સિદ્ધિવિનાયક મંદિરમાં દાનચોરી મુદ્દે છેલ્લા પાંચ વર્ષના દાનનું ઓડિટ થશે.
સિદ્ધિવિનાયક મંદિરમાં દાનચોરી મુદ્દે છેલ્લા પાંચ વર્ષના દાનનું ઓડિટ થશે.
Published on: 06th August, 2026

મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરના દાનચોરી પ્રકરણમાં એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંદિરમાં છેલ્લા પાંચ વર્ષમાં મળેલ રોકડ, ઘરેણા તેમ જ બીજી મૂલ્યવાન વસ્તુઓનું ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે. મંદિરમાં મળેલા દાનની નોંધ, આર્થિક વ્યવહાર, ઘરેણાનો હિસાબ અને એના વ્યવસ્થાપનની ઉંડાણપૂર્વક તપાસ આ ઓડિટ દ્વારા કરવામાં આવશે. આ ઓડિટનો અહેવાલ આવ્યા પછી સંબંધિત બાબતો પર આગળનો નિર્ણય લેવામાં આવશે, અને અનિયમિતતા જણાશે તો સંબંધિતો પર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.