બાંગ્લાદેશનું ભારત પર દબાણ
બાંગ્લાદેશનું ભારત પર દબાણ
Published on: 16th August, 2026

બાંગ્લાદેશે તેના વડાપ્રધાન તારિક રહેમાનની ભારત યાત્રાને પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના (Sheikh Hasina) ના પ્રત્યાર્પણની માગ સાથે જોડી દીધી છે. ઢાકા ઇચ્છે છે કે યાત્રા પહેલાં "અનુકૂળ માહોલ" બને, જેના માટે શેખ હસીના સહિત અન્ય વોન્ટેડ આરોપીઓને બાંગ્લાદેશને સોંપવા પર ભારતે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, 5 ઓગસ્ટે શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સ બાદ આ પ્રક્રિયા પ્રભાવિત થઈ છે. બાંગ્લાદેશ ઇન્ટરનેશનલ ક્રાઈમ્સ ટ્રિબ્યુનલ દ્વારા શેખ હસીનાને માનવતા વિરુદ્ધના અપરાધ માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે. ઢાકા પ્રત્યાર્પણ અરજીઓ પર ભારતના સત્તાવાર જવાબની રાહ જોઈ રહ્યું છે.