બિહારના મંદિરમાં શ્રાવણ સોમવારે ભાગદોડ
બિહારના મંદિરમાં શ્રાવણ સોમવારે ભાગદોડ
Published on: 17th August, 2026

બિહારના લખીસરાય સ્થિત અશોકધામ મંદિરમાં શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે ભક્તોની ભારે ભીડ જામી હતી. જલાભિષેક માટે લાઇનમાં ઉભેલા શ્રદ્ધાળુઓ વચ્ચે અચાનક વીજળીનો તાર તૂટી પડવાની અફવા ફેલાતાં ભાગદોડ મચી ગઈ. આ અંધાધૂંધીમાં 7 ભક્તો કચડાઈને મોતને ભેટી પડ્યા અને એક ડઝનથી વધુ ઘાયલ થયા. રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.