ભાચલી ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે ગ્રામજનોની માંગ
ભાચલી ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે ગ્રામજનોની માંગ
Published on: 05th August, 2026

વાવ તાલુકાના ભાચલી ગામના રહેવાસીઓએ ગામ અને પ્લોટ વિસ્તારોમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલની માંગ સાથે વાવ મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું છે. દર ચોમાસે પાણી ભરાવાથી ગામલોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કુણાસરી તળાવનું નાકું બંધ હોવાથી ભાચલીથી ચાંદરવા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે, જેના કારણે ખેડૂતોને ખેતરોમાં પહોંચવામાં તકલીફ પડે છે. વરનાળી અને કુણાસરી તળાવના નાકા ખોલવાથી પાણીનો નિકાલ થઈ શકે છે.