કેસ પાછા ખેંચવાની સરકારની ખાતરી બાદ કોકરોચ પાર્ટીએ કૂચ રદ કરી
કેસ પાછા ખેંચવાની સરકારની ખાતરી બાદ કોકરોચ પાર્ટીએ કૂચ રદ કરી
Published on: 01st September, 2026

NEET પેપરલીક આંદોલન સંબંધિત FIR રદ કરવાની કેન્દ્ર સરકારની ખાતરી બાદ કોકરોચ જનતા પાર્ટી (CJP) એ 5 સપ્ટેમ્બરે યોજાનારી દિલ્હી કૂચ રદ કરી છે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે આંદોલનકારીઓ સામે નોંધાયેલી FIR પાછી ખેંચવાની ખાતરી આપતા CJP એ આ નિર્ણય લીધો. CJP ના પ્રવક્તા સૌરવ દાસે સર્વોચ્ચ અદાલતને આ જાણકારી આપી. કેન્દ્ર સરકારે અનુચ્છેદ 142 હેઠળ FIR રદ કરવા વચગાળાની અરજી દાખલ કરી છે, જે મુજબ દિલ્હીમાં નોંધાયેલી તમામ FIR રદ કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.