ઇઝરાયલના PM બેન્ઝામિન નેતાન્યાહુને પદ ઉપરથી હટાવવા માટે ઇઝરાયલના 2 પૂર્વ વડાપ્રધાનો એક થયા.
PM બેન્ઝામિન નેતાન્યાહુને હરાવવા માટે બે અલગ અલગ વિચારધારા ધરાવતા પૂર્વ પ્રધાનમંત્રીઓએ પોતાની પાર્ટીઓનું વિલિનીકરણ કરીને એક નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. ઇઝરાયલમાં બે ભૂતપૂર્વ વડાપ્રધાનો નફતાલી બેનેટ અને યાયર લેપિડે વર્તમાન વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સામે સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. જેનો હેતુ તેમને પદ પરથી હટાવવાનો છે. હવે બંને નેતાઓએ બેનેટના નેતૃત્વમાં એક નવી પાર્ટી બનાવવા માટે ફરીથી એક થવાનો અને તેમના પક્ષોને મર્જ કરવાનો નિર્ણય લીધો છે. ઇઝરાયલમાં ઓક્ટોબર 2027 માં ચૂંટણી થવાની છે.
ઇઝરાયલના PM બેન્ઝામિન નેતાન્યાહુને પદ ઉપરથી હટાવવા માટે ઇઝરાયલના 2 પૂર્વ વડાપ્રધાનો એક થયા.
ઈરાન માટે 'કરો કે મરો' જેવી સ્થિતિ: ઓઇલ સ્ટોક કરવા માટે જગ્યા ખૂટી પડી, છલકાઈને દરિયામાં વહ્યું
અમેરિકા અને ઈઝરાયેલ સાથેના વધતા તણાવ અને દરિયાઈ નાકાબંધીને કારણે ઈરાનનું તેલ નિકાસ થઈ રહ્યું નથી. પરિણામે, તેલનો જથ્થો એટલી હદે વધી ગયો છે કે હવે તેને રાખવા માટે ઈરાન પાસે જગ્યા બચી નથી. ઈરાનનું 90% થી વધુ તેલ ઉત્પાદન અને નિકાસ ખાર્ગ આઈલેન્ડ પરથી થાય છે. મેરીટાઇમ એનાલિસ્ટ્સના મતે સ્થિતિ અત્યંત ગંભીર છે. ઈરાન પાસે હવે માત્ર 13 મિલિયન બેરલ તેલ સંગ્રહવાની જગ્યા બાકી છે. રોજનું 10 થી 11 લાખ બેરલ તેલ સતત આવી રહ્યું છે. જો આ જ ગતિ ચાલુ રહી, તો આગામી 12 થી 13 દિવસમાં ઈરાનના તમામ સ્ટોરેજ ટેન્ક ફૂલ થઈ જશે.
ઈરાન માટે 'કરો કે મરો' જેવી સ્થિતિ: ઓઇલ સ્ટોક કરવા માટે જગ્યા ખૂટી પડી, છલકાઈને દરિયામાં વહ્યું
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, ભારતીય નિકાસકારોને 100% ડ્યુટી ફ્રી
ભારત-ન્યૂઝીલેન્ડે આજે નવી દિલ્હીમાં ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કરીને દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં નવા યુગની શરૂઆત કરી છે. આ ડીલથી બંને દેશોમાં વેપાર, રોકાણ અને રોજગારમાં વધારો થશે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને ન્યૂઝીલેન્ડના તેમના સમકક્ષ ટૉડ મૈક્લેની ઉપસ્થિતિમાં આ સમજૂતીને સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. હવે ભારતીય કંપનીઓ ટેક્સ વગર ન્યૂઝીલેન્ડમાં સામાન મોકલી શકશે. આ ઉપરાંત આગામી 15 વર્ષમાં ભારતમાં 20 અબજ ડૉલરનું રોકાણ આવશે.
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, ભારતીય નિકાસકારોને 100% ડ્યુટી ફ્રી
વિશ્વનો એકમાત્ર એવો દેશ જ્યાં નથી એક પણ ગામડું, જાણો કેવી રીતે બન્યું 'સિટી સ્ટેટ'
શું તમે જાણો છો કે વિશ્વમાં એક એવો દેશ પણ છે જ્યાં એક પણ ગામડું નથી? આ દેશ છે સિંગાપોર. સિંગાપોર સંપૂર્ણપણે શહેરીકૃત રાષ્ટ્ર છે અને તેની સમગ્ર વસ્તી શહેરોમાં વસે છે. અહીં જમીનનો લગભગ દરેક હિસ્સો વિકસિત હોવાથી તેને 'સિટી સ્ટેટ' તરીકે ઓળખવામાં આવે છે. આજે સિંગાપોરમાં ગામડા જેવો કોઈ વિસ્તાર જોવા મળતો નથી, પરંતુ આ દેશ હંમેશા આવો નહોતો. પહેલા અહીં પણ નાના-નાના ગામડાંઓ હતા. આ વસાહતો મુખ્યત્વે માછીમારો અને વેપારીઓની હતી. 19મી સદીમાં જ્યારે સિંગાપોર બ્રિટિશ શાસન હેઠળ વેપારી કેન્દ્ર બન્યું, ત્યારથી તેનો વિકાસ ઝડપથી શરૂ થયો.
વિશ્વનો એકમાત્ર એવો દેશ જ્યાં નથી એક પણ ગામડું, જાણો કેવી રીતે બન્યું 'સિટી સ્ટેટ'
ભારતના સોલાર સેક્ટરને અમેરિકાનો મોટો ઝટકો: 123 ટકા એન્ટી-ડમ્પિંગ ડ્યુટી ફટકારી
વૈશ્વિક ગ્રીન એનર્જી માર્કેટમાં મહાસત્તા બનવા તરફ આગળ વધી રહેલા ભારતીય સોલર મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે અમેરિકા તરફથી અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો આવ્યો છે. અમેરિકાએ ભારતીય સોલર સેલ અને મોડ્યુલ્સની આયાત પર 123.04 ટકા જેટલી પ્રાથમિક એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાદવાની સત્તાવાર જાહેરાત કરી છે. આ નિર્ણય માત્ર એક ટેક્સ નથી, પરંતુ ભારતીય નિકાસકારો માટે અમેરિકન બજારના દરવાજા લગભગ બંધ કરી દેનારો એક આર્થિક પ્રહાર છે. ફેબ્રુઆરીમાં લાદવામાં આવેલી કાઉન્ટરવેલિંગ ડ્યુટી અને હવેની એન્ટી-ડમ્પિંગ ડ્યુટી મળીને ભારતીય ઉત્પાદનો પર કુલ ટેક્સનો બોજ 234 ટકાથી પણ વધી ગયો છે.
ભારતના સોલાર સેક્ટરને અમેરિકાનો મોટો ઝટકો: 123 ટકા એન્ટી-ડમ્પિંગ ડ્યુટી ફટકારી
‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી રેલીમાં શીશમહેલનો ઉલ્લેખ કરીને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કોલકાતામાં રેલીને સંબોધન કરીને કહ્યું કે, કેજરીવાલે જુદા રાજકારણનું વચન આપ્યું હતું, પરંતુ તેઓ પોતાની નાની ગાડીમાં આવ્યા અને કરોડો રૂપિયાના શીશમહેલમાં જતા રહ્યા. રાહુલે કેજરીવાલ પર કરોડો રૂપિયાનું ઘર ખરીદ્યું હોવાનો, ભ્રષ્ટાચાર કર્યો હોવાનો, દિલ્હીમાં પ્રદૂષણ વધાર્યું હોવાનો અને દિલ્હીમાં કોંગ્રેસની સરકાર વખતે ઉભુ કરેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખતમ કરી નાખ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર
AAPને ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિતના રાજીનામું આપનારા સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. રાજ્યસભા સચિવાલયે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને રાઘવ ચઢ્ઢા સહિતના તમામ સાતેય બાગી સાંસદોને ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે માન્યતા આપી દીધી છે. આ સાંસદોના જોડાણ બાદ હવે રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 113 થઈ ગઈ છે, આ મોટા ભંગાણને કારણે આમ આદમી પાર્ટીનું કદ ઘટીને માત્ર 3 સાંસદો સુધી મર્યાદિત થઈ ગયું છે. આ અગાઉ આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે રવિવારે(26 એપ્રિલ, 2026) રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનને પત્ર લખીને આ સાંસદોને અયોગ્ય જાહેર કરવાની માંગ કરી હતી.
AAPને ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિતના રાજીનામું આપનારા સાંસદોને ભાજપમાં જોડાવાની મંજૂરી
'રાઘવ ચઢ્ઢાને સાંસદ બનાવ્યા એટલા માટે પરિણીતી સાથે થયા લગ્ન', AAP નેતાનું ચોંકાવનારું નિવેદન
AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે જો તેઓ રાજ્યસભા સાંસદ ન હોત તો કોઈ પૂછતું નહીં. ભારદ્વાજે કહ્યું, ‘તમારે પાર્ટી છોડવી હતી, છોડી શકતા હતા, લોકો તમને ગાળો ન આપતા. ગાળો એટલે આપવામાં આવી રહી છે કે તમે તમારી પાર્ટી જેણે તમને બધું આપ્યું, આજે તમારા લગ્ન પણ થઈ શક્યા છે ને, તો એટલા માટે કે તમને રાજ્યસભાના સભ્ય બનાવવામાં આવ્યા, નહીંતર કોઈ તમને પૂછતું નહીં. તમને તે પાર્ટીથી કોઈ પણ નારાજગી હોય તમારી, તમે સમગ્ર કાવતરું કર્યું. આખી ટીમને તમે તોડીને લઈ ગયા. ગમે તેટલી દલીલો આપો, લોકો તમને ગાળો સાચી આપી રહ્યા છે.’
'રાઘવ ચઢ્ઢાને સાંસદ બનાવ્યા એટલા માટે પરિણીતી સાથે થયા લગ્ન', AAP નેતાનું ચોંકાવનારું નિવેદન
પાકિસ્તાન નિષ્ફળ રહ્યા બાદ હવે શાંતિ મંત્રણામાં મધ્યસ્થતા કરશે આ દેશ, ઈરાને ખુદ આપ્યા સંકેત!
સૂત્રોના જણાવ્યા મુજબ, અમેરિકા-ઈરાન વચ્ચે નવી શાંતિ વાર્તા ઓમાનમાં યોજાઈ શકે છે. ઓમાનમાં બેઠક યોજવાની ઈરાનની પહેલેથી જ ઈચ્છા હતી. પાકિસ્તાની સેનાના વડા આસિમ મુનીર ઓમાન ગયા હતા, ત્યારપછી એવું મનાઈ રહ્યું છે કે, પાકિસ્તાન દ્વારા બે દેશો વચ્ચે સમજૂતી કરાવવી અશક્ય નથી. ઈસ્લામાબાદ પહેલા ઓમાનમાં જ શાંતિ મંત્રણા યોજાવાની સંભાવના હતી. જ્યારે અમેરિકા-ઈઝરાયલે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલા કર્યા હતા, ત્યારે ઓમાન જ વાતચીત ચાલી રહી હતી. ઈરાનના વિદેશ મંત્રી અને ઓમાનના સુલ્તાન હૈથમ બિન તારિક અલ-સઈદ વચ્ચે ઓમાનની રાજધાની મસ્કતમાં બેઠક યોજાઈ હતી.
પાકિસ્તાન નિષ્ફળ રહ્યા બાદ હવે શાંતિ મંત્રણામાં મધ્યસ્થતા કરશે આ દેશ, ઈરાને ખુદ આપ્યા સંકેત!
ટોક્સિક વાતાવારણને કારણે...: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું 'Gen Z' ડેમેજ કંટ્રોલ
રાજકારણમાં ગ્લેમર અને યુવા પેઢીના પ્રતિનિધિ ગણાતા રાઘવ ચઢ્ઢાએ આખરે આમ આદમી પાર્ટી (AAP) છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાવા અંગે પોતાનું મૌન તોડ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર એક કેન્ડિડ વીડિયો શેર કરીને તેમણે પક્ષ બદલવા પાછળના કારણો સ્પષ્ટ કર્યા છે. ચઢ્ઢાએ સીધો પ્રહાર કરતા કહ્યું કે, જે પાર્ટીમાં તેઓ જોડાયા હતા તે હવે સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તેમણે વર્તમાન સ્થિતિને ટોક્સિક વર્ક એન્વાયરમેન્ટ ગણાવ્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે, હવે પાર્ટીમાં કામ કરતા અટકાવવામાં આવે છે અને સંસદમાં બોલવા પર પણ પાબંધી મૂકવામાં આવે છે.
ટોક્સિક વાતાવારણને કારણે...: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું 'Gen Z' ડેમેજ કંટ્રોલ
'ભાજપના કાર્યકરો આવીને કંઈ પણ કરી શકે...' છોટા ઉદેપુરમાં સ્ટ્રોંગ રૂમની બહાર કોંગ્રેસ કાર્યકરોનો લોખંડી પહેરો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ પડાવ પર પહોંચ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાની બેઠકો માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે સૌની નજર મંગળવારે (28મી એપ્રિલ) થનારી મતગણતરી પર છે. જો કે, પરિણામો પહેલા જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ખાસ કરીને નસવાડી ખાતે કોંગ્રેસના કાર્યકરોએ EVMની સુરક્ષાને લઈને મોરચો સંભાળ્યો છે. કોંગ્રેસના અગ્રણી કાર્યકરોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, 'અમને ભાજપ પર જરા પણ વિશ્વાસ નથી. ભાજપના લોકો સત્તાનો દુરુપયોગ કરીને અધિકારીઓને ડરાવી-ધમકાવી શકે છે અને ગમે ત્યારે કંઈ પણ કરી શકે છે.'
'ભાજપના કાર્યકરો આવીને કંઈ પણ કરી શકે...' છોટા ઉદેપુરમાં સ્ટ્રોંગ રૂમની બહાર કોંગ્રેસ કાર્યકરોનો લોખંડી પહેરો
ગુજરાતમાં AAPને મોટો ઝટકો, પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીનું રાજીનામું
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે AAPને વધુ એક જોરદાર ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દાઓમાંથી મુક્ત થવાની જાહેરા કરી છે. થોડા સમય પહેલા જ રાજુ કરપડાએ પાર્ટી છોડ્યા બાદ, હવે સાગર રબારીના વિદાયથી ગુજરાતમાં AAPના સંગઠનમાં ગાબડું પડ્યું છે. સાગર રબારીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે, 'હું મારી AAP સાથેની યાત્રા આજે અહીં પૂરી કરું છું. પાર્ટીના સભ્યપદ, હોદ્દા અને જવાબદારીમાંથી મારી જાતને મુક્ત કરું છું. અત્યાર સુધીના સહયોગ બદલ તમામ સાથીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું.'
ગુજરાતમાં AAPને મોટો ઝટકો, પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીનું રાજીનામું
જસ્ટિસ વિરુદ્ધ કેજરીવાલનો 'સત્યાગ્રહ', કોર્ટમાં વકીલ પણ હાજર નહીં થાય
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માને એક અત્યંત ભાવુક અને આકરો પત્ર લખ્યો છે. કેજરીવાલે દુઃખી મન સાથે આ પત્રમાં જણાવ્યું છે કે, તેમને હવે જસ્ટિસ સ્વર્ણકાંતા શર્મા પાસેથી ન્યાય મળવાની કોઈ આશા રહી નથી. આથી, તેમણે મહાત્મા ગાંધીના માર્ગે ચાલીને 'સત્યાગ્રહ' કરવાનો નિર્ણય લીધો છે. કેજરીવાલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતે કે તેમના વકીલ હવેથી જસ્ટિસ શર્માની કોર્ટમાં કોઈ પણ સુનાવણી માટે હાજર થશે નહીં.
જસ્ટિસ વિરુદ્ધ કેજરીવાલનો 'સત્યાગ્રહ', કોર્ટમાં વકીલ પણ હાજર નહીં થાય
ટ્રમ્પનું ઈરાનને 3 દિવસનું અલ્ટીમેટમ, અરાઘચીની રશિયાની યાત્રા પર ભડક્યાં, કહ્યું - 'બધું બરબાદ થઈ જશે..'
અમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધ અત્યારે અત્યંત નાજુક અને જોખમી સ્થિતિમાં પહોંચી ગયું છે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીની રશિયાની મુલાકાતથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ લાલઘૂમ થઈ ગયા છે. ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં સીધી ધમકી આપતા જણાવ્યું છે કે જો આગામી ત્રણ દિવસમાં ઈરાન સમજૂતી નહીં કરે, તો તેની ઓઇલની પાઈપલાઈનોમાં ભયંકર વિસ્ફોટ કરવામાં આવશે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે દરિયાઈ નાકાબંધીને કારણે ઈરાન પહેલાથી જ જહાજો દ્વારા નિકાસ કરી શકતું નથી અને હવે પાઈપલાઈન ધ્વસ્ત થયા બાદ તે ઓઇલ નિકાસ કરવાને લાયક જ નહીં બચે.
ટ્રમ્પનું ઈરાનને 3 દિવસનું અલ્ટીમેટમ, અરાઘચીની રશિયાની યાત્રા પર ભડક્યાં, કહ્યું - 'બધું બરબાદ થઈ જશે..'
વિવિધ રાજકીય વિશ્લેષકો દ્વારા કાઢેલા તારણ મુજબ જામનગરના લાલપુર જિલ્લા પંચાયત નું પરિણામ
લાલપુર જિલ્લા પંચાયત સીટમાં ભાજપ અને આપ વચ્ચે ખૂબ જ રસાકસી જોવા મળશે હાર જીતનું અંતર પણ ખૂબ ઓછું હશે. વિવિધ તારણો મુજબ જિલ્લા પંચાયત માં ભાજપની જીત થવાની શક્યતા છે. તાલુકા પંચાયત વોર્ડ નંબર 1 માં પણ ખૂબ જ રસાકસી ભરેલો માહોલ છે જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટા ની ટક્કર મનાઈ રહી છે. તાલુકા પંચાયત વોર્ડ નંબર 2 માં ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહી છે. તાલુકા પંચાયત વોર્ડ નંબર 3 માં AAP અને ભાજપ વચ્ચે ટક્કર છે જેમાં AAP બાજી મારશે એવી શક્યતા. તાલુકા પંચાયત વોર્ડ નંબર 4 માં AAP બાજી મારશે એવી શક્યતા છે.
વિવિધ રાજકીય વિશ્લેષકો દ્વારા કાઢેલા તારણ મુજબ જામનગરના લાલપુર જિલ્લા પંચાયત નું પરિણામ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મારામારી થતા કોંગ્રેસના ઉમેદવાર સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઇ.
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં AMC ઇલેક્શન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. V.V. તોમર સ્કૂલ ખાતે બોગસ મતદાનને લઈને વિવાદ થયો હતો. પોલીસે તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમર સહિત 4 સામે FIR દાખલ કરી. ભાજપે નિકુલસિંહ પર બોગસ વોટિંગનો આરોપ લગાવ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મારામારી થતા કોંગ્રેસના ઉમેદવાર સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઇ.
US-Iran યુદ્ધ: કંગાળ પાકિસ્તાને પ્રયત્નો કર્યા છતાં ઇરાનને વિશ્વાસ નથી
આર્થિક સંકટમાં ઘેરાયેલું પાકિસ્તાન US અને ઈરાન વચ્ચે મધ્યસ્થ બનવા માંગે છે, પરંતુ ઈરાનને તેની નિષ્પક્ષતા પર શંકા છે. ઈરાનના સાંસદે પાકિસ્તાનના અમેરિકા સાથેના સંબંધોને લીધે નિષ્પક્ષ મધ્યસ્થ બનવાની ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા છે. રેજાઈના મતે, સફળ વાટાઘાટો માટે મધ્યસ્થે નિષ્પક્ષ અને વિશ્વાસપાત્ર હોવું જોઈએ, જે પાકિસ્તાન નથી. ઇરાનના આ વલણથી પાકિસ્તાનના કૂટનીતિક પ્રયત્નોને ફટકો લાગ્યો છે.
US-Iran યુદ્ધ: કંગાળ પાકિસ્તાને પ્રયત્નો કર્યા છતાં ઇરાનને વિશ્વાસ નથી
હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા ક્રૂડ ઓઇલમાં ઉછાળો, ભાવ $107ને પાર.
ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સની વાતચીત તૂટતા, હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવ્યો. ભાવ $107ને વટાવી ગયા, જે 2%નો વધારો દર્શાવે છે. પુરવઠામાં અછત મુખ્ય કારણ છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ $107.49 પ્રતિ બેરલ અને યુએસ WTI ફ્યુચર્સ $96.17 પ્રતિ બેરલ પર પહોંચ્યા. બ્રેન્ટ અને WTI ફ્યુચર્સે અનુક્રમે 17% અને 13%નો વધારો દર્શાવ્યો છે.
હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા ક્રૂડ ઓઇલમાં ઉછાળો, ભાવ $107ને પાર.
સુરત અલથાણા છેડતી કેસમાં AAPનું ષડયંત્ર?
સુરતમાં અલથાણા છેડતી કેસમાં AAPનું સ્ક્રિપ્ટેડ ષડયંત્ર અને BJP, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને બદનામ કરવાનું આયોજન હતું. ઓડિયો ક્લિપ વાયરલ થતા, AAPના મેહુલ ઉર્ફે રાવણની સંડોવણી બહાર આવી છે. પોલીસ તપાસમાં આ વાત સામે આવી. આ ઘટનામાં મુસ્લિમ સમાજને ભડકાવવાનો ખેલ થયો હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે. હાલમાં પોલીસ મેહુલની તપાસ કરી રહી છે.
સુરત અલથાણા છેડતી કેસમાં AAPનું ષડયંત્ર?
બંગાળમાં PM રેલી પહેલા BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ.
પશ્ચિમ બંગાળમાં PM મોદીની રેલી પહેલા BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ થઈ. પથ્થરમારો, ફાયરિંગ અને બોમ્બ ફેંકાયા, જેમાં CISF જવાન સહિત 3 ઘાયલ થયા. BJPનો આરોપ છે કે રેલીના પોસ્ટરો ફાડવામાં આવ્યા. ભાટપારાના BJP ઉમેદવારના ઘરે બોમ્બ ફેંકાયો. અમિત શાહના રોડ શો અને મમતા બેનર્જીની રેલી પણ યોજાશે. આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે અને બીજું મતદાન 29 એપ્રિલે થશે.
બંગાળમાં PM રેલી પહેલા BJP અને TMC કાર્યકરો વચ્ચે અથડામણ.
સાંસેદમાં ફરજ પરના સેવકનું હાર્ટ એટેકથી મોત, અસહ્ય ગરમી જવાબદાર.
પેટલાદના સાંસેદ ગામે બુથ નં. 1 પર ફરજ બજાવતા સેવક અમિત સોલંકીનું અસહ્ય ગરમીના કારણે heart attack આવતા મોત થયું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ બુથ પર ફરજ બજાવી રહ્યા હતા. બપોરે 12 વાગ્યા આસપાસ ગરમીથી ઢળી પડતા 108 દ્વારા તારાપુર દવાખાને ખસેડાયા, જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા.
સાંસેદમાં ફરજ પરના સેવકનું હાર્ટ એટેકથી મોત, અસહ્ય ગરમી જવાબદાર.
છોટાઉદેપુરના વરધીમાં વિરોધ: 'પહેલાં શાળાના ઓરડા, પછી વોટ'ના નારા સાથે મતદાન બહિષ્કાર!
તેજગઢના વરધી ગામે શાળાના ઓરડાના અભાવે ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરાયો. 'પહેલાં શાળાના ચાર ઓરડા બનાવો, પછી મત આપીશું' એવો ગ્રામજનોનો અડગ નિર્ણય હતો. તંત્રએ લેખિત બાંહેધરી આપ્યા બાદ મતદાન શરૂ થયું. છેલ્લાં ચાર વર્ષથી ક્લાસરૂમનું નિર્માણ મંજૂર હોવા છતાં કામ થયું નહોતું, જેના કારણે શિક્ષણને અસર થઈ રહી હતી.
છોટાઉદેપુરના વરધીમાં વિરોધ: 'પહેલાં શાળાના ઓરડા, પછી વોટ'ના નારા સાથે મતદાન બહિષ્કાર!
નવવધૂઓએ લગ્ન પહેલાં મતદાન કર્યું: ભવ્યાબેન અને વનિતાબેને લોકશાહી ફરજ બજાવી.
દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, ભવ્યાબેન અને વનિતાબેને લગ્ન વિધિઓ વચ્ચે મતદાન કર્યું. ભવ્યાબેને સોળ શણગાર સજીને મતદાન મથકે જઈ ફરજ બજાવી. ડોલરીયામાં વનિતાબેને મંગળ ફેરા પહેલા મતદાન કર્યું, જે લોકશાહી પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે. આ બંને કિસ્સાઓ પ્રેરણાદાયક છે અને નાગરિક તરીકેની ફરજનું મહત્વ સમજાવે છે, જે democracy માટે ઉત્તમ ઉદાહરણ છે.
નવવધૂઓએ લગ્ન પહેલાં મતદાન કર્યું: ભવ્યાબેન અને વનિતાબેને લોકશાહી ફરજ બજાવી.
SIRની અસર: મતદારો ઘટ્યા છતાં મતદાન ટકાવારી વધી.
પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ રહી. SIR કામગીરીમાં મતદારો ઘટ્યા છતાં, પંચમહાલમાં ૬% અને દાહોદમાં ૩.૫૬% મતદાન વધ્યું. દાહોદમાં ૨.૭૦ લાખ મતદારો ઘટ્યા છતાં મતદાન વધ્યું. ગોધરામાં 43°C તાપમાનમાં પણ મતદાન ઉત્સાહથી થયું. દાહોદ નગરપાલિકામાં 42.2°C 'heatwave' હોવા છતાં 7.04% મતદાન વધ્યું, જે ઉત્સાહ દર્શાવે છે.
SIRની અસર: મતદારો ઘટ્યા છતાં મતદાન ટકાવારી વધી.
જામણીયામાં સુવિધાના અભાવે ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કાર.
ભરૂચના જામણીયા ગામે પ્રાથમિક સુવિધાઓના અભાવે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો. 'વિકાસ નહીં તો મત નહીં'નો નારો આપ્યો. ગામને જોડતા રસ્તાઓ બિસ્માર હોવાથી ચોમાસામાં હાલાકી પડે છે. પીવાનું પાણી, આરોગ્ય, વીજળી જેવી સુવિધાઓ પણ નથી. વર્ષોથી રસ્તાની મરામત થઈ નથી. આથી, ગ્રામજનોએ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો, જેના કારણે 26 એપ્રિલે જામણીયામાં મતદાન થયું નહીં.
જામણીયામાં સુવિધાના અભાવે ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કાર.
પાકિસ્તાન ભરોસાને લાયક નથી, એ Trump સામે ઝૂકે છે: ઈરાને શાંતિ મંત્રણા મુદ્દે ફજેતી કરી.
Iran એ પાકિસ્તાનની US સાથેની મધ્યસ્થી ભૂમિકાની ટીકા કરી. ઈરાને પાકિસ્તાન પર અમેરિકા તરફી હોવાનો આરોપ મૂક્યો છે. ઈરાનનું કહેવું છે કે પાકિસ્તાન તટસ્થ નથી અને ડોનાલ્ડ Trumpના હિતોનું સમર્થન કરે છે. મધ્યસ્થી તરીકે પાકિસ્તાન વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યું છે. પાકિસ્તાન એક પડોશી તરીકે સારું છે, પણ મધ્યસ્થી તરીકે નહીં.
પાકિસ્તાન ભરોસાને લાયક નથી, એ Trump સામે ઝૂકે છે: ઈરાને શાંતિ મંત્રણા મુદ્દે ફજેતી કરી.
વાલિયાના કેસરગામના 350થી વધુ મતદારોએ માંગ સંતોષાતા મતદાન બહિષ્કારનો નિર્ણય મોકૂફ રાખ્યો, જે 2021થી ચાલતો હતો.
ભરૂચના કેસર ગામના લોકોએ 2021થી માંગણીઓ માટે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, કારણ કે કેસર ગામથી ઇટકલાને જોડતો પુલ નહોતો. વર્ષ 2026 માં પુલનું કામ શરૂ થતાં, ગામલોકોએ વર્ષો બાદ મતદાન કર્યું, કારણ કે તેઓ રોજિંદી જરૂરિયાત માટે ઈટકલા પર નિર્ભર છે. આ પુલથી 400 મીટરનું અંતર 20 km થતું હતું તે ઘટશે.
વાલિયાના કેસરગામના 350થી વધુ મતદારોએ માંગ સંતોષાતા મતદાન બહિષ્કારનો નિર્ણય મોકૂફ રાખ્યો, જે 2021થી ચાલતો હતો.
લેબેનોનમાં ઇઝરાયલના હુમલામાં 14 લોકો માર્યા ગયા, "ડ્રોન એટેક" નો બદલો.
"ડ્રોન એટેક" ના જવાબમાં ઇઝરાયલે લેબેનોન પર હુમલો કર્યો, જેમાં 14 લોકો મૃત્યુ પામ્યા. આ ઘટનાથી સીઝફાયર તૂટી ગયું છે. સ્થિતિ તંગ છે અને વધુ હિંસાની આશંકા છે. આ ઘટનાની આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા થઈ રહી છે અને શાંતિ જાળવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. તસવીર પ્રતિકાત્મક છે.
લેબેનોનમાં ઇઝરાયલના હુમલામાં 14 લોકો માર્યા ગયા, "ડ્રોન એટેક" નો બદલો.
ડાંગ જિલ્લા પંચાયત ચૂંટણી: 5 વાગ્યા સુધીમાં 77.17 ટકા મતદાન થયું.
ડાંગ જિલ્લા પંચાયતની 18 અને ત્રણ તાલુકા પંચાયતોની 47 બેઠકો માટે મતદાન થયું, જેમાં કુલ 116 ઉમેદવારો હતા. જિલ્લામાં કુલ 1,93,588 મતદારોમાંથી 1,45,342 મતદારોએ 77.17 ટકા મતદાન કર્યું. આહવામાં 74.35 ટકા, વઘઇમાં 81.97 ટકા અને સુબીરમાં 76.08 ટકા મતદાન નોંધાયું. Highest મતદાન બરડા બેઠક પર 80.02 ટકા અને lowest આહવા-1 બેઠક ઉપર 53.49 ટકા નોંધાયું છે. Results 28 એપ્રિલે આવશે.
ડાંગ જિલ્લા પંચાયત ચૂંટણી: 5 વાગ્યા સુધીમાં 77.17 ટકા મતદાન થયું.
નવસારી વોર્ડ-13માં 'લાફા કાંડ'થી ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો આમને સામને આવતા રાજકારણમાં ગરમાવો.
નવસારીના વોર્ડ-13માં ચૂંટણી સમયે ભાજપ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ‘લાફા કાંડ’ થતા ચકચાર મચી ગઈ છે. કોંગ્રેસના ઉમેદવારની પુત્રી પર ભાજપના બુથ એજન્ટે ટિપ્પણી કરતા મામલો બીચક્યો હતો. ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવાર અને ભાજપના મહિલા ઉમેદવારના સસરા વચ્ચે લાફા મારવામાં આવતા ભારે હોબાળો મચ્યો હતો. DYSP એ ઘટનાસ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો, પરંતુ બન્ને પક્ષોએ પોલીસ ફરિયાદ કરતા રાજકારણ ગરમાયું છે.
નવસારી વોર્ડ-13માં 'લાફા કાંડ'થી ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો આમને સામને આવતા રાજકારણમાં ગરમાવો.
નવસારીમાં ઉમેદવારના ફોટા બદલાયા, મતદારો અકળાયા.
નવસારી વોર્ડ નંબર-13ની ચૂંટણીમાં BJPની પ્રચાર સ્લીપમાં છબરડો થયો. માધવીબેનના બદલે મીનલબેનનો ફોટો છપાતા મતદારો ગુસ્સે થયા. મતદારોએ કહ્યું કે તેઓએ ફોટો જોઈને મત આપ્યો છે, એટલે સમસ્યા થશે તો મીનલબેન અને સાજનભાઈ પાસે જશે. આ ઘટના "Talk of the Town" બની છે અને સંગઠનની કામગીરી પર સવાલ ઉઠાવે છે.