ગુરિન્દરવીર સિંઘે એથ્લેટિક્સના ઈતિહાસમાં ફાસ્ટેસ્ટ ઈન્ડિયન તરીકેનો કીર્તિમાન હાંસલ કર્યો
ગુરિન્દરવીર સિંઘે એથ્લેટિક્સના ઈતિહાસમાં ફાસ્ટેસ્ટ ઈન્ડિયન તરીકેનો કીર્તિમાન હાંસલ કર્યો
Published on: 31st May, 2026

ભારતીય એથ્લેટિક્સમાં સૌથી ઝડપી ખેલાડી તરીકેનો કીર્તિમાન પંજાબના ૨૫ વર્ષના ગુરિન્દરવીર સિંઘે નોંધાવવાની સાથે પોતાનું નામ રેકોર્ડબુકમાં સુવર્ણાક્ષરે અંકિત કરાવી લીધું છે. ઝારખંડના રાંચીમાં યોજાયેલા એથ્લેટિક્સના ફેડરેશન કપમાં ભારતના વિશ્વવિક્રમ ધારક અનિમેષ કુુજુર અને ગુરિન્દરવીર વચ્ચે તીવ્ર રસાકસી જોવા મળી હતી. અનિમેષ કુજુરે ગત વર્ષે ગ્રીસમાં યોજાયેલી સ્પર્ધામાં ૧૦૦ મીટર દોડ ૧૦.૧૮ સેકન્ડ સાથે રાષ્ટ્રીય વિક્રમ સર્જવાની સાથે પોતાનું પ્રભુત્વ જમાવ્યું હતુ. જોકે તેનો આ રેકોર્ડ ફેડરેશન કપમાં એક દિવસના અંતરાલમાં ત્રણ વખત તુટી ગયો હતો.