ગુજરાતી સંગીતકાર ગૌરાંગ વ્યાસના અવસાન પર PM મોદી અને CM પટેલ દ્વારા શ્રદ્ધાંજલિ
ગુજરાતી સંગીતકાર ગૌરાંગ વ્યાસના અવસાન પર PM મોદી અને CM પટેલ દ્વારા શ્રદ્ધાંજલિ
Published on: 03rd September, 2026

ગુજરાતી સુગમ સંગીત અને ફિલ્મ જગત માટે દુઃખદ સમાચાર છે કે દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી કલા અને સંગીત જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ગુજરાતી સંગીત જગતના પ્રખ્યાત સંગીતકાર ગૌરાંગ વ્યાસના અવસાનથી ઊંડા દુઃખની લાગણી અનુભવીએ છીએ. પોતાના પિતા અવિનાશ વ્યાસની સંગીત પરંપરાને આગળ ધપાવી તેમણે અનોખું પ્રદાન આપ્યું હતું. સંગીતકાર ગૌરાંગ વ્યાસનું અમૂલ્ય યોગદાન હંમેશા યાદ રહેશે.