કર્ણાટકમાં નવો ઝટકો: પસંદગીનું મંત્રાલય ન મળતાં ગુસ્સામાં મંત્રીનું રાજીનામું
કર્ણાટકમાં નવો ઝટકો: પસંદગીનું મંત્રાલય ન મળતાં ગુસ્સામાં મંત્રીનું રાજીનામું
Published on: 05th June, 2026

કર્ણાટકમાં કોંગ્રેસ સરકારના મંત્રીમંડળની રચના બાદ જ રાજકીય ભૂકંપ આવ્યો છે. મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારના શપથ લીધાના બે દિવસમાં જ વરિષ્ઠ નેતા અને મંત્રી રામલિંગા રેડ્ડીએ નારાજગી વ્યક્ત કરી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે. તેમને મનપસંદ 'બેંગલુરુ વિકાસ મંત્રાલય' ન મળતાં તેઓ ભારે નારાજ હતા. તેના બદલે તેમને 'મોટા અને મધ્યમ સિંચાઈ' વિભાગ સોંપવામાં આવ્યો હતો, જે તેમણે સ્વીકારવાનો ઇનકાર કર્યો. રેડ્ડીએ જણાવ્યું કે તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જ રહેશે.