હાર્દિક પંડ્યા MI છોડી CSKમાં જશે?
હાર્દિક પંડ્યા MI છોડી CSKમાં જશે?
Published on: 29th May, 2026

IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સના નિરાશાજનક પ્રદર્શન બાદ, હાર્દિક પંડ્યાના ભવિષ્ય પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. પૂર્વ ભારતીય ક્રિકેટર સુબ્રમણ્યમ બદ્રીનાથે એક રસપ્રદ ટ્રેડ આઈડિયા રજૂ કર્યો છે. તેમણે સૂચવ્યું છે કે MIએ હાર્દિક પંડ્યાના બદલામાં CSK પાસેથી શિવમ દુબે અને આયુષ મ્હાત્રે મેળવવા જોઈએ. બદ્રીનાથના મતે, હાર્દિક CSKની બ્રાન્ડને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે. આ સાથે, હાર્દિક CSKના કેપ્ટન બનવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે.