સહારા ગ્રુપ રિફંડ પોર્ટલ શરૂ: ફસાયેલા પૈસા પાછા મેળવવા માટેની નવી માર્ગદર્શિકા
સહારા ગ્રુપ રિફંડ પોર્ટલ શરૂ: ફસાયેલા પૈસા પાછા મેળવવા માટેની નવી માર્ગદર્શિકા
Published on: 15th September, 2026

સહારા ગ્રુપની ચાર સહકારી મંડળીઓમાં ફસાયેલા નાણાંના રિફંડ માટે રાહ જોઈ રહેલા લાખો રોકાણકારો માટે કેન્દ્ર સરકારે CRCS-સહારા રિફંડ પોર્ટલ ફરી સક્રિય કર્યું છે. આનાથી લગભગ 20 લાખ પેન્ડિંગ દાવાઓની ચકાસણી અને પ્રક્રિયા ફરી શરૂ થઈ છે. પાત્ર દાવાઓ માટે ₹10 લાખ સુધીનું રિફંડ આપવામાં આવી રહ્યું છે, જે અગાઉ ₹50,000 હતું. અત્યાર સુધીમાં 41.56 લાખથી વધુ થાપણદારોને ₹9,267 કરોડથી વધુની રકમ પરત કરવામાં આવી છે. IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત સમસ્યાઓ દૂર થયા બાદ પોર્ટલ ફરી કાર્યરત થયું છે. દાવો ફાઈનલ થયા પછી 45 દિવસમાં ચુકવણીની જોગવાઈ છે, પરંતુ ચકાસણી પ્રક્રિયા પર આધાર રાખે છે.