ઈરાન યુદ્ધ વચ્ચે પેન્ટાગોનમાં કેમ અશાંતિ?
ઈરાન યુદ્ધ વચ્ચે પેન્ટાગોનમાં કેમ અશાંતિ?
Published on: 03rd September, 2026

ઈરાન યુદ્ધ વચ્ચે યુએસ પેન્ટાગોનમાં નેતૃત્વ સંકટ ઘેરું બન્યું છે. સંરક્ષણ સચિવ પીટ હેગસેથના કાર્યકાળ દરમિયાન ૨૫થી વધુ વરિષ્ઠ લશ્કરી અધિકારીઓને દૂર કરાયા છે અને ૪૫ અધિકારીઓના પ્રમોશન અટકાવવામાં આવ્યા છે. આ પરિસ્થિતિ યુએસ સૈન્ય પર વધતા દબાણ અને શસ્ત્રોના ઘટતા ભંડાર વચ્ચે સર્જાઈ છે. આર્મી સેક્રેટરી ડેન ડ્રિસ્કોલ સહિત ઘણા ટોચના અધિકારીઓએ રાજીનામા આપ્યા છે અથવા તેમને પદ પરથી દૂર કરાયા છે, જેના કારણે જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફની મોટાભાગની ટીમ બદલાઈ ગઈ છે.