ઋતુઓ કેમ બદલાય છે?
ઋતુઓ કેમ બદલાય છે?
Published on: 18th July, 2026

આપણા દેશમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ જેવી ઋતુઓ બદલાયા કરે છે. વાતાવરણમાં આવતા આ ક્રમિક ફેરફારને ઋતુચક્ર કહેવાય છે. ઋતુ પરિવર્તનનું મુખ્ય કારણ પૃથ્વીની ભૌગોલિક ગતિ અને તેની સ્થિતિ છે. પૃથ્વી પોતાની ધરી પર 23.50 ડિગ્રી નમેલી રહી સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. આ નમનને કારણે પૃથ્વીના જુદા જુદા ભાગો પર સૂર્ય પ્રકાશ એકસરખો પડતો નથી, જેના પરિણામે ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં વિપરીત ઋતુઓ અનુભવાય છે.