો અસલી પાવર જોવા મળ્યો છે, જ્યાં જનતાએ અનેક દિગ્ગજ નેતાઓને પરાજયનો સ્વાદ ચખાડ્યો છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીની 832 વિધાનસભા બેઠકો પર થયેલી મતગણતરીમાં અનેક ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. આ ચૂંટણીની સૌથી મોટી હકીકત એ છે કે બે રાજ્યોના વર્તમાન મુખ્યમંત્રીઓ પોતાની પરંપરાગત બેઠકો બચાવી શક્યા નથી. પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજી અને તમિલનાડુમાં મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન જેવા કદાવર નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે.
5 રાજ્યોની ચૂંટણી: બે મુખ્યમંત્રીએ પોતાની બેઠક ગુમાવી, રિક્ષાચાલકે દિગ્ગજોને હરાવ્યા...
ભાજપના ‘ડબલ એન્જિન’ની જીત: બંગાળમાં ‘કમળ’ ખીલ્યું
PM મોદીના ‘ડબલ એન્જિન’ના વાયદાએ ટીએમસીની ‘બંગાળી અસ્મિતા’ની કથાને હરાવી. ભાજપે સંગઠનાત્મક તૈયારીઓ, પરીક્ષાઓ, ગ્રામીણ વિસ્તારોમાં ડરનો મુકાબલો અને નવા મતદારોને જોડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. હિન્દુ ધ્રુવીકરણ, રોજગાર, ઔદ્યોગિક સ્થગિતતા અને સ્થાનિક નેતાગીરી સામેની નારાજગી જેવા મુદ્દાઓ નિર્ણાયક બન્યા. દરેક ક્ષેત્ર માટે અલગ રણનીતિ, સ્થાનિક નેતાઓનો ઉપયોગ અને ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ રાજ્યની રાજકીય ભૂગોળ બદલવામાં સફળ રહ્યા.
ભાજપના ‘ડબલ એન્જિન’ની જીત: બંગાળમાં ‘કમળ’ ખીલ્યું
15 રાજ્યોમાં આંધી-તોફાનનું એલર્ટ!
હવામાન વિભાગે 5 મેના રોજ દિલ્હી, યુપી, બિહાર, ઝારખંડ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આસામ, તમિલનાડુ અને કેરળ સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદ અને આંધીનું એલર્ટ જાહેર કર્યું છે. 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દિલ્હી-NCRમાં આજે વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ પડી શકે છે.
15 રાજ્યોમાં આંધી-તોફાનનું એલર્ટ!
અરવલ્લીમાં કમોસમી વરસાદ, અસહ્ય ઉકળાટ બાદ ઠંડક, અમદાવાદમાં 41°C અનુમાન.
અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો, જેનાથી અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી. હવામાન વિભાગે અમદાવાદમાં 41°C તાપમાનનું અનુમાન લગાવ્યું છે, જે રાજ્યનું સૌથી ગરમ શહેર રહેશે. રાજકોટ અને ગાંધીનગર પણ 40°C તાપમાન અનુભવશે, જ્યારે અન્ય શહેરોમાં 39°C ની આસપાસ રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીથી થોડી રાહત મળશે. ખેડૂતોને પાક નુકસાનની ભીતિ છે.
અરવલ્લીમાં કમોસમી વરસાદ, અસહ્ય ઉકળાટ બાદ ઠંડક, અમદાવાદમાં 41°C અનુમાન.
મુંબઈ-દિલ્હી હાઈવે પર અકસ્માત, એક જ પરિવારના ત્રણના મોત
કાલોલ નજીક મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર અજાણ્યા વાહને કારને ટક્કર મારતા સુરતના પંડ્યા પરિવારના પતિ, પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. 14 વર્ષીય પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. પરિવાર વાસ્તુ પૂજન માટે વતન જઈ રહ્યો હતો. પોલીસ તપાસ કરી રહી છે.
મુંબઈ-દિલ્હી હાઈવે પર અકસ્માત, એક જ પરિવારના ત્રણના મોત
પશ્ચિમ બંગાળમાં TMCનો અંત: સુવેન્દુ અધિકારીનો આક્રમક દાવો, મમતા બેનર્જી હાર્યા.
પશ્ચિમ બંગાળમાં 2026ની વિધાનસભા ચૂંટણીના પરિણામો ચોંકાવનારા છે. સુવેન્દુ અધિકારીએ મમતા બેનર્જીને તેમના જ ગઢ ભવાનીપુરમાં હરાવી ઇતિહાસ રચ્યો. વિજય બાદ અધિકારીએ TMCના ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદ પર પ્રહાર કરતા કહ્યું કે પાર્ટી આગામી 24 કલાકમાં નાશ પામશે. ભાજપે 206 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી, જ્યારે TMC માત્ર 81 પર રહી.
પશ્ચિમ બંગાળમાં TMCનો અંત: સુવેન્દુ અધિકારીનો આક્રમક દાવો, મમતા બેનર્જી હાર્યા.
પરિવર્તનનો પવન, કેશ ટ્રાન્સફર, Gen Zનો ઉદય...: 5 રાજ્યોના પરિણામો પાછળના 10 ટ્રેન્ડ્સ જાણવા જરૂરી
દેશના ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ (બંગાળ, અસામ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરી) ના વિધાનસભા ચૂંટણી પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. આ પરિણામોમાં ભાજપે ત્રણ રાજ્યોમાં જીતનો પરચમ લહેરાવ્યો છે, જ્યારે કેરળમાં કોંગ્રેસ ગઠબંધને વાપસી કરી છે. તમિલનાડુમાં અભિનેતા વિજયની પાર્ટી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી છે.
પરિવર્તનનો પવન, કેશ ટ્રાન્સફર, Gen Zનો ઉદય...: 5 રાજ્યોના પરિણામો પાછળના 10 ટ્રેન્ડ્સ જાણવા જરૂરી
બોગસ આધારકાર્ડ વાપરી 10 કરોડની સાડીઓ પડાવનાર ઠગ સુરતમાં ઝડપાયો
સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. તામિલનાડુનો ગણેશ થનગાવેલ નામનો ઠગ બોગસ આધારકાર્ડ અને નકલી પેઢી બનાવી વેપારીઓ સાથે છેતરપિંડી કરતો હતો. તેણે 10 કરોડ રૂપિયાની સાડીઓ મેળવી અને ચૂકવણી કર્યા વગર ફરાર થઈ ગયો હતો. પોલીસે તેને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
બોગસ આધારકાર્ડ વાપરી 10 કરોડની સાડીઓ પડાવનાર ઠગ સુરતમાં ઝડપાયો
PM મોદી 11 મેએ સોમનાથ આવશે, ભવ્ય તૈયારીઓ શરૂ.
દેશમાં વિધાનસભા ચૂંટણીના વિજય બાદ PM મોદી 11મી મેએ ગુજરાત આવશે. તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે સ્થાપનાના 85 વર્ષની ઉજવણીમાં હાજરી આપશે. આ મુલાકાતને લઈને સોમનાથમાં તૈયારીઓ તેજ કરાઈ છે. હેલિપેડ, વીજ પુરવઠો, ટ્રાફિક, પાર્કિંગ અને રોડ-શૉ રૂટ પર સ્વચ્છતા જેવી વ્યવસ્થાઓનું આયોજન કરાઈ રહ્યું છે. કલેકટર દ્વારા અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.
PM મોદી 11 મેએ સોમનાથ આવશે, ભવ્ય તૈયારીઓ શરૂ.
વિજ્ઞાન માનવને અમર બનાવશે?
અમરત્વની માનવીય ઝંખના ઇતિહાસ જેટલી જૂની છે. રશિયામાં થયેલા સંશોધનો માનવીને 200 વર્ષ જીવવાની આશા આપે છે. આ ટેકનોલોજી 'એજિંગ'ને રોગ ગણી 'ટેલોમિયર્સ'ને લાંબા કરી 'જિન થેરાપી' દ્વારા યુવાન બનાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ, આ માત્ર વિજ્ઞાનનો વિષય નથી, પણ જીવનનો અર્થ, નૈતિકતા અને આધ્યાત્મિકતા સાથે ઊંડો સંબંધ ધરાવે છે. આધ્યાત્મિક દૃષ્ટિએ, અમરત્વ આત્માનો સ્વભાવ છે, શરીરનો નહીં. લાંબા આયુષ્ય કરતાં જીવનની ગુણવત્તા મહત્વની છે.
વિજ્ઞાન માનવને અમર બનાવશે?
ખાનગી ક્ષેત્રની બેન્કોને વર્તમાન નાણાં વર્ષમાં રિટેલ ધિરાણમાં વધારાની અપેક્ષા.
ધિરાણ વૃદ્ધિ માટે મોટેભાગે કોર્પોરેટ તથા માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ) પર નિર્ભર રહેતી મોટી ખાનગી ક્ષેત્રની બેન્કો વર્તમાન નાણાં વર્ષમાં રિટેલ ધિરાણ ઉપાડમાં વધારો થવાની અપેક્ષા રાખી રહી છે. ગયા નાણાં વર્ષના ચોથા ત્રિમાસિકમાં રિટેલ ધિરાણ વૃદ્ધિ એક અંકમાં રહી હતી. જો કે રિટેલ ધિરાણ છૂટુ કરવામાં ભારે ઝડપ ધિરાણ ચોપડા પર અર્થપૂર્ણ વૃદ્ધિમાં પરિવર્તન જોવા મળશે તેવી ખાનગી બેન્કો અપેક્ષા રાખી રહી છે. પશ્ચિમ એશિયાની કટોકટી વચ્ચે પણ કોર્પોરેટ ધિરાણમાં સ્થિતિસ્થાપકતા જળવાઈ રહેવાની ધારણાં છે.
ખાનગી ક્ષેત્રની બેન્કોને વર્તમાન નાણાં વર્ષમાં રિટેલ ધિરાણમાં વધારાની અપેક્ષા.
અવકાશી યુદ્ધ: ટેક્નોલોજીના અવિચારી ઉપયોગનું ભયાનક પરિણામ.
છેલ્લાં ઘણા સમયથી ચર્ચા ચાલે છે કે, અવકાશમાં ઉપગ્રહો નષ્ટ કરવાની ટેક્નોલોજી કેટલાક દેશો દ્વારા વિકસાવવામાં આવી છે. તેના કારણે જ આ ભય તરફ દુનિયાની નજર જઈ રહી છે. અવકાશમાં જે યુદ્ધ થશે તેની અસર વ્યાપક અને દુરોગામી હશે. માત્ર એક સેટેલાઈટ તોડી પાડવામાં આવે તો તે માત્ર સાધન તોડી પાડવા જેવું નથી. જો ઉપગ્રહો તોડી પાડવામાં આવશે તો તેનો કાટમાળ અવકાશમાં જ અત્યંત ઝડપથી ફર્યા કરશે અને તેની ભ્રમણકક્ષામાં આવનારા અન્ય ઉપગ્રહોને પણ નુકસાન પહોંચાડશે. આ એક એવું વિષચક્ર છે જે શરૂ થયા બાદ ક્યારેય અટકશે નહીં.
અવકાશી યુદ્ધ: ટેક્નોલોજીના અવિચારી ઉપયોગનું ભયાનક પરિણામ.
રૂપિયામાં સ્થિરતા માટે RBIના પગલાં.
ટાટા કર્વ EV X સિરીઝ લોન્ચ: 502km રેન્જ, ₹16.99 લાખથી શરૂ.
ટાટા ઇવીએ દેશની પહેલી કૂપે SUV 'કર્વ EV'ની નવી X સિરીઝ ₹16.99 લાખથી શરૂ કરીને લોન્ચ કરી છે. આ car full charge પર 502km દોડશે. તેમાં 'અકમ્પ્લિશ્ડ X 55' અને 'એમ્પાવાર્ડ X 55' વેરિઅન્ટ્સ, નવો 'નાઇટ્રો ક્રિમસન' કલર અને લાઈફટાઇમ વોરંટી જેવા ફીચર્સ મળે છે.
ટાટા કર્વ EV X સિરીઝ લોન્ચ: 502km રેન્જ, ₹16.99 લાખથી શરૂ.
બાલાજીની 'ઝાલમુરી' ધૂમ: MD વિરાણીની જાહેરાત, યુપીથી બંગાળ વેચાણ, બે-ત્રણ વર્ષમાં ફેક્ટરી.
ગુજરાતીઓ તક ઝડપવામાં માહેર છે. રાજકોટની બાલાજી વેફર્સ 'ઝાલમુરી' લોન્ચ કરીને આ વાત સાબિત કરી રહી છે. PM મોદીએ બંગાળમાં ચાખેલી ઝાલમુરી હવે રૂ. 5 અને 10માં ઉપલબ્ધ થશે. MD ચંદુભાઈ વિરાણીએ જણાવ્યું કે, હાલ યુપીથી વેચાણ થશે, અને બે-ત્રણ વર્ષમાં બંગાળમાં ફેક્ટરી ચાલુ થશે. કર્ણાટકમાં પણ ટૂંક સમયમાં ઉત્પાદન થશે.
બાલાજીની 'ઝાલમુરી' ધૂમ: MD વિરાણીની જાહેરાત, યુપીથી બંગાળ વેચાણ, બે-ત્રણ વર્ષમાં ફેક્ટરી.
મમતાદીદીનું અચ્યુતમ્ કેશવમ્ લોકશાહીમાં વોટની તાકાત
હિન્દુઓએ ત્રીજું નેત્ર ખોલીને તૃણમૂલ કોંગ્રેસને ભસ્મ કરી નાખી- પ્રસંગપટ- તમિળનાડુમાં અભિનેતા વિજયે પહેલીવાર ચૂંટણીમાં ઝૂકાવ્યું અને સ્ટાલીન ફેમિલીને ધૂળ ચાટતું કરી નાખ્યું મોટાભાગના એક્ઝિટ પોલ ખોટા પડયા છે. છેલ્લાં ૪૮ વર્ષથી (૩૪ વર્ષ ડાબેરી શાસનનાં અને ૧૪ વર્ષ મમતા બેનરજીનાં) ગુંડારાજને મૂંગે મોઢે સહન કરનાર પશ્ચિમ બંગાળના હિન્દુઓએ ત્રીજું નેત્ર ખોલીને તૃણમૂલ કોંગ્રેસને ભસ્મ કરી નાખી છે. મમતા બેનરજી હાર્યાં એ વિરોધ પક્ષ માટે બીજા મરણતોલ ફટકા સમાન છે.