અમદાવાદમાં ધોધમાર વરસાદના લીધે અનેક વિસ્તારોમાં જળબંબાકાર
અમદાવાદમાં ધોધમાર વરસાદના લીધે અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Published on: 23rd July, 2026

અમદાવાદ શહેરના બોડકદેવ, માણેકબાગ, પાલડી, નહેરુનગર, અને ધરણીધર જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સવારે કામ પર જતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. અખબારનગર અંડરબ્રિજ અને એસ.જી. હાઇવે પર પાણી ભરાવાથી વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. કેટલાંક વિસ્તારોમાં માત્ર એક કલાકમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. બોપલ જેવા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 213 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે.