ચૂંટણી પ્રચારમાં ભાજપ ઉમેદવાર ઘેરાયા
ચૂંટણી પ્રચારમાં ભાજપ ઉમેદવાર ઘેરાયા
Published on: 16th July, 2026

વડોદરાના માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન ભાજપના ઉમેદવાર સતીશ પટેલને મતદારોના રોષનો સામનો કરવો પડ્યો. સ્થાનિક રહીશોએ વર્ષોથી વણઉકેલાયેલી સફાઈ, ડ્રેનેજ અને પાણી ભરાવાની સમસ્યાઓ અંગે પ્રશ્નો પૂછ્યા. ઉમેદવારે કોર્પોરેશનને જવાબદાર ઠેરવી અને કહ્યું કે વેરો સૌ ભરે છે, બધું ચાલ્યા કરે. નેતાઓના આ વલણથી મતદારોમાં નારાજગી જોવા મળી અને જીત પહેલા જ આવા તેવર બતાવવા બદલ લોકોમાં રોષ ફેલાયો.