અમિત શાહ: ‘વંદે માતરમ’ના બે ટુકડા કરનાર કોંગ્રેસનો સડકથી સંસદ સુધી વિરોધ
અમિત શાહ: ‘વંદે માતરમ’ના બે ટુકડા કરનાર કોંગ્રેસનો સડકથી સંસદ સુધી વિરોધ
Published on: 21st August, 2026

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ કાર્યસમિતિના ‘વંદે માતરમ’ના માત્ર બે અંતરા ગાવાના નિર્ણયને તુષ્ટિકરણની રાજનીતિ અને રાષ્ટ્રવિરોધી ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે 1937માં કોંગ્રેસના આ જ નિર્ણયથી દેશના ભાગલાનો પાયો નંખાયો હતો. PM મોદીના નેતૃત્વમાં સરકારે આ ભૂલ સુધારીને ‘વંદે માતરમ’નું સંપૂર્ણ ગાન ફરજિયાત કર્યું છે, જેનો કોંગ્રેસ અનાદર કરી રહી છે. શાહે દેશવાસીઓને કોંગ્રેસના આ નિર્ણય સામે અવાજ ઉઠાવવા અને તુષ્ટિકરણની રાજનીતિનો વિરોધ કરવા અપીલ કરી છે.