શામળાજીમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી
શામળાજીમાં કોંગ્રેસની જન આક્રોશ રેલી
Published on: 10th June, 2026

યાત્રાધામ શામળાજીમાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામે જન આક્રોશ રેલી અને ધરણા યોજાયા. મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનોએ ઉપસ્થિત રહી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર સરકારની નીતિઓનો વિરોધ નોંધાવ્યો. રાજેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં અનેક અગ્રણીઓ જોડાયા હતા, જેઓ બેનરો અને સૂત્રલેખો સાથે વિરોધ કરી રહ્યા હતા.