બાવળાની વલ્લભનગર સોસાયટીમાં ૧૫ દિવસથી વરસાદી પાણી
બાવળાની વલ્લભનગર સોસાયટીમાં ૧૫ દિવસથી વરસાદી પાણી
Published on: 05th August, 2026

અમદાવાદ જિલ્લાના બાવળામાં ચોમાસાની સિઝન આફત બની ગઈ છે. શહેરમાં વરસાદી પાણીના નિકાલની જટિલ સમસ્યાને કારણે રહીશો ભારે હાલાકી વેઠી રહ્યા છે. ચાલુ વર્ષે થયેલા ભારે વરસાદને કારણે વલ્લભનગર સોસાયટીમાં ૧૫ દિવસ બાદ પણ વરસાદી પાણી ભરાયેલા છે. સોસાયટીની દીવાલ પણ તૂટી ગઈ છે. આ માર્ગ ગામતળને જોડતો મુખ્ય માર્ગ હોવાથી સ્કૂલ અને રોજગાર ધંધા માટે મુશ્કેલી સર્જાઈ છે. રહીશો દ્વારા પાણીના તાત્કાલિક નિકાલ માટે બાવળા પાલિકા ચીફ ઓફ્સિર અને નગર સેવા સદનને લેખિતમાં ફરિયાદ કરી છે.