સોના-ચાંદીમાં રૂ.૪૦૦૦-૫૦૦૦નો તેજીવત ઉછાળો
સોના-ચાંદીમાં રૂ.૪૦૦૦-૫૦૦૦નો તેજીવત ઉછાળો
Published on: 04th September, 2026

વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. મુંબઈ અને અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવમાં રૂ.૪૦૦૦ અને ચાંદીના ભાવમાં રૂ.૫૦૦૦ સુધીનો ઉછાળો આવ્યો છે. વૈશ્વિક બજારમાં ક્રૂડતેલના ભાવ પણ ફરી ઉછળ્યા છે, જેના કારણે બ્રેન્ટ ક્રૂડ ૯૭ ડોલરને પાર કરી ગયું છે. યુએસ ક્રૂડના ભાવ પણ વધ્યા છે. ડોલર ઈન્ડેક્સ ઘટતાં અને ક્રૂડતેલના ભાવ વધતાં વૈશ્વિક સોનામાં ફંડોની ખરીદી વધવાના સંકેત છે.