'ક્યારેક તો અશ્વિન બાદ બેટિંગમાં નંબર આવે...' રવીન્દ્ર જાડેજાનું દર્દ છલકાયું
'ક્યારેક તો અશ્વિન બાદ બેટિંગમાં નંબર આવે...' રવીન્દ્ર જાડેજાનું દર્દ છલકાયું
Published on: 17th August, 2026

ભારતીય ટીમના અનુભવી ઓલરાઉન્ડર Ravindra jadeja એ ક્રિકેટ ફેન્સમાં ચર્ચા જગાવી છે. જાડેજાએ સ્વીકાર્યું કે ભારતીય ટીમ મેનેજમેન્ટ મારી બેટિંગ ક્ષમતાનો યોગ્ય ઉપયોગ કરી શક્યું નહોતું. સતત નીચલા ક્રમે બેટિંગ માટે મોકલવામાં આવતા મારો આત્મવિશ્વાસ ઓછો થઈ ગયો હતો. શ્રીલંકા સામે ગોલ ટેસ્ટ મેચ દરમિયાન સંજય માંજરેકર સાથે વાત કરતાં જાડેજાએ ખુલાસો કર્યો કે રણજી ટ્રોફીમાં હું નંબર 4 પર બેટિંગ કરતો હતો અને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં મારી બેટિંગ એવરેજ 60થી વધુ હતી, તેમ છતાં ભારતીય ટીમમાં આવ્યા બાદ મને તે બેટિંગ નંબર મળ્યો નહોતો.