નર્મદા સુશાસન કાર્યક્રમમાં પ્રોટોકોલ ભંગ: ભાજપ ધારાસભ્ય દર્શનાબહેન દેશમુખનો વોકઆઉટ અને ધરણા
નર્મદા સુશાસન કાર્યક્રમમાં પ્રોટોકોલ ભંગ: ભાજપ ધારાસભ્ય દર્શનાબહેન દેશમુખનો વોકઆઉટ અને ધરણા
Published on: 15th June, 2026

નર્મદા જિલ્લાના રાજપીપળામાં વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા કાર્યક્રમમાં નાંદોદના ભાજપના મહિલા ધારાસભ્ય ડો. દર્શનાબહેન દેશમુખે પ્રોટોકોલ ન જળવાતા પોતાનું અપમાન થયું હોવાનો દાવો કર્યો. તેમણે કાર્યક્રમ અધવચ્ચે છોડીને ગાંધી ચોક ખાતે ધરણા પર બેસી ગયા અને સંગઠન તથા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી. આ વિવાદમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ ધારાસભ્યના સમર્થનમાં આવ્યા અને આદિવાસીઓનું અપમાન ગણાવી જિલ્લા ભાજપ પ્રમુખના રાજીનામાની માંગ કરી.