નીતિન ગડકરીના નિવૃત્તિના સંકેતો?
નીતિન ગડકરીના નિવૃત્તિના સંકેતો?
Published on: 24th August, 2026

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના એક નિવેદને રાજકીય ગલીયારોમાં ચર્ચા જગાવી છે. નાગપુર ખાતેના કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, "હવે મારે વધારે કામ ન કરવું જોઈએ અને નવી પેઢીને આગળ આવવાની તક આપવી જોઈએ." આ નિવેદન બાદ તેઓ સક્રિય રાજકારણમાંથી સંન્યાસ લેશે તેવી અટકળો વહેતી થઈ છે. જોકે, તેમણે આ અંગે કોઈ સ્પષ્ટ જાહેરાત કરી નથી. ગડકરીએ પોતાના લગભગ 30 વર્ષના જાહેર જીવનનો ઉલ્લેખ કર્યો અને સ્વાસ્થ્યને વધુ મહત્વ આપવાની વાત કરી, જણાવ્યું કે સ્વસ્થ ન હોય તો સત્તાનો કોઈ અર્થ નથી. તેઓ ખેડૂતોના કલ્યાણ માટે કામ કરવા ઈચ્છે છે.