મહીસાગમાં વરસાદી વાતાવરણમાં બે ગરીબ પરિવારોના કાચા મકાનો ધરાશાયી
મહીસાગમાં વરસાદી વાતાવરણમાં બે ગરીબ પરિવારોના કાચા મકાનો ધરાશાયી
Published on: 13th August, 2026

મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને કારણે નાયફ્ળિયા ગામમાં રહેતા બે ગરીબ પરિવારોના કાચા મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા છે. આ ઘટનામાં બંને પરિવારોએ પોતાની છત ગુમાવી દીધી છે અને હાલ ઘરવિહોણી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક પ્રશાસને અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, ઘટનાને દિવસો વીતી ગયા હોવા છતાં, પીડિત પરિવારોને સરકાર તરફથી કોઈ આર્થિક રાહત સહાય મળી નથી. આ ગરીબ પરિવારોને તાત્કાલિક યોગ્ય વળતર અને રહેઠાણની સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.