શિનોર ખાતે મા નર્મદાનો 14મો ચૂંદડી મનોરથ અને ગંગા દશહરાનો ભવ્ય પ્રારંભ
શિનોર ખાતે મા નર્મદાનો 14મો ચૂંદડી મનોરથ અને ગંગા દશહરાનો ભવ્ય પ્રારંભ
Published on: 25th May, 2026

શિનોર ખાતે તા.17 મે 2026થી ગંગા દશહરાનો પ્રારંભ થયો, જેમાં નર્મદા મૈયાને 505 મીટરની ભવ્ય ચૂંદડી અર્પણ કરવામાં આવી. છેલ્લા 80 વર્ષથી યોજાતા આ કાર્યક્રમમાં 2500થી વધુ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો. 17 મેથી 26 જૂન 2025 સુધી, 10 દિવસ સુધી ચાલનારા આ ભક્તિભાવપૂર્ણ ઉત્સવમાં, ભક્તો પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરી, સંધ્યાકાળે યોજાતી મહાઆરતીનો લાભ લઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન પૂજા, અર્ચના અને દાન પુણ્ય કરવાથી 10 પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે.