સુરેન્દ્રનગર મહાનગરના 1774 મતદારોને 136 મુરતિયામાંથી 1 પણ પસંદ ન આવ્યો
સુરેન્દ્રનગર મહાનગરના 1774 મતદારોને 136 મુરતિયામાંથી 1 પણ પસંદ ન આવ્યો
Published on: 30th April, 2026

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વર્ષે ૧,૭૭૪ મતદારોએ 'નોટા' (NOTA) પર પસંદગી ઉતારીને એકપણ ઉમેદવાર યોગ્ય ન હોવાનો સંદેશ આપ્યો છે. એમ.પી.શાહ કોલેજ ખાતે યોજાયેલી મતગણતરી મુજબ, વોર્ડ નં. ૭ માં સૌથી વધુ ૧૯૯ મતો નોટામાં પડ્યા હતા. ખાસ કરીને વોર્ડ નં. ૮ માં નોટા નિર્ણાયક સાબિત થયો છે, જ્યાં વિજેતા ઉમેદવારની જીત માત્ર ૩ મતે થઈ છે, જ્યારે ત્યાં ૧૦૬ મતો નોટામાં નોંધાયા હતા. વર્ષ ૨૦૨૧ ની સરખામણીએ આ વખતે પણ મતદારોમાં ઉમેદવારો પ્રત્યેની ઉદાસીનતા સ્પષ્ટપણે જોવા મળી છે.